SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ છે અને પછી અસંખ્યાતગુણ ૨૧૪ કર્મપ્રકૃતિ એમ વારંવાર વચ્ચે વચ્ચે ૩-૩ પ્રકારના સ્થાનો અને એક એક સંખ્યાતગુણ વૃદ્ધનું સ્થાન ત્યાં સુધી આવે કે થાવતુ સંખ્યાતગુણ વૃદ્ધના સ્થાનો પણ એક કંડક પ્રમાણ થાય. ત્યાર બાદ પ્રથમના ક્રમ મુજબ ફરી ત્રણ પ્રકારના બધા સ્થાનો આવી જાય અને સંખ્યાતગુણ વૃદ્ધ સ્થાનનો પ્રસંગ આવે ત્યારે સંખ્યાતગુણ વૃદ્ધ સ્થાન આવતું નથી પણ તેના બદલે પૂર્વના અંતિમ સ્થાનમાં રહેલ સ્પર્ધકોની અપેક્ષાએ અસંખ્યાતગુણ અધિક સ્પર્ધકોવાળું એક સ્થાન આવે છે. ત્યાર બાદ શરૂઆતથી લઈને અહી સુધીમાં જેટલાં સ્થાનો આવેલા છે તે બધા સ્થાનો ફરીથી આવે અને પા વૃદ્ધનું બીજાં સ્થાન આવે, એ પ્રમાણે પહેલા અને બીજા અસંખ્યાતગુણ વૃદ્ધ સ્થાનની વચમાં જે અનંતભાગ વૃદ્ધ વગેરે ૪ પ્રકારના સ્થાનો આવે છે તેટલાં સ્થાનો આવે પછી ત્રીજી વાર એક અસંખ્યાતગુણ વદ્ધનું સ્થાન આવે. " એમ એક એક અસંખ્યાતગુણ વૃદ્ધનું સ્થાન અને તેની વચમાં અનંતભાગાધિક ચારે પ્રકારના સ્થાનો ત્યાં સુધી આવે કે યાવતું અસંખ્યાતગુણ વૃદ્ધના સ્થાનો પણ એક કંડક પ્રમાણ થાય. ત્યાર બાદ ફરીથી અનંતભાગ વૃદ્ધ વગેરે ચારે પ્રકારના સ્થાનો આવે અને પછી ફરીથી અસંખ્યાતગુણ વૃદ્ધ સ્થાનનો પ્રસંગ આવે ત્યારે તેના બદલે અનંતગુણ વૃદ્ધનું એક સ્થાન આવે છે. ત્યાર પછી શરૂઆતથી લઈને અનંતભાગ વૃદ્ધાદિ પાંચ પ્રકારના જેટલાં સ્થાનો આવે છે તે ફરીથી આવે પછી બીજાં અનંતગુણ વૃદ્ધનું એક સ્થાન આવે. પછી પુન: તેટલાં પાંચેય પ્રકારના સ્થાનો આવે ત્યાર બાદ ત્રીજ અનંતગુણ વૃદ્ધનું સ્થાન આવે એ પ્રમાણે અનંતગુણ વૃદ્ધના સ્થાનો પણ એક કંડક જેટલાં થઈ જાય. ત્યાર બાદ અનંતભાગ વૃદ્ધ વગેરે પાંચેય પ્રકારના સ્થાનો ફરીથી આવે. પણ ત્યારબાદ અનંતગુણ વૃદ્ધનું સ્થાન આવતું નથી. કારણકે ત્યાં આ પ્રથમ ષસ્થાનની સમાપ્તિ થાય છે. ત્યાર પછી પ્રથમ સ્થાનના છેલ્લા સ્પર્ધકની છેલ્લી વર્ગણાના સ્નેહવિભાગથી પણ અનંતભાગ અધિક સ્નેહાવિભાગવાળી બીજા ષસ્થાનના પ્રથમ સ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણાની શરૂઆત થાય છે. અને એ જ ની જેમ બીજું - ત્રીજું યાવતુ અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ ષસ્થાનો થાય છે. તેનો વિશેષ ખ્યાલ ભાષાંતરમાં યંત્ર નંબર ૧૯ના અસત્કલ્પનાથી આપેલ ષસ્થાનાકના અંક સ્થાપનાથી સમજી શકાશે. (પંચસંગ્રહમાં કંડક અને ષસ્થાનનો જુદો અનુયોગ બતાવ્યો છે) (- (૩) પ્રયોગ પ્રત્યય સ્પર્ધક :-) યોગસ્થાન વૃદ્ધિથી જે રસ યોગથી વૃદ્ધિ પામે તે પ્રયોગપ્રત્યય સ્પર્ધક કહેવાય છે. અને આની પ્રરૂપણા નામ પ્રત્યય સ્પર્ધકમાં બતાવ્યા પ્રમાણે અવિભાગાદિ ૬ + કંડક – ષસ્થાનક = ૮ અનુયોગદ્વાર જાણવાં. હવે ત્રણ પ્રકારના સ્પર્ધકોનું અલ્પબહુત આ પ્રમાણે છે. સ્નેહપ્રત્યય સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં નેહાવિભાગો સર્વથી અલ્પ છે, તે થકી તે જ સ્પર્ધકની છેલ્લી વર્ગણામાં નેહાવિભાગો અનંતગુણ છે. તે થકી નામપ્રત્યયની પ્રથમ સ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણાના કુલ સ્નેહવિભાગો અનંતગુણ છે. તેથી એ જ નામપ્રત્યય સ્પર્ધકના છેલ્લા સ્થાનના છેલ્લા સ્પર્ધકની છેલ્લી વર્ગણાના કુલ સ્નેહાવિભાગો અનંતગુણ છે. તે થકી પ્રયોગપ્રત્યયમાં પ્રથમ સ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં રહેલ સકલ સ્નેહાવિભાગો અને તે થકી તેના અન્ય સ્થાનના અન્ય સ્પર્ધકની અન્ય વર્ગણામાં રહેલ બધાય નેહાવિભાગો ક્રમથી અનંતગણ છે. ઇતિ સ્નેહ પ્રરૂપણા સમાપ્ત (- અથ પ્રકૃતિબંધાદિનું સ્વરૂપ :-) તેરમાં ગુણસ્થાનક સુધીના દરેક આત્માઓ યોગના અનુસાર સમયે સમયે અનંતી કામણ વર્ગણાઓ ગ્રહણ કરે છે. ગ્રહણ કરતી વખતે બધી કાર્મણ વર્ગણાઓ સમાન હોવા છતાં ગ્રહણ કરનાર આત્માના અધ્યવસાય પ્રમાણે તેમાં જુદા જુદા સ્વભાવો ઉત્પન્ન થાય છે. જુદા જુદા સ્વભાવો પ્રગટ થવાથી કર્મના પણ મૂળ અને ઉત્તર ભેદોની અપેક્ષાએ અનેક પ્રકારો થાય છે. જેમ દુધ અને દહીંનો સ્વભાવ જુદો જુદો હોવાથી તે બન્ને વસ્તુ પણ જુદી છે. તેમ કર્મ રૂપે સમાન હોવા છતાં સ્વાભાવમાં ભેદથી તેમાં પણ અનેક ભેદો હોય છે અને તે જ પ્રકૃતિબંઘ કહેવાય છે. અહીં અનુભાગનો અર્થ સ્વભાવ કરેલો છે. બંધનકરણના સામર્થ્ય રૂપ અધ્યવસાય વિશેષથી આત્મા કાર્મણ વર્ગણા ગ્રહણ કરી આત્મપ્રદેશો સાથે દુધ અને જલની જેમ એકમેક રૂપ સંબંધ કરે છે. ત્યારે તે કર્મ કહેવાય છે અને તે કર્મના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy