SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૨૩ (-: અથ જીવસમુદાહાર -૮ દ્વારોનું સ્વરૂપ :-) (૧) પ્રતિસ્થાને (એક એક સ્થાને) જીવ પ્રરૂપણા (૨) અંતરસ્થાન પ્ર. (૩) નિરંતરસ્થાન પ્ર. (૪) નાના જીવ કાલ પ્રમાણ પ્ર. (૫) વૃદ્ધિ પ્ર. (૬) યવમધ્ય પ્ર. (૭) સ્પર્શના પ્ર. (૮) અલ્પબદુત્વ પ્ર. આ ૮ અનુયોગ દ્વારા (૧) પ્રતિસ્થાને જીવ પ્રરૂપણા - સ્થાવર પ્રાયોગ્ય એક એક સ્થાનને બાંધનારા ઉત્કૃષ્ટથી અને જધન્યથી પણ હંમેશાં અનંતા અને ત્રસપ્રાયોગ્ય એક એક સ્થાનને બાંધનારા ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અસંખ્યાતા અને જધન્યથી એક-બે જીવો હોય છે. અને કોઇ કોઇ વાર કેટલાક સ્થાનોને બાંધનારા ત્રસ જીવો નથી પણ હોતા. (૨) અંતરસ્થાન પ્રરૂપણા - સ્થાવર પ્રાયોગ્ય સ્થાનો થોડા હોવાથી અને તેને બાંધનારા જીવો અનંત હોવાથી દરેક સ્થાનને બાંધનારા સ્થાવર જીવો સદા અનંતા હોય છે, અર્થાત્ સ્થાવર પ્રાયોગ્ય કોઇ પણ સ્થાનને કોઇ વખત જીવો ન બાંધે અને ખાલી હોય એવું બનતું જ નથી. જ્યારે ત્રસ પ્રાયોગ્ય સ્થાનો ધણાં હોવાથી અને ત્રસજીવો થોડા હોવાથી વચ્ચે વચ્ચે જધન્યથી એક-બે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ રસસ્થાનો શુન્ય હોય છે. અર્થાતુ કોઇ વાર તેટલાં સ્થાનોને બાંધનારા કોઇ ત્રસ જીવો હોતા નથી. એમ પણ બને છે. (૩) નિરંતરસ્થાન પ્રરૂપણા:- સ્થાવર પ્રાયોગ્ય બધા સ્થાનોને બાંધનારા જીવો હંમેશાં હોવાથી અનેક જીવો આશ્રયી બધા સ્થાનો હંમેશાં બંધાતા જ હોય છે. અને ત્રસજીવો જધન્યથી બે અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલ સમય પ્રમાણ તત્વાયોગ્ય અસંખ્યાતા સ્થાનોને અંતર વિના બાંધે છે. પણ તેથી વધારે નહીં. (૪) નાનાજીવ કાલપ્રમાણ પ્રરૂપણા - સ્થાવર પ્રાયોગ્ય દરેક સ્થાનને જુદા-જુદા જીવો હંમેશાં બાંધતા હોય છે. અને ત્રસપ્રાયોગ્ય કોઇ પણ એક સ્થાનને જુદા-જુદા ત્રસજીવો જધન્યથી એક બે સમય અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ સુધી સતત બાંધનારા હોય છે. પછી તો તે વિવક્ષિત સ્થાનને બાંધનારા અમુક સમય સુધી કોઇ પણ જીવ હોય જ નહીં. 0 (૫) વૃદ્ધિ પ્રરૂપણા – બહુ અલ્પ કષાયાવાળા તેમજ બહુ વધારે કષાયવાળા જીવો તથાસ્વભાવે જ જગતમાં ઓછા હોય છે અને મધ્યમ કષાયવાળા જીવો વધારે હોય છે. તેથી જ યવમધ્ય, ૮ સમયના કાળવાળા રસસ્થાનોને બાંધનારા જીવો ધણા હોય છે. અને ક્રમશઃ બંન્ને બાજુ પછી પછીના રસસ્થાનોને બાંધનારા જીવો ઓછા ઓછા હોય છે. આ અનંતરોપનિધા છે. પરંપરોપનિઘાએ વિચારીએ તો જઘન્ય ૪ સમયવાળા પહેલા રસસ્થાનને બાંધનારા જીવો અલ્પ હોય છે. અને ત્યાંથી અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ રસસ્થાનો ઓળંગી પછીના રસસ્થાનને બાંધનારા જીવો બમણાં હોય છે. ત્યાંથી પુનઃ તેટલી જ સંખ્યા પ્રમાણ રસસ્થાનો ઓળંગી-ઓળંગી પછીના રસસ્થાનને બાંધનારા જીવો બમણાં હોય છે. એમ યવમધ્ય સ્થાનો સુધી અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ રસસ્થાનો ઓળંગી-ઓળંગી પછી પછીના રસસ્થાનોને બાંધનારા જીવો બમણાં બમણાં હોય છે. અને યવમધ્યના રસસ્થાનોની અપેક્ષાએ ઉપરના બે સમયવાળા સર્વોત્કૃષ્ટ અન્તિમ રસસ્થાન સુધી અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ રસસ્થાનો ઓળંગી-ઓળંગી પછી-પછીના રસસ્થાનોને બાંધનારા જીવો અર્ધા-અર્ધા હોય છે. આવા દ્વિગુણહાનિના સ્થાનો ત્રસ જીવોમાં આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. અને ત્રસના એક દ્વિગુણહાનિના વચ્ચે રહેલા સ્થાનો તેઓના દ્વિગુણહાનિ સ્થાનોથી અસંખ્યગુણ છે. અને ત્રસોના એક દ્વિગુણહાનિના વચમાં રહેલ સ્થાનોથી પણ સ્થાવર પ્રાયોગ્ય સ્થાનોમાં દ્વિગુણહાનિ સ્થાનો અસંખ્યાતગુણા છે. અર્થાત્ સ્થાવર જીવોમાં દ્વિગુણહાનિના સ્થાનો ધણા છે. અને તેનાથી એક દ્વિગુણ હાનિના વચ્ચે રહેલા સ્થાનો ઓછા છે. અહીં સ્વભાવિક એવી શંકા થાય છે ...ત્રસ જીવો નિરંતર આવલિકાના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્યાત સમય જેટલાં સ્થાનોને જ બાંધે છે. ત્યાર પછી એક, બે, યાવતુ અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ સ્થાનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy