SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૧૩ અસંખ્યાતભાગ અધિક અને તે જ સ્પર્ધકની છેલ્લી કેટલીકમાં વર્ગણાઓમાં સંખ્યાતભાગ અધિક.... એમ ત્રણ પ્રકારની વૃદ્ધિ સંભવે છે. પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણાની અપેક્ષાએ બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં બમણા, ત્રીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં ત્રણ ગુણા, એમ હજારમાં સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં હજારગુણા, લાખમા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં લાખ ગુણા, એ પ્રમાણે અસંખ્યાતમા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં અસંખ્યાતગુણ અને અનંતમા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં અનંતગુણ સ્નેહાવિભાગો હોય છે. તેથી પ્રથમ સ્પર્ધકની કોઈ પણ વર્ગણાના સ્નેહાવિભાગોથી સંખ્યા સ્પર્ધકો સુધીની કોઈપણ વર્ગણામાં સંખ્યાતગુણ, અસંખ્યાત સ્પર્ધકો સુધીની વર્ગણાઓમાં અસંખ્યાતગુણ અને અનંત સ્પર્ધકો સુધીની વર્ગણાઓમાં અનંતગુણ સ્નેહાવિભાગો હોય છે. (૫) વર્ગણા - પુદ્ગલગત સકલ સ્નેહાવિભાગ સમુદાય પ્રરૂપણા - વર્ગણાઓમાં રહેલ બધા પરમાણુઓના સ્નેહાવિભાગો કેટલા થાય તે વિચાર, પ્રથમ શરીરસ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં સ્નેહાવિભાગો સર્વથી અલ્પ છે. તે થકી બીજા સ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં અનંતગુણ છે. એ પ્રમાણે ત્રીજા - ચોથા - યાવતું અંતિમ સ્થાન સુધી પૂર્વ-પૂર્વના શરીરસ્થાનનાં પહેલાં-પહેલાં સ્પર્ધકની પહેલી-પહેલી વર્ગણાના સ્નેહાવિભાગોથી પછી-પછીના સ્થાનના પ્રથમ-પ્રથમ સ્પર્ધકની પહેલી-પહેલી વર્ગણામાં અનંતગુણ હોય છે. () સ્થાન પ્રરૂપ્રણા :- ૩જી - ૪થી પ્રરૂપણામાં બતાવ્યા પ્રમાણે અભવ્યથી અનંતગુણ સ્પર્ધકોનું પ્રથમ સર્વ જઘન્ય એક શરીરસ્થાન થાય છે. ઔદારિકાદિ બંધન નામકર્મના ઉદયથી એક જીવે એક સમયે ગ્રહણ કરેલ સર્વ પુદ્ગલોના સર્વ સ્નેહ સમુદાય વિચાર તે શરીરસ્થાન કહેવાય છે. પ્રથમ શરીરસ્થાનમાં જેટલા સ્પર્ધકો છે તેનાથી અનંતભાગ અધિક સ્પર્ધકોવાળું બીજાં સ્થાન હોય છે અને બીજા સ્થાનમાં જેટલાં સ્પર્ધકો હોય છે તેનાથી પણ અનંતભાગ અધિક સ્પર્ધકોવાળું ત્રીજાં સ્થાન હોય છે. એમ પૂર્વ-પૂર્વ સ્થાનના સ્પર્ધકોની અપેક્ષાએ અનંતભાગ અધિક-અધિક સ્પર્ધકોવાળા નિરંતર અસંખ્ય શરીરસ્થાનો થાય છે. તેથી અનંતભાગ વૃદ્ધ કંડક કહેવાય છે. અંગુલ માત્ર ક્ષેત્રના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશ પ્રદેશોની જે અસંખ્યાતી સંખ્યા છે તે સંખ્યાને કંડક કહે છે. ઉપર બતાવેલ અનંતભાગ વૃદ્ધના કંડક પછી અસંખ્યાતભાગ વૃદ્ધનું એક સ્થાન આવે છે. અર્થાત્ અનંત ભાગ વૃદ્ધ સ્થાનોના કંડકના છેલ્લા સ્થાનમાં જેટલાં સ્પર્ધકો છે તેનાથી અસંખ્યભાગાધિક સ્પર્ધકોનું એક સ્થાન આવે છે. ત્યારબાદ ફરી અનંતભાગ વૃદ્ધ સ્થાનોનું એક કંડક પછી અસંખ્યાતભાગ વૃદ્ધનું એક સ્થાન એમ વારંવાર કંડક પ્રમાણ અનંતભાગ વૃદ્ધ સ્થાનો અને એક એક અસંખ્યાતભાગ વૃદ્ધ ત્યાં સુધી હોય છે કે યાવત્ વચ્ચે વચ્ચે આવેલ અસંખ્યાતભાગ વૃદ્ધ સ્થાનો પણ એક કંડક જેટલાં થાય. ત્યારબાદ પુન:કંડક પ્રમાણ અનંતભાગ વૃદ્ધના સ્થાનો આવે અને પછી સંખ્યાતભાગ વૃદ્ધનું એક સ્થાન આવે, અર્થાત્ છેલ્લા અનંતભાગ વૃદ્ધ કંડકના છેલ્લા સ્થાનમાં જેટલાં સ્પર્ધકો છે તેનાથી સંખ્યાતભાગ અધિક સ્પર્ધકો આ સ્થાનમાં હોય છે. તેથી આ સંખ્યાતભાગ વૃદ્ધ સ્થાન કહેવાય છે. તે પછી મૂળથી જેટલાં સ્થાનો પ્રથમ આવ્યા છે તેટલાં બધા અનંતભાગ વૃદ્ધ કંડકો અને વચ્ચે વચ્ચે અસંખ્યાતભાગ વૃદ્ધના સ્થાનો ફરીથી આવે અને પછી બીજાં સંખ્યાતભાગ વૃદ્ધનું સ્થાન આવે. ત્યારબાદ ફરીથી પહેલા અને બીજા સંખ્યાતભાગ વૃદ્ધ સ્થાનોની વચ્ચે જેટલાં અને જે રીતે અનંતભાગ વૃદ્ધ કંડકો અને અસંખ્યાત વૃદ્ધના સ્થાનો આવ્યા હતાં તેટલાં બધા જ આવે, ત્યારબાદ ત્રીજાં સંખ્યામભાગ વૃદ્ધ સ્થાન આવે. એ પ્રમાણે સંખ્યાતભાગ વૃદ્ધના સ્થાનો પણ વારંવાર ત્યાં સુધી આવે કે તે પણ એક કંડક પ્રમાણ થાય. ત્યાર પછી મૂળથી લઈને જેટલાં સ્થાનો પ્રથમ સંખ્યાતભાગની પહેલાં આવી ગયા તેટલાં બધા સ્થાનો ફરીથી આવે અને ફરીથી સંખ્યાતભાગ વૃદ્ધ સ્થાન આવવાનો પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે તે સ્થાન ન આવતા તેની જગ્યાએ સંખ્યાતગુણ વૃદ્ધ સ્પર્ધકોવાળું સ્થાન આવે છે. ત્યાર પછી મૂળથી અનંતભાગ વૃદ્ધ અસંખ્યાતભાગ વૃદ્ધ અને સંખ્યાતભાગ વૃદ્ધના જે સ્થાનો આવેલા છે તે બધા ફરી આવે અને પછી બીજાં સંખ્યાતગુણ વૃદ્ધ સ્થાન આવે એમ પહેલાં અને બીજા સંખ્યાગણ વૃદ્ધ સ્થાનની વચ્ચે આવેલા અનંતભાગાધિક ત્રણ પ્રકારના બધા સ્થાનો ફરીથી આવે ત્યારે સંખ્યાતગુણ વૃદ્ધનું ત્રીજું સ્થાન આવે. Jain Education International For Personal & Private Use Only www ainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy