SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ કર્મપ્રકૃતિ જો કે ષસ્થાનની અંદર મૂળ સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનો કંડક પ્રમાણ અસંખ્યાતા છે. તે જ પ્રમાણે મૂળ સંખ્યાતગુણ વૃદ્ધસ્થાનો પણ કંડક પ્રમાણ અસંખ્યાતા છે અને તે દરેકની વચ્ચે અનંતભાગ વૃદ્ધાધિક સ્થાનો અસંખ્યાતીવાર આવે છે. પણ મૂળ સંખ્યાતભાગ વૃદ્ધિવાળા સ્થાનોમાં જ સંખ્યાતગુણ અને અસંખ્યાતગુણ વૃદ્ધસ્થાનો થઇ જાય છે. માટે પૂર્વ પૂર્વના વૃદ્ધિવાળા સ્થાનોની અપેક્ષાએ સંખ્યાતાભાગ અને સંખ્યાતગુણ વૃદ્ધસ્થાનો અસંખ્યાતગુણ નથી પણ સંખ્યાતગુણ છે. મૂળ સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનોમાં જ સંખ્યાતભાગ વૃદ્ધ, સંખ્યાતગુણ વૃદ્ધ અને અસંખ્યાતગુણ વૃદ્ધ સ્પર્ધકો કેમ હોય છે ? તે અસત્કલ્પનાએ કંડકની મોટી સંખ્યા લઇ આ રીતે સમજી શકાશે... અહીં ૫૦ની સંખ્યાને કંડક, પની સંખ્યાને ઉત્કૃષ્ટ સંખ્યાત અને સંખ્યાતભાગ વૃદ્ધ પ્રથમ સ્થાનની પહેલાના સ્થાનમાં કુલ સ્પર્ધકો અનંત હોવા છતાં અસત્કલ્પનાએ ૫૦૦ સમજવા. તે ૫૦૦ ને ઉત્કૃષ્ટ સંખ્યારૂપ ૫ વડે ભાગતાં ૧૦૦ આવે તે ૧૦૦ અધિક કરવાથી પ્રથમ સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનમાં ૬૦૦, અને ફરીથી બીજું સંખ્યાતભાગ વૃદ્ધસ્થાન આવે ત્યારે ૧૦૦ વધવાથી ૭૦૦, એમ ત્રીજા, ચોથા અને પાંચમા સ્થાનમાં પણ સંખ્યાતભાગ રૂપે સો-સો સ્પર્ધકો વધવાથી કુલ ૧૦૦૦ થાય. અને વચ્ચે જે અનંતભાગ વૃદ્ધ તથા અસંખ્યાતભાગ વૃદ્ધસ્થાનો આવે છે. ત્યાં પણ થોડા થોડા સ્પર્ધકો વધે છે. માટે પાંચમા મૂળ સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનમાં હજારથી પણ અધિક સ્પર્ધકો થાય છે એટલે ૫૦૦ની અપેક્ષાએ જે હજારથી અધિક સ્પર્ધકો છે તે સંખ્યાતભાગ અધિક નથી પણ સંખ્યાતગુણ અધિક છે અને તે પાંચમાં સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનની પહેલા ૪ વખત બધા સ્થાનો આવે છે. તેથી હજુ મૂળ સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનો ૪૬ બાકી હોવા છતાં પાંચમા સ્થાનથી આવતા બધા સ્થાનો પૂર્વના સ્થાનોની અપેક્ષાએ સંખ્યાતગુણવૃદ્ધ છે. ઉત્કૃષ્ટ સંખ્યાતરૂપ પાંચમા સ્થાનમાં સાધિક બમણા, (૫૦૦X૨= ૧000 થી અધિક) દસમા સ્થાનની અંદર સાધિક ત્રણ ઘણા (૫૦૦૩= ૧૫૦૦થી અધિક) પંદરમા સ્થાનની અંદર સાધિક ચાર ઘણા (૫૦૦૮૪= ૨૦૦૦થી અધિક) અને વીસમા સ્થાનની અંદર સાધિક પાંચ ગણા થાય છે.(૫૦૦X૫= ૨૫૦૦ થી અધિક) અહીં પાચની સંખ્યાને ઉત્કૃષ્ટ સંખ્યાત કલ્પેલ હોઇ આ વીસમા સ્થાનની અંદર સાધિક પાંચ ગણા સ્પર્ધકો હોવાથી સંખ્યાતગુણ નથી, પણ અસંખ્યાતગુણ છે. તેથી જ ઉત્કૃષ્ટ સંખ્યાતીવાર મૂળ ઉત્કૃષ્ટ સંખ્યાતા સ્થાનના અંતિમ સ્થાનની પહેલાના બધા સ્થાનો સંખ્યાતગુણ વૃદ્ધ સ્પર્ધકવાળા છે. અને તે પૂર્વના સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનોની સંખ્યા પ્રમાણ ઉત્કૃષ્ટ સંખ્યાતવાર આવે છે. તેથી સંખ્યામભાગ વૃદ્ધ સ્થાનોથી સંખ્યાતગુણ વૃદ્ધસ્થાનો સંખ્યાતગુણા છે. હજી મૂળ સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનો કંડક પ્રમાણ અસત્કલ્પનાએ ૫૦ કલ્પેલા છે. તેમાંના ૩૧ સ્થાનો બાકી છે. વીસમા સ્થાનમાં જ સાધિક પાંચ ગુણા હોવાથી અસંખ્યાતગુણ થઇ જાય છે. તેથી તે પછીના બાકી રહેલ મૂળ સંખ્યાતભાગ વૃદ્ધિવાળા ૩૦ સ્થાનોમાં અસંખ્યાતગુણ વૃદ્ધ સ્પર્ધકો હોવાથી મૂળ સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનોમાં જ આ પ્રમાણે સંખ્યાતભાગ વૃદ્ધ વગેરે ત્રણ પ્રકારની વૃદ્ધિ ધટી શકે છે. અને ત્યારપછીના અનંતગુણ વૃદ્ધ પ્રથમ સ્થાનની પહેલાંના મૂળ સંખ્યાતગુણ વૃદ્ધસ્થાનો અને તેની વચ્ચે આવતાં અનંતભાગ વૃદ્ધ વગરે ત્રણ પ્રકારના સ્થાનો તેમજ અસંખ્યાતગુણ વૃદ્ધિવાળા મૂળ સ્થાનો અને તેની વચ્ચે આવતાં અનંતભાગ વૃદ્ધ વગેરે ચારે પ્રકારના સ્થાનો અસંખ્યાતગુણ વૃદ્ધ જ છે. અને તે બંન્ને પ્રકારના તેમજ જે ૨૦મા મૂળ સંખ્યાતભાગ વૃદ્ધસ્થાનથી અસંખ્યાતગુણ વૃદ્ધ સ્પર્ધકો થયા છે. તે બાકી રહેલ ૩૦ મૂળ સંખ્યાતભાગ વૃદ્ધના સ્થાનો પણ અસંખ્યાતગુણ વૃદ્ધ સ્પર્ધકો વાળા છે. માટે જ સંખ્યાતગુણ વૃદ્ધસ્થાન કરતાં અસંખ્યાતગુણ વૃદ્ધસ્થાનો અસંખ્યાતગુણા છે. અને તેની અપેક્ષાએ પ્રથમ અનંતગુણ વૃદ્ધના સ્થાનથી ષસ્થાનની સમાપ્તિ સુધીના બધા સ્થાનો પૂર્વ-પૂર્વના સ્થાનની અપેક્ષાએ યથાસંભવ છએ પ્રકારની વૃદ્ધિવાળા હોવા છતાં અહીં અનંતગુણ વૃદ્ધ સ્પર્ધકવાળા છે. અને તે પૂર્વના સ્થાનો કરતાં અસંખ્યાતવાર આવતાં હોવાથી અસંખ્યાતગુણા છે. અહીં સુધી રસબંધના સ્થાનોનું તથા તેના કારણભૂત અધ્યવસાય સ્થાનોનું સ્વરૂપ બતાવ્યું. પણ હવે એ રસસ્થાનોને બાંધનારા બંધકપણે વર્તતાં જીવોનો વિચાર કરવાનો છે. ઇતિ અવિભાગાદિ ૧૪ અનુયોગ દ્વારોનું સ્વરૂપ સમાપ્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy