SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૧૯ સંખ્યા આવે તેટલી સંખ્યા અધિક કહેવી. જ્યાં અનંતભાગાધિક બતાવેલ હોય ત્યાં પૂર્વની સંખ્યાને સર્વ જીવરાશિ પ્રમાણ અનંત સંખ્યા વડે ભાગવાથી જે સંખ્યા આવે તેટલી સંખ્યા અધિક સમજવી. અને જ્યાં અનંતગુણાધિક બતાવેલ હોય ત્યાં પૂર્વની સંખ્યાને સર્વ જીવરાશિ વડે ગુણતાં જેટલી સંખ્યા આવે તેટલી સંખ્યા અધિક સમજવી. અહીં પ્રશ્ન થાય છે કે પ્રથમના ષડ્થાનમાં પ્રથમ અનંતગુણ વૃદ્ધ સ્થાનની પહેલાના બધા સ્થાનોમાં સર્વ જીવરાશિ પ્રમાણ અનંત સ્પર્ધકો હોતા જ નથી. કારણકે અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ સ્પર્ધકોનું પ્રથમ સ્થાન થાય છે અને ત્યાર બાદ પણ અસંખ્યાતગુણ વૃદ્ધના કંડક સુધી ક્યાંય પણ અનંત સ્પર્ધકો વધતા ન હોવાથી સર્વત્ર અભવ્યથી અનંતગુણા સ્પર્ધકો હોય છે અને આ સંખ્યાથી સર્વ જીવરાશિની અનંત સંખ્યા ઘણી જ મોટી છે, તેથી અભવ્યથી અનંતગુણ એવી પૂર્વની સંખ્યાને સર્વ જીવરાશિ પ્રમાણ અનંત સંખ્યાથી ભાગી શકાય જ નહીં, તો અનંતભાગ વૃદ્ધ સ્થાનો કેવી રીતે ઘટી શકે ? તેના ઉત્તરમાં સમજવું કે પ્રથમના ષસ્થાનમાં રહેલ પ્રથમ અનંતગુણ વૃદ્ધિવાળા સ્થાનની પહેલાના કોઈપણ સ્થાનોમાં રહેલ સ્પર્ધકોને સર્વ જીવરાશિથી ભાગી શકાય નહીં. એ વાત સાચી છે, પરંતુ આવા સ્થાનો બહુ અલ્પ હોવાથી તેની વિવક્ષા કરી નથી અને આ જ પ્રથમ ષસ્થાનના પ્રથમ અનંતગુણ વૃદ્ધસ્થાન પછીના બધા સ્થાનોમાં અને બીજા વગેરે બધા ષસ્થાનોના કોઈપણ સ્થાનના સ્પર્ધકોને સર્વ જીવરાશિથી ભાગી શકાય છે. તે જ પ્રમાણે સંયમશ્રેણિ, શ્રુતિકેવલી વગેરેના સ્વરૂપમાં અનેક ઠેકાણે ષસ્થાનો સંભવે છે, ત્યાં સર્વત્ર ઘણી મોટી સંખ્યા હોવાથી પૂર્વની સંખ્યાને સર્વ જીવરાશિથી ભાગી શકાય છે. માટે કોઈ દોષ નથી. (૮) અધસ્તનસ્થાન પ્રરૂપણા :- ભાષાંતરમાં ગાથા-૩૭ના ટીકાર્થ તથા ટી.નં.૯૦માં આંકડા સહિત લખેલ છે. તે સમજી લેવું. (૯) વૃદ્ધિ પ્રરૂપણા :- અધ્યવસાય દ્વારમાં બતાવ્યા પ્રમાણે કોઈ પણ એક કાષાયિક અધ્યવસાયથી એક રસસ્થાન બંધાય છે. એટલે કાષાયિક લેશ્યા મિશ્રિત અધ્યવસાય કારણ છે અને રસબંધસ્થાન તેનું કાર્ય છે. તેમ જ કાષાયિક અધ્યવસાયોની તરતમતા ઉપર રસબંધની તરતમતાનો આધાર છે. કોઈ પણ જીવને કાષાયિક અધ્યવસાયો હંમેશ માટે સમાન હોતા નથી. પરંતુ અનંતભાગ અધિક વગેરે છ પ્રકારની વૃદ્ધિવાળા અને અનંતભાગહીન વગેરે છ પ્રકારની હાનિવાળાં હોય છે. તેથી તે અધ્યવસાયો દ્વારા બંધાતા રસમાં પણ ૬ પ્રકારની વૃદ્ધિ અને ૬ પ્રકારની હાનિ સંભવે છે. નિરંતર કોઈ પણ આત્મા અનંતભાગ અધિક અધિક વૃદ્ધિએ રસ બાંધે તો ઉત્કૃષ્ટથી કેટલો કાળ બાંધે ? તેમજ નિરંતર અનંતભાગ હીન હીન ૨સ બાંધે તો પણ ઉત્કૃષ્ટથી કેટલો કાળ બાંધે ? એ જ પ્રમાણે બાકીની પાંચ પ્રકારની વૃદ્ધિએ અથવા હાનિએ જો નિરંતર રસ બાંધે તો ઉત્કૃષ્ટથી કેટલો કાળ સુધી બાંધે ? તેનો અહીં વિચાર કરવામાં આવે છે. ત્યાં કોઈ પણ જીવ અનંતગુણ વૃદ્ધ અથવા અનંતગુણ હીન રસબંધ ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત કાલ પ્રમાણ, અને શેષ અનંતભાગ વૃદ્ધાદિક પાચં પ્રકારે વૃદ્ધ અને અનંતભાગ હીનાદિક પાંચ પ્રકારે હીન રસબંધ પણ નિરંતર ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગના કાળ પ્રમાણ કરે છે. ત્યારબાદ અવશ્ય અન્ય પ્રકારે વૃદ્ધ અથવા હીન રસબંધ કરે છે, જઘન્યથી દરેક વૃદ્ધિ હાનિનો કાળ એક અથવા બે સમય છે. (૧૦) સમય પ્રરૂપણા :- (અવસ્થાનકાળ) ઉપર બતાવેલ કોઈ પણ પ્રકારનો અધિક કે ઓછો ૨સબંધ ન કરે તો એક સરખો ૨સબંધ કેટલો કાળ કરે ? તે અહીં વિચારવાનું છે. ત્યાં સર્વ જધન્ય ૨સસ્થાનથી યાવત્ શરૂઆતના અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયોમાંનો કોઈ પણ એક અધ્યવસાય ઉત્કૃષ્ટથી ચાર સમય સુધી રહી શકે છે. એ જ પ્રમાણે ત્યાર પછીના અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયો પાંચ સમય, ત્યાર પછીના તેટલાં જ અધ્યવસાયો છ સમય, ત્યાર પછીના તેટલાં જ સાત સમય, ત્યાર પછીના તેટલાં જ આઠ સમય સુધી અને ત્યારપછી ઉપર ઉપરના તેટલાં અધ્યવસાયો અનુક્રમે ૭-૬-૫-૪-૩ અને ૨ સમય કાળ સુધી વધુમાં વધુ ટકી શકે છે. ત્યારબાદ અધ્યવસાય અને ૨સબંધ પણ નક્કી બદલાઈ જાય છે. જઘન્યથી દરેક અધ્યવસાય એક સમય રહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy