SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ (પ) સ્થાન પ્રરૂપણા :- સર્વ જીવરાશિથી અનંતગુણ અધિક એટલે અસત્કલ્પનાથી ૧૭-૧૭ ૨સાવિભાગવાળા પરમાણુઓનો સમુદાય તે બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણા. તેથી એક અધિક એટલે ૧૮ ૨સાવિભાગવાળા પરમાણુઓનો સમુદાય તે બીજી, તેથી એક અધિક એટલે ૧૯ ૨સાવિભાગવાળા પરમાણુઓનો સમુદાય તે ત્રીજી અને તેથી પણ એક અધિક એટલે ૨૦ ૨સાવિભાગવાળા પરમાણુઓનો સમુદાય તે ચોથી વર્ગણા. એમ એક-એક રસાવિભાગની વૃદ્ધિએ ખરી રીતે અભવ્યથી અનંતગુણ અનંતી વર્ગણાઓ હોવા છતાં અસત્કલ્પનાથી આ ચાર વર્ગણાઓનો સમુદાય તે બીજાં સ્પર્ધક. આ સ્પર્ધકની છેલ્લી વર્ગણાના ૫૨માણુઓમાં જે ૨સાવિભાગ છે તેનાથી એક-બે યાવતુ સંખ્યાત - અસંખ્યાત કે અનંત અધિક રસાવિભાગવાળા પરમાણુઓ હોતા જ નથી. પરંતુ સર્વ જીવરાશિથી અનંતગુણ અધિક રસાવિભાગવાળા પરમાણુઓ હોય છે, તેથી પુન: સર્વજીવરાશિથી અનંતગુણ અંતર પડે છે. ૨૧૮ સર્વ જીવરાશિથી અનંતગુણ એટલે કે અસત્કલ્પનાએ-૭ રસાવિભાગ અધિક અર્થાત્ ૨૭ ૨સાવિભાગવાળા પરમાણુઓનો સમુદાય તે ૩જા સ્પર્ધકની પ્રથમ વર્ગણા છે, તેથી એક-એક રસાવિભાગ અધિક ૫૨માણુઓવાળી પ્રથમ સ્પર્ધકની જેમ અહીં પણ અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ અનંતી વર્ગણાઓ હોવા છતાં અસત્કલ્પનાથી ૨૭-૨૮-૨૯ અને ૩૦ ૨સાવિભાગવાળા પરમાણુઓના સમુદાય રૂ૫ ૪ વર્ગણાઓનું ત્રીજું સ્પર્ધક થાય છે. ત્યારબાદ સર્વ જીવરાશિથી અનંતગુણ અંતર પડે છે. પછી એજ પ્રમાણે અભવ્યથી અનંતગુણ સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ વર્ગણાનું ચોથું સ્પર્ધક થાય છે. અસકલ્પનાથી સર્વ જીવરાશિથી અનંતગુણ એટલે ૭ અધિક કરતાં ૩૭-૩૮-૩૯-૪૦ રસાવિભાગવાળા પરમાણુઓના સમુદાય રૂ૫ ૪ વર્ગણાઓનું ચોથું સ્પર્ધક થાય છે. એમ વાસ્તવિક રીતે અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ સ્પર્ધકોનું એક રસસ્થાન થાય છે. પરંતુ અસત્કલ્પનાથી અહીં અભવ્યથી અનંતગુણ=૪ની સંખ્યા લીધેલ હોવાથી આ ૪ સ્પર્ધકોનું સર્વ જઘન્ય રસવાળું પ્રથમ રસસ્થાન થાય છે એમ સમજવું. વિવક્ષિત સમયે ગ્રહણ કરેલ સર્વ કર્મ પરમાણુઓમાં જેટલો રસ સમૂહ હોય તેને એક રસસ્થાન કહેવાય છે. (૬) કંડક પ્રરૂપણા :- સર્વ જઘન્ય રસસ્થાનમાં રહેલા સ્પર્ધકોથી અનંતભાગ અધિક સ્પર્ધકોવાળું બીજાં રસસ્થાન હોય છે અને બીજા રસસ્થાનના સ્પર્ધકોથી અનંતભાગ અધિક સ્પર્ધકોવાળું ત્રીજું રસસ્થાન. એમ પૂર્વ-પૂર્વના સ્થાનમાં રહેલ સ્પર્ધકોથી પછી પછી સ્થાનમાં અનંતભાગ અધિક-અધિક સ્પર્ધકો હોય છે. કુલ્લે આવા સ્થાનો અંગુલ માત્ર ક્ષેત્રના આકાશપ્રદેશોના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશો જેટલાં હોય છે. અને તે અનંતભાગ વૃદ્ધ કંડક કહેવાય છે. કંડક એટલે અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશ પ્રમાણ અસંખ્યાતી સંખ્યા. (૭) ષસ્થાન પ્રરૂપણા :- આ અનંતભાગ વૃદ્ધના કંડકના છેલ્લા સ્થાનમાં જેટલાં સ્પર્ધકો છે તેની પછી અસંખ્યાતભાગ અધિક સ્પર્ધકોવાળું એક સ્થાન હોય છે. ત્યાર બાદ પુન: અનંતભાગ વૃદ્ધ સ્પર્ધકવાળા નિરંતર કંડક પ્રમાણ સ્થાનો અને ત્યારબાદ પુનઃ અસંખ્યાતભાગ વૃદ્ધનું એક સ્થાન હોય છે. એમ વારંવાર નિરંતર કંડક પ્રમાણ અનંતભાગ વૃદ્ધના સ્થાનો અને અસંખ્યાતભાગ વૃદ્ધનું એક એક સ્થાન ત્યાં સુધી હોય છે કે યાવત્ વચ્ચે વચ્ચે આવતા અસંખ્યાતભાગ વૃદ્ધના સ્થાનો એક કંડક પ્રમાણ થાય. એમ સંખ્યાતભાગ વૃદ્ધ, સંખ્યાતગુણ વૃદ્ધ, અસંખ્યાતગુણ વૃદ્ધ અને અનંતગુણ વૃદ્ધ એ છ પ્રકારના સ્થાનો અને પછી અનંતગુણ વૃદ્ધ વિના પાંચ પ્રકારના સ્થાનોના અંત સુધીનું નામપ્રત્યય સ્પર્ધકના વિચારમાં બતાવ્યા પ્રમાણે પ્રથમ ષસ્થાન થાય છે. એમ અહીં ૨સબંધમાં પણ કુલ અસંખ્યાત લોકાકાશ પ્રદેશપ્રમાણ ષસ્થાન થાય છે. અહીં ષસ્થાનમાં સંખ્યાતભાગાદિ ત્રણ પ્રકારના ભાગાકાર અને સંખ્યાતગુણાદિ ત્રણ પ્રકારના ગુણાકાર બતાવેલ છે. જ્યાં સંખ્યાતભાગાધિક બતાવેલ હોય ત્યાં પૂર્વની સ્પર્ધક સંખ્યાને ઉત્કૃષ્ટ સંખ્યાથી ભાગતાં જે સંખ્યા આવે તે સંખ્યા અધિક ક૨વી. એ જ પ્રમાણે જ્યાં સંખ્યાતગુણાધિક બતાવેલ હોય ત્યાં પૂર્વની સંખ્યાને ઉત્કૃષ્ટ સંખ્યા વડે ગુણતાં જે સંખ્યા આવે તે સંખ્યા અધિક કરવી. જ્યાં અસંખ્યભાગાધિક કહેલ હોય ત્યાં પૂર્વની સંખ્યાને અસંખ્યાત લોકાકાશપ્રદેશ રાશિ પ્રમાણ અસંખ્યાત સંખ્યા વડે ભાગવાથી જેટલી સંખ્યા આવે તેટલી સંખ્યા અધિક કહેવી. જ્યાં અસંખ્યાતગુણાધિક કહેલ હોય ત્યાં પૂર્વની સંખ્યાને અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ અસંખ્યાતા વડે ગુણવાથી જેટલી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy