SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૧૭ પ્રથમ ગુણઠાણે કષાયો અને અશુભ લેશ્યાઓની તીવ્રતા હોવાથી તે વખતે બંધાતી પાપ પ્રકૃતિઓમાં ઘણો અને પુન્ય પ્રવૃતિઓમાં થોડો રસ પડે છે. તે જ પ્રમાણે ૧૦મા ગુણઠાણે કપાયો અત્યંત અલ્પ અને વેશ્યા અત્યંત શુભ હોવાથી તે વખતે બંધાતા મતિજ્ઞાનાવરણીય વગેરે અશુભ કર્મોમાં અત્યંત ઓછો અને યશકીર્તિ વગેરે શુભ કર્મોમાં અત્યંત વધારે રસ પડે છે....... અધ્યવસાયો શુભ અને અશુભ એમ બે પ્રકારના છે. ૧થી૧૦ ગુણઠાણા સુધી ચડતાં જે અધ્યવસાયો શુભ હોય છે તે જ અધ્યવસાયો ૧૦ થી પ્રથમ ગુણઠાણે આવતાં અશુભ હોય છે. ફક્ત ક્ષપકશ્રેણિગત ૮ થી ૧૦ ગુણઠાણા સુધીના અધ્યવસાયો ચડતી વખતે જ આવે છે માટે તે શુભ હોય છે. પણ ક્ષપકશ્રેણિથી પડવાનો અભાવ હોવાથી તે અધ્યવસાયો પડતી વખતે આવતા ન હોવાથી અશુભ હોતા નથી. તેથી અશુભ અધ્યવસાયો કરતાં ક્ષપકશ્રેણિગત આ ત્રણ ગુણસ્થાનકના શુભ અધ્યવસાયો અધિક હોય છે. (૧) અવિભાગ પ્રરૂપણ :- કપાયવાળા પરિણામ દ્વારા આત્મા જે સમયે કામણ વર્ગણાના જેટલાં કંધો ગ્રહણ કરે છે તે દરેક સ્કંધોના પ્રત્યેક પરમાણુઓમાં ઓછામાં ઓછા પણ સર્વ જીવ રાશિથી અનંતગુણ રસાવિભાગો ઉત્પન્ન કરે છે. અર્થાતુ કેવલિની બુદ્ધિ રૂ૫ શસ્ત્રથી છેદી છેદી એવો અંશ કરે છે જેનો ફરીથી ભાગ પડી શકે જ નહીં તેવા રસના અંશને અવિભાગ પલિચ્છેદ અથવા રસ અવિભાગ કહેવામાં આવે છે. અને તેવા રસાવિભાગો એક એક પરમાણમાં જઘન્યથી પણ સર્વ જીવરાશિથી અનંતગુણ પ્રગટ થાય છે. (૨) વર્ગણા પ્રરૂપણા - એક સમયે ગ્રહણ કરેલ સર્વ કર્મ પરમાણુઓમાં ઓછો-વધતો રસ હોવાથી વર્ગણાઓ અને સ્પર્ધકો વગેરે થાય છે. ઉપર બતાવ્યા પ્રમાણે સર્વ જીવરાશિથી અનંતગુણ જઘન્ય રસાવિભાગવાળા જે પરમાણુઓનો સમુદાય તે પ્રથમ સ્પર્ધકની સર્વ જઘન્ય પ્રથમ વર્ગણા થાય છે. સર્વ જીવરાશિથી અનંતગુણ એ ઘણી મોટી સંખ્યા હોવા છતાં અસતુકલ્પનાએ ૭ની સંખ્યા કલ્પીએ તો ૭-૭ રસાવિભાગવાળા પરમાણુઓનો સમુદાય તે પ્રથમ વર્ગણા. તેથી એકાધિક એટલે આઠ રસાવિભાગવાળા પરમાણુઓનો સમુદાય તે બીજી વર્ગણા, તે એકાધિક એટલે ૯ રસાવિભાગવાળા પરમાણુઓનો સમુદાય ત્રીજી વર્ગણા. અને તેથી પણ એકાધિક એટલે ૧૦ રસાવિભાગવાળા પરમાણુઓનો સમુદાય તે ચોથી વર્ગણા. એમ વાસ્તવિક રીતે એક-એક રસાવિભાગની વૃદ્ધિએ અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ વર્ગણાઓનું એક પ્રથમ સ્પર્ધક થાય છે. તેથી અહીં અસતુકલ્પનાથી અભવ્યથી અનંતગુણ સંખ્યાને ચારની સંખ્યા કલ્પતાં આ ચાર વર્ગણાનો સમુદાય તે પ્રથમ સ્પર્ધક છે. સરખે-સરખા રસાવિભાગવાળા પરમાણુઓનો સમુદાય તે વર્ગણા કહેવાય છે. પ્રતિસમયે ગ્રહણ કરાયેલ કર્મ પરમાણુઓમાં તથાસ્વભાવે જે થોડા-થોડા રસવાળા પરમાણુઓ ઘણા હોય છે અને વધારે વધારે રસવાળા પરમાણુઓ ઓછા - ઓછા હોય છે. અને તેથી જ પ્રથમ વર્ગણામાં રસ ઓછો હોવાથી પરમાણુઓ ઘણા હોય છે અને સર્વાન્તિમ વર્ગણા સુધી પછી પછીની વર્ગણાઓમાં રસાવિભાગો ઘણા ઘણા હોવાથી પરમાણુઓ વિશેષ હીન-હીન હોય છે. (૩) સ્પર્ધક પ્રરૂપણા :- જેમાં વર્ગણાઓ અંતર વિના એક એક રસાવિભાગની વૃદ્ધિ વડે સ્પર્ધા કરતી હોય તેને સ્પર્ધક કહેવાય છે. અને આ પ્રથમ સ્પર્ધકની અંતિમ વર્ગણાના એક એક પરમાણુમાં જેટલાં રસાવિભાગો છે, તે થકી એક-બે યાવતું સંખ્યાત-અસંખ્યાત કે અનંત અધિક રસાવિભાગવાળા પરમાણુઓ હોતા જ નથી. પરંતુ સર્વ જીવરાશિથી અનંતગુણ અધિક રસાવિભાગવાળા પરમાણુઓ હોય છે. અહીં અસતુકલ્પનાથી સર્વ જીવરાશિથી અનંતગુણ સંખ્યાને ૭ની સંખ્યાથી કલ્પી બતાવવામાં આવેલ છે. (૪) અંતર પ્રરૂપણા :- ઉપર બતાવ્યા પ્રમાણે... સર્વ જીવરાશિથી અનંતગુણ અધિક રસાવિભાગવાળા એટલે અસત્કલ્પનાથી ૭ અધિક રસાવિભાગવાળા એટલે ૧૭ રસાવિભાગવાળા જેટલાં પરમાણુઓ હોય તેઓના સમુદાયથી બીજા સ્પર્ધકની શરૂઆત થાય છે. તેથી વાસ્તવિક રીતે સર્વ જીવરાશિથી અનંતગણ અને અસત્કલ્પનાએ ૭નું અંતર પડે છે. Jain Education International For Personal & Private Use Only www.jalnelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy