SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૧૯૧ જઘન્ય સ્થિતિ બંધકપણે વર્તતાં જીવો થોડા છે. બીજી સ્થિતિમાં વિશેષાધિક તેથી પણ ત્રીજી સ્થિતિમાં વિશેષાધિક એ પ્રમાણે ત્યાં સુધી વિશેષાધિક કહેવું-ઘણા સેંકડો સાગરોપમ જાય એ પ્રમાણે અર્થ છે. તેથી આગળ વિશેષહીન ત્યાં સુધી કહેવું, જ્યાં સુધી સમય સમય ઓછા થવા વડે વિશેષહાનિમાં પણ “વસિયHહત” તિ ઘણા સેંકડો સાગરોપમ પસાર થાય. “મો’ શબ્દ પાદપૂર્તિમાં છે. અને અહીં પૃથક્વ શબ્દનો અર્થ બહત્વ છે. (પારિભાષિક ૨ થી ૮ નથી.) एवं तिट्ठाणकरा, बिट्ठाणकरा य आसुभुक्कोसा। असुभाणं विट्ठाणे, तिचउट्ठाणे य उक्कोसा ॥ ९४ ॥ एवं त्रिस्थानकरा-द्विस्थानकराचा शुभोत्कृष्टात् । અશુમાનો દ્રિસ્થાને, ત્રિ-વતુચાનયોશ્ચોવૃદરાઃ ૨૪ ગાથાર્થ :- એ પ્રમાણે ત્રિસ્થાનિક અને દ્વિસ્થાનિક રસ બંધકમાં પ્રત્યેક સ્થિતિને વિશેષાધિક અને વિશેષહીન યાવતું ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી કહેવું અને અશુભ પરાવર્તનના રસબંધક પણે વર્તતાં જીવોનું પ્રત્યેક સ્થિતિએ વિશેષાધિક તથા વિશેષહીનપણું પૂર્વોક્ત પદ્ધતિએ યાવતું ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી કહેવું. ટીકાર્થ :- એ પ્રમાણે કહેલ રીતથી ક્રિસ્થાનિક અને ત્રિસ્થાનિકનો અશુભ ઉત્કૃષ્ટથી શુભપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી કહેવું. તે આ પ્રમાણે કહે છે- પરાવર્તમાન શુભપ્રકૃતિઓનો ત્રિસ્થાનિક રસ બાંધતો છતો ધ્રુવપ્રકૃતિઓનો સ્વપ્રાયોગ્ય જધન્ય સ્થિતિમાં બંધકપણે વર્તતાં જીવો અલ્પ છે. બીજી સ્થિતિમાં વિશેષાધિક. તેથી ત્રીજી સ્થિતિમાં વિશેષાધિક. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી ઘણા સેંકડો સાગરોપમ જાય. તેથી આગળ વિશેષહીન વિશેષહીન ત્યાં સુધી કહેવું જ્યાં સુધી વિશેષહાનિમાં પણ ઘણા સેંકડો સાગરોપમ જાય, પરાવર્તમાન શુભપ્રકૃતિઓનો 'દ્વિસ્થાનક રસ બંધકો ત્યાં સુધી કહેવાં જ્યાં સુધી તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિગત દ્રિસ્થાનિક રસનો બંધક પામે. ‘મસુમાળ' અશુભ પરાવર્તમાન પ્રકૃતિઓનો પૂર્વ બતાવેલ રીતથી દ્વિસ્થાનિક રસ બંધક કહેવાં. પછી ના બધેક. પછી ત:સ્થાનક રસના બંધક અને તે ત્યાં સુધી કહેવાં જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ થાય તે આ પ્રમાણે કહે છે - અશુભ પરાવર્તમાન પ્રવૃતિઓનો દ્રિસ્થાનિક રસ બાંધતો છતો ધ્રુવપ્રકૃતિઓની જધન્ય સ્થિતિમાં બંધકપણે વર્તતાં જીવો અલ્પ છે, તેથી બીજી સ્થિતિમાં વિશેષાધિક, તેથી પણ ત્રીજી સ્થિતિમાં વિશેષાધિક. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે ઘણાં સેંકડો સાગરોપમ થાય. તેથી આગળ વિશેષહીન વિશેષહીન ત્યાં સુધી કહેવું જ્યાં સુધી વિશેષહીનમાં પણ સેંકડો સાગરોપમ જાય. (ધ્રુવબંધના સ્થિતિબંધમાં શુભાશુભ રસબંધની સ્થાપના યંત્ર નંબર-૪૪) ધ્રુવબંધના સ્થિતિબંધમાં | પરાવર્તમાન શુભ ૩૪નો રસબંધ | પરાવર્તમાન અશુભ ૩૯નો રસબંધ જઘન્ય સ્થિતિબંધ હોય ત્યારે ચતુ.સ્થાનિક નો રસબંધ | દ્વિસ્થાનિક મધ્યમ સ્થિતિબંધ હોય ત્યારે | ત્રિસ્થાનિકાદિ યથાયોગ્ય ત્રિસ્થાનિકાદિ યથાયોગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય ત્યારે દ્વિસ્થાનિક | ચતુ:સ્થાનિક આ યંત્ર નં.૪૪ની ટીપ્પણી-૧. આયુષ્ય વિના કોઈપણ પ્રકૃતિનો જઘન્ય સ્થિતિબંધ પ્રશસ્ત પરિણામે થાય છે. અને તેથી શુભનો ૪ અને અશુભનો ૨ ઠાણિયો રસ બંધાય છે. જેમ જેમ પરિણામની મલિનતા થતી જાય છે. તેમ તેમ સ્થિતિબંધ વધુ વધુ થતો જાય છે, ત્યારે શુભમાં રસબંધ મંદ મંદ થતો જાય છે, અશુભમાં તીવ્ર તીવ્ર થતો જાય છે. જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે ત્યારે અશુભનો ૪ ઠાણિયો રસ બંધાય છે અને શુભનો તથાસ્વભાવે ૨ ઠાણિયો રસ બંધાય છે. યંત્ર નં.૪૪ની ટીપ્પણી-૨. મધ્યમ સ્થિતિબંધ જ્યારે જસ્થિતિ તરફ હોય ત્યારે શુભનો ૩ મણિયો ઉત્કૃષ્ટ તરફ વધારે અને અશુભમાં * જન્ય તરફ ૩ ઠાણિયો બંધાય. અને જ્યારે મધ્યમ સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સ્થિતિ તરફ હોય ત્યારે આનાથી ઉલટું હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy