SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૧૫ જ્ઞાનાવરણીય વગેરે મુળ-૮ અને મતિજ્ઞાનાવરણીય વગેરે ઉત્તર ભેદ સ્થલ રૂપે ૧૫૮ છે. તે દરેક નામો યથાર્થ ગુણવાળા છે. જેમ જ્ઞાનને આવરે તે જ્ઞાનાવરણીય, મતિજ્ઞાનને રોકે તે મતિજ્ઞાનાવરણીય, એમ સર્વત્ર સમજવું. જે સમયે જે કર્મ બંધાય છે તે જ સમયે બંઘાયેલ તે કર્મ આત્મા સાથે કેટલો કાળ કર્મ રૂપે રહેશે તે નક્કી થવું તેને સ્થિતિબંધ કહેવાય છે. જ્ઞાનાવરણીય અથવા તો સાતા-અસાતા વેદનીય વગેરે કર્મો જ્ઞાનને રોકવાનું કે સુખ દુઃખ વગેરે ઉત્પન્ન કરવાનું ફળ કેટલા પ્રમાણમાં બતાવશે તે પ્રમાણ બંઘ સમયે નક્કી થયું તે રસબંધ અથવા અનુભાગબંધ કહેવાય છે. બંધ સમયે જેટલી કાર્પણ વર્ગણા ગ્રહણ થઇ કર્મ રૂપે પરિણામ પામે તે પ્રદેશબંધ કહેવાય છે. અહીં પ્રતિબંધ એ અવયવી છે અને સ્થિતિબંધાદિ ત્રણ તેના અવયવો છે. માટે જ પંચસંગ્રહ બંધનકરણની ગાથા-૪૦માં સ્થિતિબંધાદિ ત્રણના સમુદાયને પ્રકૃતિબંધ કહેલ છે. પરતું નવતત્ત્વાદિ ગ્રંથોમાં પ્રકૃતિનો અર્થ સ્વભાવ કહેલ છે. ઇતિ પ્રકૃતિ બંધાદિનુ સ્વરૂપ સમાપ્ત (- અથ પ્રદેશબંધનું સ્વરૂપ :પ્રકૃતિબંધનું સ્વરૂપ કહીને પ્રદેશબંધનું સ્વરૂપ કહે છે. દરેક સમયે ગ્રહણ કરેલી કાર્મણ વર્ગણાના તે તે સમયે ત્રીજા વિના એકથી સાત ગુણઠણા સુધી આયુષ્ય બંધાય ત્યારે ૮ અને શેષ કાળે તેમજ ૩-૮-૯ મે ગુણઠાણે આયુષ્ય વિના-૭, દશમે આયુષ્ય અને મોહ, વિના-૬, ૧૧થી-૧૩મે એક ભાગ પડે છે. અને તેમાં દરેક કર્મને ભાગ સરખો મળતો નથી. પરતું આયુષ્યને સૌથી અલ્પ, તે થકી નામ અને ગોત્રને વિશેષાધિક અને પરસ્પર સમાન. તે થકી જ્ઞાન દર્શ, અને અતંરાયને વિશેષાધિક અને પરસ્પર સમાન તે થકી મોહનીયને વિશેષાધિક અને તે થકી વેદનીયને વિશેષાધિક ભાગ મળે છે. આનો વિશેષ વિચાર ભાષાંતરમાં ગાથા-૨૫ થી ૨૮ માં કહેલો છે. છતાં નીચે ટુંકમાં લખ્યું અહીં ગ્રહણ કરેલ દલિકમાં સર્વઘાતી રસવાળા અને દેશઘાતી રસવાળા દલિકો કયા કર્મના કેટલાં અને અઘાતી રસવાળા દલિકો કયા કર્મના હોય છે તે કહે છે. - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ જ ઘાતી કર્મો છે. તેથી તેઓનો રસ ઘાતી હોય છે. ત્યાં અંતરાય કર્મમાં કોઇ પ્રકતી સર્વધાતી ન હોવાથી એને મળેલ દલિકના પાંચ ભાગ પડી દાનાન્તરાયાદિક પાંચ અંતરાય રૂપે વહેંચાય છે. બાકીના ત્રણ ઘાતી કર્મોમાં બન્ને પ્રકારની પ્રવૃતિઓ હોવાથી દેશઘાતી અને સર્વઘાતી એમ બન્ને પ્રકારનો રસ હોય છે. તે પોતપોતાના મૂળ કર્મને પ્રાપ્ત થયેલ દલિકોના અનંતમા ભાગ જેટલાં જ સર્વઘાતી રસવાળા દલિકો હોય છે. તેથી જ્ઞાનાવરણીય કર્મને પ્રાપ્ત થયેલ દલિકમાં સર્વઘાતી રસવાળો જે અંનતમો ભાગ છે તેમાંથી અમુક ભાગ કેવલજ્ઞાનાવરણીયને મલે અને શેષ દલિક મન:પર્યવજ્ઞાનાવરણીય વગેરે-૪ પ્રકૃતિઓને મળે છે. એ જ પ્રમાણે દર્શનાવરણીય કર્મને પ્રાપ્ત થયેલ દલિકના અનંતમા ભાગ પ્રમાણ સર્વઘાતી રસવાળા દલિકોમાંથી અમુક ભાગ સર્વઘાતી પ-નિદ્રા અને કેવલદર્શનાવરણ એ છને મળે છે. અને બાકીના દલિક અવધિદર્શનાવરણીય વગેરે ત્રણને મલે છે. મોહનીયકર્મને પ્રાપ્ત થયેલ દલિકના અનંતમા ભાગ પ્રમાણ જે સર્વઘાતી રસવાળા દલિકો છે, તેમાંથી અમુક ભાગના બે ભાગ થઇ એક સંપૂર્ણ ભાગ મિથ્યાત્વમોહનીયને અને બીજા અર્ધા ભાગના ૧૨ ભાગ પડી અનંતાનુબંધિ ક્રોઘાદિ-૧૨ કષાયોને મળે છે. બાકીના સર્વઘાતી અને દેશઘાતી રસવાળા દલિકના બે ભાગ થઇ કષાયમોહનીયને પ્રાપ્ત થયેલ એક ભાગ દલિકના પુન: ૪ ભાગ પડી ચારેય સંજ્વલનને અને નોકષાયમોહનીયને પ્રાપ્ત શેષ એક ભાગ એકી સાથે બંધાતી બેમાંથી એક યુગલ ત્રણ વેદમાંથી એક વેદ અને ભય-જુગુપ્સા એ પાંચ પ્રકૃતિઓને મળે છે. બાકીના ૪ કર્મો અઘાતી હોવાથી તેઓને બધો રસ અઘાતી જ હોય છે. વેદનીય-આયુષ્ય અને ગોત્ર-આ ત્રણે કર્મોની કોઇ પણ સમયે એક જ પ્રકૃતિ બંધાતી હોવાથી પોતપોતાના મૂળ કર્મને પ્રાપ્ત થયેલ સર્વ દલિક તે સમયે બંધાતી એક જ પ્રકૃતિને સંપૂર્ણપણે મલે છે. અને નામકર્મને પ્રાપ્ત દલિકના ભાગ તે સમયે ૧૪-પિંડ-૮ પ્રત્યેક અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy