SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ કર્મપ્રકૃતિ ત્રસવીસકમાંથી જેટલી પ્રકૃતિઓ બંધાતી હોય તે બધી પ્રવૃતિઓને મળે છે. અને તેમાંથી વર્ણ-ગંઘ-રસ અને સ્પેશ નામકર્મને પ્રાપ્ત થયેલ દલિકમાંથી પોતપોતાના પેટા ભેદો પ્રમાણે અનુક્રમે ૫-૨-૫ અને ૮ ભેદો થઇ તેના ૨૦ ભેદોને મળે છે. તેમજ શરીરનામ અને સંઘાતન નામકર્મને મળેલ ભાગમાંથી જ્યારે ૩ શરીર અને ૩ સંઘાતન બંધાતા હોય ત્યારે ત્રણ અને ૪ શરીર-૪ સંઘાતન બંધતા હોય ત્યારે ૪ ભાગ થઇ તે દરેકને મળે છે. એ જ પ્રમાણે અંગોપાંગ નામકર્મને પ્રાપ્ત થયેલ દલિકના પણ જ્યારે એક બંધાતું હોય ત્યારે એકને જ, અને બે બંધાતાં હોય ત્યારે બે ભાગ પડી બન્નેને મળે છે. પરંતુ ત્રણે અંગોપાંગ એકી સાથે બંધાતા નથી. બંધન નામકર્મને પ્રાપ્ત દલિકના જ્યારે ૩ શરીર બંધાતા હોય ત્યારે ૭, અને ૪ શરીર બંધાતાં હોય ત્યારે ૧૧ ભાગ પડી અનુક્રમે-૭ અને ૧૧ને મળે છે. પરતું તેથી વઘારે બંધનો એકી સાથે બંધતાં નથી. આ દલ વિભાજનની સામાન્ય વિધિ છે. પરંતુ જેના જેટલાં ભાગ પડે છે અને જેટલી પ્રકૃતિઓને મળે છે તે દરેકને સમાન જ મળે છે એમ નથી. પરંતુ ૨૮મી ગાથાના ભાષાંતરમાં યંત્ર નંબર-૧૪ના અલ્પબદુત્વના યંત્ર પ્રમાણે ન્યૂનાધિક હોય છે. તેની વિશેષ હકીકતત આગળ પરિશિષ્ટ-૧માં બતાવાશે. હવે સ્થિતિબંધ અને રસબંધનું સ્વરૂપ કહેવાનું છે. પરંતુ સ્થિતિબંધથી રસબંધના સ્વરૂપમાં અધિક કહેવાનું હોવાથી ક્રમનું ઉલ્લંઘન કરી પ્રથમ રસબંધનું સ્વરૂપ કહે છે. | ઇતિ પ્રદેશબંધ સમાપ્ત -: અથ અનુભાગ (રસ) બંધનું સ્વરૂપ : -: અથ અવિભાગાદિ ૧૪ અનુયોગ દ્વારોનું સ્વરૂપ :-) ત્યાં અવિભાગ, વર્ગણા, સ્પર્ધક, અંતર, સ્થાન, કંડક, ષસ્થાન, અધસ્તનસ્થાન, વૃદ્ધિ, સમય, યવમધ્ય, ઓજોયુગ્મ, પર્યવસાન અને અલ્પબહુત પ્રરૂપણા આ ૧૪ અનુયોગ દ્વારો છે. (પંચસંગ્રહમાં અધ્યવસાયને અનુયોગ દ્વારમાં ગણી ૧૫ તારો કહ્યા છે.) (૧) અધ્યવસાયનું સ્વરૂ૫ :- અહીં અનુભાગનો હેતુ કાષાયિક અધ્યવસાય છે. તેથી પ્રથમ અધ્યવસાયનું સ્વરૂપ કહે છે. કર્મ પરમાણુઓમાં શુભ કે અશુભ ફળ આપવાની શક્તિ, તાકાત કે પાવરને અહીં રસ કહેવામાં આવે છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે તે રસ કર્મ પરમાણુઓમાં પહેલાથી જ હોય છે. કે આત્મા કર્મરૂપે ગ્રહણ કરે ત્યારે નવીન ઉત્પન્ન થાય છે? જૈન દર્શનની માન્યતા પ્રમાણે જે પદાર્થમાં જે શક્તિ કે ગુણ સર્વથા હોય જ નહિં. તે શક્તિ કે ગુણ કદાપિ ઉત્પન્ન થતા જ નથી. તેમજ કર્મ પરમાણુઓમાં પહેલાથી પણ તેવો રસ પ્રગટ રૂપે હોઈ શકતો નથી, પણ સત્તા રૂપે અર્થાતુ તિરોભાવે હોય છે, જે વખતે આત્મા કામણ વર્ગણા ગ્રહણ કરી કર્મ રૂપે પરિણાવે છે તે વખતે આત્માનો જેવો તીવ્ર યા મંદ કષાયોદય અને જેવી શુભાશુભ લેશ્યા હોય તેવો રસ પ્રગટ થાય છે. કડવી તુંબડી અથવા લીંબડા જેવો કડવા વિપાકવાળો હોય તે અશુભ અને શેરડી અગર ખાંડ જેવો આહલાદક મધુર વિપાકવાળો હોય તે શુભ રસ છે. ત્યાં પાપ પ્રકૃતિઓમાં અશુભ અને પુન્ય પ્રવૃતિઓમાં શુભ રસ હોય છે. જેમ જેમ કષાયોની અને અશુભ લેગ્યાઓની તીવ્રતા તેમ તેમ તે સમયે બંધાતી પાપ પ્રકૃતિઓમાં તીવ્ર એટલેકે ઉત્કૃષ્ટ અર્થાતું વધારે અને પુન્ય પ્રવૃતિઓમાં ઓછો રસ ઉત્પન્ન થાય છે. અને જેમ જેમ કપાયોની અને અશુભ લેશ્યાઓની મંદતા અથવા શુભ વેશ્યાઓની તીવ્રતા તેમ તેમ તે વખતે બંધાતી પાપ પ્રકતિઓમાં ઓછો અને પુન્ય પ્રવૃતિઓમાં વધારે રસ ઉત્પન્ન થાય છે. કર્મ પરમાણુઓમાં રસને પ્રગટ કરનાર વેશ્યા સહિત કષાયોદયવાળા તીવ્ર-તીવ્રતર-તીવ્રતમ તેમજ મંદ-મંદતર-મંદતમ જે આત્મ પરિણામો તે જ રસબંધના અધ્યવસાયો છે. અને તે અસંખ્યાત લોકાકાશના પ્રદેશ રાશિ પ્રમાણ અસંખ્યાતા છે. ૧૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી શુકુલ વેશ્યા હોવા છતાં કષાયોદય ન હોવાથી ત્યાં બંધાતી સતા-વેદનીયમાં કોઈપણ પ્રકારનો રસ પડતો નથી. પણ એકથી દશ ગુણસ્થાનક સુધી કષાયોદય પણ હોવાથી તે વખતે બંધાતી કર્મ પ્રવૃતિઓમાં રસ ઉત્પન્ન થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy