SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ કર્મપ્રકૃતિ તથા અશુભ પરાવર્તમાન પ્રકૃતિઓનો ત્રિસ્થાનિક રસને બાંધતો છતો ધ્રુવપ્રકૃતિઓની સ્વપ્રયોગ જઘન્ય સ્થિતિમાં બંધકપણે વર્તતાં જીવો અલ્પ છે. તેથી બીજી આદિ સ્થિતિઓને વિષે જે પ્રમાણે કહ્યું છે તે વિધિથી વિશેષાધિક અને વિશેષહીન પૂર્વની જેમ કહેવું. તથા અશુભ પરાવર્તમાન પ્રવૃતિઓને ચતુઃસ્થાનક રસને બાંધતો છતો ધ્રુવપ્રકૃતિઓની સ્વપ્રયોગ જધન્ય સ્થિતિમાં બંધકપણે વર્તતાં જીવો થોડા છે. તેથી ઘણા સેંકડો સાગરોપમ સુધી વિશેષવૃદ્ધિ કહેવી. તેથી આગળ વિશેષ હાનિમાં પણ ત્યાં સુધી જ કહેવું. અશુભ પરાવર્તમાન પ્રકૃતિઓનો જ ચતુઃસ્થાનકગત રસબંધકો ત્યાં સુધી કહેવાં જ્યાં સુધી તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અર્થાત્ ઉત્કૃષ્ટ સ્થિતિગત ચતુઃસ્થાનક બંધકો થાય. એ પ્રમાણે અર્થ છે. पल्लासंखियमलानि, गंतं दगणा य दगणहीणा य । नाणंतराणि पल्लस्स, मूलभागो असंखतमो ॥ ९५॥ पल्यासङ्ख्येय (वर्ग) मूलानि, गत्वा द्विगुणा च द्विगुणहीनाश्च । नानान्तराणि पल्यस्य, मूलभागोऽसङ्ख्येयतमः ॥१५॥ ગાથાર્થ :- પલ્યોપમના અસંખ્યાત વર્ગમૂળ પ્રમાણ સ્થિતિઓના વ્યતિક્રમે જીવોની દ્વિગુણાધિકતા અને દ્વિગણહીનતા થાય. તથા તેમાં નાના પ્રકારના અન્તરો પલ્યોપમના પ્રથમ વર્ગમૂલના અસંખ્યાતમા ભાગ ટીકાર્થ :- તે પ્રમાણે અનંતરોપનિધાથી પ્રરૂપણા કરી, હવે પરંપરોપનિધાથી તેને કહે છે. પરાવર્તમાન શુભપ્રકૃતિઓનો ચતુઃસ્થાનિક અથવા અશુભનો દ્રિસ્થાનક રસ બાંધતો જે ધ્રુવપ્રકૃતિઓના જઘન્ય સ્થિતિમાં બંધકપણે વર્તતા જીવોની અપેક્ષાએ જઘન્ય સ્થિતિથી આગળ પલ્યોપમના પ્રથમ અસંખ્ય વર્ગમૂલના જેટલો સમય રાશિ પ્રમાણે સ્થિતિઓ તેટલાં પ્રમાણ સ્થિતિસ્થાનો વ્યતિક્રાન્ત થતાં જઈને પછીના સ્થિતિસ્થાનમાં બંધકપણે વર્તતાં જીવો દ્વિગુણ હોય છે. તેથી આગળ પણ પલ્યોપમના અસંખ્યય વર્ગમૂળ સ્થિતિઓ અતિક્રમણ કરીને અનંતર સ્થિતિસ્થાને દ્વિગુણ હોય છે. એ પ્રમાણે દ્વિગુણ ત્યાં સુધી કહેવાં જ્યાં સુધી ઘણા સેંકડો સાગરોપમ અતિક્રાન્ત થાય. તેથી આગળ પલ્યોપમના અસંખ્યય વર્ગમૂલ પ્રમાણ સ્થિતિઓ ગયા પછીના (અનંતર) સ્થિતિસ્થાન વિશેષ વૃદ્ધિગત ચરમ સ્થિતિમાં બંધકપણે વર્તતાં જે જીવો તેની અપેક્ષાએ દ્વિગુણહીન (અર્ધા) થાય છે, એ પ્રમાણે અર્થ છે. પછી ફરી પણ તેટલાં સ્થિતિસ્થાન અતિક્રમણ કરીને બીજા (અનંતર) સ્થિતિસ્થાનમાં દ્વિગુણહીન હોય છે. એ પ્રમાણે ત્યાં સુધી દ્વિગુણહાનિ કહેવી કે જ્યાં સુધી ઘણા સેંકડો સાગરોપમ જાય. એ પ્રમાણે પરાવર્તમાન શુભપ્રકૃતિઓનો ત્રિસ્થાનક રસના બંધક અને દ્વિસ્થાનક રસના બંધક છે. તથા અશુભ પરાવર્તમાન પ્રકૃતિઓના કિસ્થાનક, ત્રિસ્થાનક, ચતુઃસ્થાનક રસના બંધકો એ રીતે કહેવાં. એક દ્વિગુણવૃદ્ધિને અંતરે અને દ્વિગુણહાનિને અંતરે સ્થિતિસ્થાનો પલ્યોપમના અસંખ્ય વર્ગમૂલમાં જેટલાં સમયો તેટલાં પ્રમાણ (સ્થિતીસ્થાનો) છે. તથા જુદા જુદા દ્વિગુણવૃદ્ધિ દ્વિગણહાનિ તે પલ્યોપમના પ્રથમ વર્ગમલના અસંખ્યાતમા ભાગે જેટલાં સમયો છે તેટલા પ્રમાણે સ્થિતિસ્થાનો છે. નાનાપ્રકારના દ્વિગુણવૃદ્ધિ દ્વિગુણહાનિસ્થાનો અલ્પ છે. તેથી એક દ્વિગુણવૃદ્ધિ અથવા દ્વિગુણહાનિના અંતરે સ્થિતિસ્થાનો અસંખ્યયગણ છે. ઇતિ જીવસમુદાહાર સમાપ્ત (- અથ અનાકાર-સાકારોપયોગ :-) अणगारप्पाउग्गा, विट्ठाणगया उ दुविहपगडीणं । सागारा सव्वत्थ वि, हिट्ठा थोवाणि जवमज्झा ॥१६॥ ठाणाणि चउट्टाणा, संखेज्जगुणाणि उवरिमेवं । तिट्ठाणे विट्ठाणे, सुभाणमेगंतमीसाणि ॥९७॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy