SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ લોખંડમાં જેમ સ્વાભાવિક રીતે કાટ લાગેલો હોય છે, તેમ ગુફા, પર્વત અને તેના શિખરો વગેરેમાં તથાસ્વભાવે જ સર્વ જીવ - રાશિથી અનંતગુણ પરમાણુઓવાળી વર્ગણાઓ લાગેલી હોય છે. તેને અચિત્ત મહાકંધ વર્ગણા કહે છે. આ વર્ગણાઓ જગતમાં ઘણી હોય છે. ત્યારે તથાસ્વભાવે જ ત્રસજીવો ઓછા અને જ્યારે ત્રસજીવો ઘણા હોય છે ત્યારે આ વર્ગણાઓ ઓછી હોય છે. એ ઉપરાંત પણ પત્રવણા સૂત્રમાં અનેક પ્રકારે પુદ્ગલ સ્કંધો બતાવેલ છે. પરંતુ પ્રયોજનના અભાવે અહીં બતાવેલ નથી. ૨૧૦ આ સઘળી વર્ગણાઓ ગુણ પ્રમાણે યથાર્થ નામવાલી છે. એક પરમાણુમાં એક સમયે પ્રગટપણે કોઈ પણ એક વર્ણ, એક રસ, એક ગંધ અને શીત - સ્નિગ્ધ, શીત - રુક્ષ, ઉષ્ણ - સ્નિગ્ધ અથવા ઉષ્ણ - રુક્ષ આ બે સ્પર્શ હોય છે. પરંતુ સત્તારૂપે - યોગ્યતારૂપે પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠેય સ્પર્શ હોય છે. માટે જ કેટલાક સ્કંધોમાં પણ વર્ણાદિક ચારેના બધા પેટા ભેદો હોઈ શકે છે. તેમાં ઔદારિક ગ્રહણ વર્ગણાથી આહારક ગ્રહણ સુધીની વર્ગણાઓમાં ૫ વર્ણ, ૨ ગંધ, ૫-૨સ અને ૮ સ્પર્શ હોય છે. અને તે વર્ગણાઓ ગરુ-લઘુ અને બાદર પરિણામી કહેવાય છે. અને આહારક અગ્રહણથી કાર્પણ ગ્રહણ સુધીની વર્ગણાઓમાં ૫-વર્ણ, ૫-૨સ, ૨-ગંધ અને છેલ્લા ૪ સ્પર્શ હોય છે. કેટલાક આચાર્યોના મતે ગુરુ-લઘુ એ ૨ સ્પર્શ અવસ્થિતિ અને છેલ્લા ૪ સ્પર્શમાંથી અવિરોધી એવા કોઈપણ બે એમ કુલ ૪ સ્પર્શ હોય છે. ઇતિ ગ્રાહ્ય અગ્રાહ્ય પુદ્ગલ વર્ગણાનું સ્વરૂપ સમાપ્ત -: અથ સ્નેહ પ્રરૂપણા ઃ પરમાણુ પરસ્પર જોડાવાથી કંધો બને છે. તેથી કંધો બનવા માટે પરમાણુઓમાં કોઇ પણ પ્રકારની સ્નિગ્ધતા અથવા રુક્ષતા હોવી જોઇએ. તત્ત્વાર્થસૂત્રના પાંચમા અધ્યાયમાં કહ્યુ છે. સ્નિપક્ષવાર્ વન્ધ'' સ્નિગ્ધતા અને રુક્ષતાથી પુદ્ગલોનો પરસ્પર સંબંધ થાય છે. જો કે અહીં અને પંચસંગ્રહમાં પણ રુક્ષતાની વાત કરી નથી. પરંતુ માત્ર સ્નિગ્ધતાની જ વાત કરી છે અને તેનું સ્વરૂપ સ્નેહપ્રત્યય સ્પર્ધક વગેરેથી ત્રણ પ્રકારે બતાવેલ છે. પરંતુ રુક્ષતાનું સ્વરૂપ બતાવવામાં આવેલ નથી. છતાં સ્નેહના ઉપલક્ષણથી રુક્ષતાનું પણ ગ્રહણ કરેલ હોય તેમ લાગે છે, અથવા પુદ્ગલોના પરસ્પર સંબંધ થવામાં કારણભૂત જે સ્નિગ્ધતા અને રુક્ષતા છે તે બન્નેને અહીં સ્નેહ શબ્દથી બતાવેલ હોય તેમ લાગે છે. પછી તો બહુશ્રુતો જાણે...વળી ટીકામાં સ્નેહના બદલે ઘણા ઠેકાણે ૨સ શબ્દનો પ્રયોગ કરેલ છે. પરંતુ કર્મ પરમાણુઓમાં કષાયજનિત પરિણામ દ્વારા ગ્રહણ સમયે જે શુભાશુભ ફળ આપવાની શકિતરૂ૫ ૨સ કહેવાય છે. તે રસનું સ્વરૂપ અનુભાગ બંધના પ્રસંગે આગળ બતાવશે. તેથી અહીં રસનો અર્થ સ્નેહ જ કરવાનો છે. અને તે સ્નેહ, સ્નિગ્ધ સ્પર્શનું બીજું નામ છે. સ્નેહ પ્રરૂપણા ત્રણ પ્રકારે :- (૧) જગતમાં રહેલ પુદ્ગલોનો પરસ્પર સંબંધ થવામાં તે સ્નેહ કારણ છે. તે સ્નેહનું સ્વરૂપ સ્નેહપ્રત્યય સ્પર્ધકમાં કહેલ છે. (૨) અને બંધન નામકર્મના ઉદયથી આત્મપ્રદેશો સાથે તેમજ પૂર્વે બંધાયેલ ઔદારિકાદિ પુદ્ગલો સાથે નવીન બંધાતા ઔદારિકાદિ પુદ્ગલોનો પરસ્પર સંબંધ થવામાં હેતુભુત સ્નેહનો વિચાર નામપ્રત્યય સ્પર્ધકમાં કરેલ છે. (૩) તેમજ યોગવડે ગ્રહણ કરાયેલ કાર્મણ વર્ગણાઓનો આત્મપ્રદેશો સાથે તેમજ પૂર્વ બદ્ધ કર્મ પુદ્ગલોની સાથે પરસ્પર સંબંધ થવાના કારણભૂત સ્નેહનો વિચાર પ્રયોગપ્રત્યય સ્પર્ધકમાં કરેલ છે. -: ૧ સ્નેહપ્રત્યય સ્પર્ધક : કેવલિ ભગવંતની બુદ્ધિરૂપ શસ વડે છેદવા છતાં પણ જેના બે ભાગ ન પડી શકે એવા નિર્વિભાજ્ય સ્નેહના અંશને સ્નેહાવિભાગ કહેવામાં આવે છે. તેવા એક એક સ્નેહાવિભાગવાળા જગતમાં જેટલાં પરમાણુઓ છે, તેઓનો સમુદાય તે પ્રથમ વર્ગણા કહેવાય છે અને તેવા ૫૨માણુઓ અત્યંત ઘણા છે. બે સ્નેહાણુવાળા જેટલાં પુદ્ગલો જગતમાં છે, તેઓનો સમુદાય તે બીજી વર્ગણા અને તેવા પુદ્ગલો પ્રથમ વર્ગણાથી ઓછા હોય છે. ત્રણ સ્નેહાણુવાળા પુદ્ગલોનો સમુદાય ત્રીજી વર્ગણા એમ એક એક સ્નેહાણુ અધિક કરતાં સર્વોત્કૃષ્ટ સ્નેહાણુવાળા પરમાણુઓ સુધીની અનંતી વર્ગણાઓ થાય છે. અહીં એક એક સ્નેહાવિભાગની વૃદ્ધિવાળા પુદ્ગલો જગતમાં નિરંતર મળે છે. તેથી એક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy