SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ કર્મપ્રકૃતિ જે અનંતર (સુરત)નું સ્થિતિસ્થાન આવે ત્યાં દ્વિગુણ બમણા અધ્યવસાયસ્થાનો છે. તેથી પણ પલ્યોપમનો અસંખ્ય ભાગ માત્ર સ્થિતિ જઈને અનંતર થવાવાલા સ્થિતિસ્થાનમાં બમણા અધ્યવસાયસ્થાનો થાય છે. એ પ્રમાણે ઉપર ઉપર દ્વિગુણવૃદ્ધિ ત્યાં સુધી કહેવી, જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ થાય. એક દ્વિગુણવૃદ્ધિના અંતરે સ્થિતિસ્થાનો અસંખ્ય પલ્યોપમના વર્ગમૂલ જે જેટલાં છે અને નાના (જુદા જુદા) પ્રકારના દ્વિગુણવૃદ્ધિસ્થાનો અંગુલના વર્ગમૂલ છેદનકના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. એક અંગુલ માત્ર ક્ષેત્રમાં જેટલાં આકાશપ્રદેશોનો રાશિ છે. તેના પ્રથમ વર્ગમૂલને મનુષ્ય સંખ્યા ગણવામાં હેતરૂપે 19 રાશીના (આંકથી) ૯૬ છેદનકની વિધિથી-ભાગ વિધિથી અર્થાત્ ભાગાકાર કરવાની રીતથી ત્યાં સુધી છેદવું કે જ્યાં સુધી ભાગ પ્રાપ્ત ન થાય. તે ભાગોના અસંખ્યાતમે ભાગે જેટલાં છેદનકોના ભાગો થાય તેટલાં ભાગોમાં જેટલો આકાશપ્રદેશ રાશિ થાય તેટલા પ્રમાણમાં દ્વિગુણવૃદ્ધિસ્થાનો થાય છે. * તે પ્રમાણે પ્રગણના કરી. હવે (૨) અનુકૃષ્ટિ :- કહેવી જોઈએ અને તેનથી, જ્ઞાનાવરણાદિ કર્મોની જે પૂર્વના સ્થિતિબંધમાં અધ્યવસાયસ્થાનો છે, તેની આગળની સ્થિતિબંધમાં અન્ય અન્ય અધ્યવસાયસ્થાનોનો સદુભાવ છે. અહીંથી આગળ તીવ્ર-મન્દતા કહેવાનો અવસર પ્રાપ્ત છે, તે સ્થાપવી (અર્થાતુ બાકી રાખવી) આગળ કહેવાશે. તેથી તે પ્રમાણે સ્થિતિસમુદાહાર કહ્યો. હવે ૨-પ્રકૃતિસમુદાહાર :- કહે છે. અને તેનાં બે અનુયોગ દ્વાર છે. પ્રમણાનુગમ અને અલ્પબદુત્વ. ત્યાં પ્રમાણ અનુગમ-તે સંખ્યાની પ્રરૂપણા રૂ૫ છે. ત્યાં જ્ઞાનાવરણીયના સર્વ સ્થિતિબંધમાં કેટલાં અધ્યવસાયસ્થાનો છે, તો કહે છે. અસંખ્યય લોકાકાશપ્રદેશ પ્રમાણ છે. એ પ્રમાણે સર્વ પણ કર્મનું જાણવું. ठिइदीहयाइ कमसो, असंखगुणिया अणंतगुणणाए। पढमजहन्नुक्कस्सं, विइयजहबाइआचरमा ॥८९॥ स्थितिदीर्घतया क्रमशो - डसंख्येयगुणितान्यनन्तगुणतया । प्रथमजघन्योत्कृष्टं, द्वितीयजघन्याद्याचरमात् ।।८९॥ ગાથાર્થ :- અધિક અધિક સ્થિતિ યુક્ત કર્મોમાં અનુક્રમે અસંખ્યગુણ અસંખ્ય ગુણ અધ્યવસાયો કહેવાં. અને પ્રથમ સ્થિતિસ્થાનના જઘન્ય અધ્યવસાય થી ઉત્કૃષ્ટ અધ્યવસાય અનંતગુણ છે. એ પ્રમાણે જઘન્ય સ્થિતિથી પ્રારંભીને દ્વિતીય તૃતીયાદિ યાવતુ અંતિમ સ્થિતિસ્થાન સુધીના પ્રત્યેક સ્થાનોમાં જધન્યથી ઉત્કૃષ્ટ અધ્યવસાય અનંતગુણ કહેવો. તથા પ્રથમ સ્થિતિના ઉત્કૃષ્ટ અધ્યવસાયથી દ્વિતીય સ્થિતિના જઘન્ય અધ્યવસાયમાં પણ અનંતગુણપણું કહેવું તે પણ યાવતું ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી. ટીકાર્થ :- હવે (૩) અલ્પબદુત્વ :- કહે છે. દીર્ઘ સ્થિતિને આધારે ક્રમથી અધ્યવસાયસ્થાનો અસંખ્યયગુણ કહેવાં. તે આ પ્રમાણે કહે છે. -સર્વથી અલ્પ આયુષ્યના સ્થિતિબંધ અધ્યવસાયસ્થાનો. તેથી નામ-ગોત્રના અસંખ્ય ગુણ. અહીં પ્રશ્ન થાય છે કે આયુષ્ય સ્થિતિસ્થાનને વિષે યથાક્રમે અસંખ્યયગુણ વૃદ્ધિ છે. નામ-ગોત્રકમમાં તો (દરેક સ્થિતિસ્થાને) વિશેષાધિકરૂ૫ વૃદ્ધિ છે. તો આયુષ્ય અપેક્ષાએ નામ-ગોત્રની અસંખ્યયગુણ અધ્યવસાયસ્થાન કેમ થાય? ઉત્તર :- એ પ્રમાણે સત્ય છે. આયુષ્યની જઘન્ય સ્થિતિમાં જેટલાં અધ્યવસાયસ્થાનો છે. તેથી નામ-ગોત્રની જઘન્ય સ્થિતિમાં અત્યંત ઘણા છે. નામ-ગોત્રના સ્થિતિ-સ્થાનોમાં પણ આયુષ્યના સ્થિતિસ્થાન અપેક્ષાએ અત્યંત ઘણા છે. તેથી કોઈ દોષ નથી. નામ-ગોત્ર સંબંધી સ્થિતિબંધ અધ્યવસાયસ્થાનોથી જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય-અંતરાયના સ્થિતિબંધ અધ્યવસાયસ્થાનો અસંખ્યયગુણ છે કારણકે પલ્યોપમના અસંખ્ય ભાગ માત્ર સ્થિતિઓ અતિક્રાન્ત થયે દ્વિગુણવૃદ્ધિના લાભથી એક પણ પલ્યોપમના અન્ને અસંખ્ય ગુણવાળું સિદ્ધ થાય છે. તો ૧૦ કોડાકોડીસાગરોપમના અન્ને સ્પષ્ટ રીતે અસંખ્યયગુણ વૃદ્ધિની સિદ્ધિ થાય. તેથી પણ કષાયમોહનીય સ્થિતિબંધ અધ્યવસાયસ્થાનો અસંખ્ય ગુણ છે. પ્રકૃતિ ૧૩૩ મનુષ્યની સંખ્યા લાવવાને માટે ૨ ના આંકનો ૯૬ વાર ગુણાકાર કરવાથી મનુષ્યની સંખ્યા પ્રાપ્ત થાય છે. જેમ ૨XXXXXર એ પ્રમાણે ૯૬ બગડા માંડીને ગુણાકાર કરતાં ૨૯ અંક રૂપ મનુષ્ય સંખ્યાનો જવાબ આવે છે. માટે અહીં ૨૯ આંકને મનુષ્ય સંખ્યાનો હેતુ કહ્યો છે. ૧૩૪ અસત્કલ્પનાએ ૯૨૧૬0000000000નું વર્ગમૂળ ૯૬00000 ને ૯૬ થી ભાગ આપતાં ૧૦૦૦૦૦ તેનો અસંખ્યાત રૂપ ૧૦૦થી ભાગ આપતાં ૧000 દ્વિગુણવૃદ્ધિસ્થાનો થાય. આ સંબંધમાં કોઈ બીજી રીતે યુક્તિ પુર:સર કહે તો તે પ્રમાણ કરવા યોગ્ય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy