SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૦૯ અહીં તેનું સમાધાન આ પ્રમાણે છે... સુક્ષ્મ અને સાધારણ નામકર્મના ઉદયવાળા - સુક્ષ્મનિગોદીયા જીવોને સત્તામાં રહેલ શરીરનામકર્મના પુદ્ગલોને વિસસાપરિણામથી આશ્રય કરીને રહેલી વર્ગણાઓ સૂક્ષ્મનિગોદવર્ગણાઓ કહેવાય છે. આ વ્યાખ્યા પરથી જાણી શકાય છે કે આ વર્ગણાઓને સત્તાગત શરીરનામકર્મના પુદ્ગલો સાથે સંબંધ છે. આ સત્તાગત દલિકો તો જઘન્ય યોગીને પણ ઉત્કૃષ્ટ જેવા અને ઉત્કૃષ્ટ યોગીને પણ જઘન્ય જેવા સંભવી શકે છે. એટલે યોગ જઘન્ય હોય તો ઓછી વર્ગણાઓ ચોટે અને ઉત્કૃષ્ટ હોય તો અધિક ચોટે એવું કહી શકાતું ન હોવાથી યોગના ગુણકને વર્ગણાના ગુણક સાથે સાંકળી લેવો એ યોગ્ય લાગતું નથી. હા, જો એવું હોય કે સૂક્ષ્મ નિગોદ જીવોને સત્તાગત શરીરનામકર્મના પુદ્ગલોને આશ્રયીને જીવના યોગને અનુસરીને ઓછી વસ્તી વર્ગણાઓ ચોટે છે તો યોગને સાંકળવાનો વિચાર કરી શકાય. જો કે તો પણ યોગાનુસારે ચોટતા સ્કંધોની સંખ્યા ઓછી વસ્તી થાય, ચોટતા પ્રત્યેક સ્કંધમાં રહેલા પરમાણુઓની સંખ્યા નહીં. જ્યારે વર્ગણામાં જે જઘન્ય કરતાં ઉત્કૃષ્ટનો ગુણક આવલિકાનો અસંખ્યાતમો ભાગ કહેલ છે તે સૂક્ષ્મ નિગોદ પ્રથમ વર્ગણાના એક-એક સ્કંધમાં જેટલાં પરમાણુ પ્રદેશો રહેલા હોય તેના કરતાં તેની ઉત્કૃષ્ટ વર્ગણાના એક-એક સ્કંધમાં રહેલા પરમાણુ પ્રદેશો કેટલા ગુણા હોય છે તેને જણાવનાર છે. આ જ રીતે પ્રત્યેકશરીરી અને બાદર નિગોદ વર્ગણા માટેના જે ગુણકો આપ્યા છે તેની સાથે પણ તેઓના યોગના ગુણકને સાંકળવાનું યોગ્ય લાગતું નથી. પ્રત્યેકશરીરી જીવોના અને બાદર નિગોદના જઘન્ય યોગથી તે તેના ઉત્કૃષ્ટ યોગનો ગુણક સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે અને આ વર્ગણાઓમાં પણ એટલો જ ગુણક છે એ એક યોગાનુયોગ જ લાગે છે. બાકી યોગનો ગુણક આટલો છે માટે વર્ગણાઓના ગુણક આટલો છે એવું માનવું યુક્તિસંગત ભાસતુ નથી. એ તો જેમ પ્રથમ ધ્રુવશુન્યમાં તથાલોકસ્વભાવે જ ગુણક સર્વજીવથી અનંતગુણ છે. દ્વિતીયધ્રુવન્યમાં તે અસંખ્ય લોક પ્રમાણ છે તેમ આ વર્ગણાઓમાં પણ તથાલોકસ્વભાવે જ જઘન્ય કરતાં ઉત્કૃષ્ટનો ગુણક સુક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે એમ માનવું ઉચિત લાગે છે. એ રીતે સુક્ષ્મ નિગોંદવર્ગણાઓમાં જઘન્ય કરતાં ઉત્કૃષ્ટનો ગુણક તથા લોકસ્વભાવે જ આવલિકાનો અસંખ્યાતમો ભાગ છે. અને તેથી એના યોગનો ગણક સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ હોય તો પણ કોઈ અસંગતિ જેવું નથી. - વળી ચૂર્ણિકાર મહર્ષિએ સત્તાગત શરીરનામકર્મ પ્રદેશોના જઘન્ય કરતાં એના ઉત્કૃષ્ટનો ગુણક સુક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો હોવાથી વર્ગણાનો ગુણક એટલો કહ્યો છે. આ સત્તાગત પ્રદેશો કંઈ વિવક્ષિત સમયના યોગાનુસારે જઘન્ય કે ઉત્કૃષ્ટ હોતા નથી. વૃત્તિકાર મહાત્માઓએ યોગનો ગુણ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ હોવાથી વર્ગણાનો ગુણક એટલો કહ્યો છે. એટલે વસ્તુસ્થિતિ તો સંશોધનનો વિષય જ બની રહે તેમ છતાં સાક્ષાતુ કે પરંપરાએ યોગના ગુણક સાથે વર્ગણાના ગુણકને સાંકળી લેવો હોય તો, સૂક્ષ્મ નિગોદ વર્ગણા માટે કહેલા આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલાં ગુણકની સંગતિ આ રીતે કરી શકાય કે, સૂક્ષ્મ નિગોદ જીવોના જઘન્ય યોગસ્થાનથી ઉત્કૃષ્ટ યોગસ્થાનનો જે સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો ગુણક કહ્યો છે તે ગુણકમાં ભાજક તરીકે જે અસંખ્ય છે તે એટલું મોટું હોય કે જેથી ભાગાકાર (જવાબ) આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલો આવી જાય. આવલિકાનો અસંખ્યાતમો ભાગ પણ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જ છે, અનંતમો કે સંખ્યાતમો ભાગ નથી. | ઉત્કૃષ્ટ સૂક્ષ્મ નિગોદ વર્ગણામાં એક પરમાણુ અધિક થાય ત્યારે ચોથી જઘન્ય ધૃવશુન્ય વર્ગણા થાય છે. એમાં એક એક પરમાણુ ઉમેરતાં જઘન્ય વર્ગણામાં રહેલ પરમાણુઓને પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્ય પ્રદેશો વડે ગુણાકાર કરતાં જે સંખ્યા આવે તેટલાં પરમાણુઓ અધિક થાય ત્યારે ઉત્કૃષ્ટ ચોથી ધ્રુવન્ય વર્ગણા થાય છે. અને તેમાં એક પરમાણુ અધિક થાય ત્યારે અચિત્ત મહાત્કંધ વર્ગણા થાય છે. એમ એક એક પરમાણુ અધિક કરતાં જઘન્ય વર્ગણામાં રહેલ પરમાણુઓને પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્યાત સમયો વડે ગુણતાં જેટલાં થાય તેટલાં પરમાણુઓ અધિક કરવાથી ઉત્કૃષ્ટ અચિત્ત મહાત્કંધ વર્ગણા થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy