SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ કર્મપ્રકૃતિ (૧૧) યવમધ્ય પ્રરૂપણા - જેમ યવનો મધ્ય ભાગ જાડો અને બે બાજુ પાતળો હોય છે. તેમ જઘન્યથી ઉત્કૃષ્ટ સુધીના અધ્યવસાયો અથવા રસસ્થાનોની એક લાઈન કરીએ તો તેમાં વચલા અધ્યવસાયો અને રસસ્થાનો કાળની અપેક્ષાએ આઠ સમયવાળા હોવાથી જાડો અને બન્ને બાજુના ક્રમશ: હીન હીન કાળવાળા હોવાથી પાતળો આકાર થાય છે. તેથી જ આઠ સમયવાળા અધ્યવસાયોને યવમધ્ય કહેવાય છે. નીચેના ૭ સમયના કાળવાળા છેલ્લા અધ્યવસાયની અપેક્ષાએ ૮ સમયના કાળવાળા અધ્યવસાયોમાંનો પ્રથમ અધ્યવસાય અનંતગુણ વૃદ્ધ હોય છે. તેથી તેની પછીના ૮ સમયવાળા બધા અધ્યવસાય સ્થાનો અનંતગુણ વૃદ્ધ હોય છે. અને ઉપરના ૭ સમયના કાળવાળા અધ્યવસાયોમાંના પહેલાં અધ્યવસાયથી ૮ સમયના કાળવાળા અધ્યવસાયોમાંનો છેલ્લો અધ્યવસાય અનંતગુણહીન હોય છે. તેથીજ તેના પહેલાના ૮ સમય કાળવાળા બધા અધ્યવસાયો અનંતગુણહીન હોય છે. માટે જ ૮ સમયવાળા અધ્યવસાયો અનંતગણ વૃદ્ધિ અને હાનિ એમ બન્નેમાં પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે શરૂઆતના ૪ સમય કાળવાળા અને છેલ્લા બે સમયના કાળવાળા અધ્યવસાયો છોડી બાકીના ૫ થી ૩ સમય સુધીના કાળવાળા દરેક અધ્યવસાયો અનંતગુણ વૃદ્ધિ અને હાનિ એમ બન્નેમાં પ્રાપ્ત થાય છે. પરંતુ શરૂઆતના ૪ સમયવાળા અધ્યવસાયો કેવળ અનંતગણ હાનિમાં અને ઉપરના બે સમયવાળા અધ્યવસાયો ફકત અનંતગુણ વૃદ્ધિમાં જ પ્રાપ્ત થાય છે. અહીં શરૂઆતના ૪ થી છેલ્લા ૨ સમય સુધીના કાળવાળા દરેક અધ્યવસાયો સામાન્યથી અસંખ્યાતાના અસંખ્યાતા ભેદો હોવાથી ૮ સમયવાળા સૌથી થોડા છે. તે થકી તેની બન્ને બાજા-૭-૬-૫ અને ૪ સમયના કાળવાળા અધ્યવસાયો અનુક્રમે એક-એક થી અસંખ્યાતગુણ અને બન્ને બાજુના પરસ્પર તુલ્ય હોય છે. તે થકી ઉપરના ૩ અને ૨ સમયવાળા પણ અનુક્રમે અસંખ્યાતગુણા છે. એક સમયે સૂક્ષ્મ અગ્નિકાયમાં ઉત્પન્ન થતા જીવો અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ છે. તે થકી સૂક્ષ્મ અગ્નિકાયરૂપે રહેલ સર્વ જીવો, તેથી તેઓની કાયસ્થિતિ અને તેના કરતાં રસબંઘના સ્થાનો (અથવા સર્વ રસબંધના અધ્યવસાયો) ક્રમશઃ એક એકથી અસંખ્યાતગુણ છે. . ૧૨. ઓજોયુગ્મ :- ઓજ એટલે એક, ત્રણ, પાંચ વગેરે એકી સંખ્યા અને યુગ્મ એટલે ૨-૪-૬ વગેરે બેકી સંખ્યા અને તેના કુલ કલ્યોજ , દ્વાપરયુગ્મ, ત્રેતૌજ અને કૃતયમ્ એમ ૪ પ્રકાર છે. કોઇ પણ અમુક રાશિને ચારે ભાગવાથી એક શેષ રહે તે કલ્યોજ - જેમ-૧૩, ચારે ભાગવાથી બે શેષ રહે તે દ્વાપરયુગ્મ જેમ-૧૪, ચારે ભાગવાથી ત્રણ શેષ રહે તે ત્રેતોજ જેમ ૧૫ અને ચારે ભાગવાથી કાંઇ પણ બાકી ન રહે તે મૃતયુગ્મ જેમ ૧૨ કે ૧૬. અહીં અનુભાગના વિચારમાં રસાવિભાગો, વર્ગણાઓ, સ્પર્ધકો, રસસ્થાનો, કંડકો અને ષસ્થાનોની સંખ્યા કૃતયુગ્મ સંજ્ઞાવાળી છે. અર્થાતું અવિભાગાદિ દરેકને ચારે ભાગીએ તો કાંઇ પણ શેષ રહેતું નથી. ૧૩. પર્યવસાન પ્રરૂપણા:- અનંતગુણ વૃદ્ધિવાળા કંડકનું છેલ્લું સ્થાન એ પર્યવસાન અર્થાતુ ષસ્થાનનો છેડો છે. કારણ કે કંડકના છેલ્લા અનંતગુણ વૃદ્ધસ્થાનની પછી અનંતભાગ વૃદ્ધાદિક પાંચ પ્રકારના સ્થાનો આવે છે અને ત્યાં પ્રથમ સ્થાન પૂર્ણ થાય છે. એમ દરેક ષસ્થાનમાં છેલ્લું અનંતગુણ વૃદ્ધસ્થાન એ પર્યવસાન છે. ૧૪. અલ્પબહુત પ્રરૂપણા :- આ અલ્પબદુત્વનો વિચાર અનંતરોપનિધા અને પરંપરોપનિધાથી બે પ્રકારે છે. ત્યાં પ્રથમ અનંતરોપનિધાએ અનંતગણ વૃદ્ધિવાળા સ્થાનોથી અસંખ્યાતગુણ વૃદ્ધિવાળા સ્થાનો અસંખ્યાતગુણ હોય છે. કારણકે અસતુકલ્પનાએ ષસ્થાનના કોષ્ટકમાં ૬ અંકથી બતાવ્યા પ્રમાણે અનંતગુણવૃદ્ધના સ્થાનો કંડક પ્રમાણ અર્થાત્ ચાર છે. ત્યારે પાંચ અંકથી બતાવેલ અસંખ્યાતગુણ વૃદ્ધસ્થાનો કુલ ૨૦ છે. અને તે ચારની અપેક્ષાએ કંડકવર્ગ અને કંડક પ્રમાણ-અસંખ્યાતગુણ છે. એ જ પ્રમાણે અસંખ્ય ગુણ વૃદ્ધ, સંખ્યાતગુણ વૃદ્ધ, સંખ્યાતભાગ વૃદ્ધ અસંખ્યાતભાગ વૃદ્ધ અને અનંતભાગ વૃદ્ધસ્થાનો અનુક્રમે એક એક થી અસંખ્યાતગુણ છે. સર્વ ઠેકાણે પૂર્વની સંખ્યાને કંડકે ગુણી અને એક કંડક સંખ્યા ઉમેરવાથી જેટલી સંખ્યા થાય તેટલાં છે. પરંપરોપનિધાએ.અલ્પબદુત્વની વિચારણા કરતાં પહેલાં નીચેની હક્કીત બરાબર સમજવાની આવશ્યકતા છે. કારણ કે તે બરાબર સમજાય તો જ પરંપરોપનિધાએ બતાવેલ અલ્પબહુત બરાબર સમજી શકાય.... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy