SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ * બંધનકરણ ૧૮૩ “વહુસિ” એ વક્ષ્યમાણ ભેદનું અલ્પબહુત કહેવાય છે. ઇતિ ૩જી અબાધાકંડક પ્રરૂપણા સમાપ્ત (- અથ ૪થી અNબહુત પ્રરૂપણા :-) बंधावाहाणुक्कस्सियरं कण्डकअवाहबंधाणं। ठाणाणि एक्कनाणंतराणि अत्ण कंडं च ॥८६॥ बन्धाबाधयोरकृष्टेतरे, कण्डकाबाधाबन्धनाम् । स्थानान्येकनानन्तराणि, अर्थन कण्डकं च ॥८६॥ ગાથાર્થ :- ઉત્કૃષ્ટ સ્થિતિબંધ, જઘન્યસ્થિતિબંધ, ઉઅબાધા, જ0અબાધા, કંડકસ્થાન, અબાધાસ્થાન, સ્થિતિબંધસ્થાન, દ્વિગુણહાનિ સ્થાનો અર્થકંડકને નિષેકસ્થાનો એ ૧૦ સ્થાનનું અલ્પબહુત કહેવાય છે. ટીકાર્થ :- કયા છે, તેને જ કહે છે. બંધ અને અબાધાનો ઉત્કૃષ્ટ અને ઈતર, (જઘન્ય) (૧) ઉત્કૃષ્ટ સ્થિતિબંધ (૨) જઘન્ય સ્થિતિબંધ (૩) ઉત્કૃષ્ટ અબાધા (૪) જઘન્ય અબાધા (૫) કંડકસ્થાનો (૬) : સ્થિતિબંધસ્થાનો ““ નાખiતાળ'' ત્તિ અને બે દ્વિગુણહાનિ વચ્ચેનું એક અંતર તથા નાના રૂપ અંતરો એટલે (૮) દ્વિગુણહાનિસ્થાનો ““ત્યે સંડે ''ત્તિ જઘન્ય અબાધાહીન એવી ઉત્કૃષ્ટ અબાધા વડે જઘન્ય સ્થિતિહીન એવી ઉત્કૃષ્ટ સ્થિતિને ભાગતાં છતાં જેટલો ભાગ મલે તેટલાં ભાગને (૯) અર્થેન કંડક કહેવાય છે. યથાયુક્ત લક્ષણ અર્થથી કંડક અલુકુ સમાસ આશ્રયીને થાય છે. એ પ્રમાણે સંપ્રદાયનો મત છે. ૨ઃ સમુચ્ચય અર્થમાં છે. વળી પંચસંગ્રહમાં અર્થેન કંડકના સ્થાને અબાધાકંડકસ્થાનો એ પ્રમાણે કહ્યું છે. અને ત્યાં આ પ્રમાણે મૂલ ટીકામાં વ્યાખ્યા છે. ““વાણા ર ધ્વનિ વાવાળા ' સમાહાર દ્વન્દ સમાસ છે. તેના સ્થાનો અબાધાકંડકસ્થાનો તે બન્નેની પણ (અબાધા અને કંડકની) સ્થાન સંખ્યા તે ' અબાધાકંડકસ્થાનો કહ્યું છે. આ દશ સ્થાનોનું અલ્પબદુત્વ કહે છે. સંક્ષિપંચેન્દ્રિય પર્યાપ્ત-અપર્યાપ્તને વિષે આયુષ્ય સિવાય ૭કર્મોમાં ૧૦ભેદે અલ્પબદુત્વ :- ત્યાં પર્યાપ્ત અથવા અપર્યાપ્ત સંજ્ઞિપંચેન્દ્રિય જીવના બંધક વિષે આયુષ્ય સિવાયના સાત કર્મનો સર્વથી અલ્પ જઘન્ય અબાધા અન્તર્મુહુર્ત પ્રમાણ હોવાથી. તેથી અબાધાસ્થાનો અને કંડકસ્થાનો અસંખ્યયગુણ છે. પરસ્પર તુલ્ય છે. કારણકે જઘન્ય અબાધાથી ઉત્કૃષ્ટ અબાધામાં છેલ્લા સમય સુધી જેટલાં સમયો છે તેટલાં અબાધિસ્થાનો થાય છે. તે આ પ્રમાણે કહે છે. જઘન્ય અબાધા તે એક અબાધાસ્થાન, તે જ એક સમય અધિક તે બીજું, બે સમય અધિક તે ત્રીજું એ પ્રમાણે જ્યાં સુધી ઉત્કૃષ્ટ અબાધાનો છેલ્લો સમય આવે ત્યાં સુધી કહેવું અને એટલા જ કંડકસ્થાનો છે. ઉત્કૃષ્ટ અબાધાની સમય સમયની હાનિમાં ઉત્કૃષ્ટ સ્થિતિની કંડક કંડક પ્રમાણ હાનિ કહેલી છે. તેથી ઉત્કૃષ્ટ અબાધા વિશેષાધિક છે. જઘન્ય અબાધાનો ત્યાં પ્રવેશ થવાથી. તેથી દલિક નિષેક વિધિમાં દ્વિગુણહાનિસ્થાનો અસંખ્યયગુણ છે. પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્ય ભાગમાં રહેલ સમય પ્રમાણ હોવાથી. તેથી દ્વિગુણહાનિના અંતરે જે નિષેકસ્થાનો છે તે અસંખ્યયગુણ છે. તે અસંખ્યય પલ્યોપમના * વર્ગમૂલ પરિમાણપણે હોવાથી, તેથી અર્થકંડક અસંખ્યયગુણ છે. તેથી જઘન્યસ્થિતિબંધ અસંખ્યયગુણ છે. કારણકે સંજ્ઞિપંચેન્દ્રિયનો શ્રેણિમાં આરૂઢ નહીં થયેલા જઘન્યથી પણ સ્થિતિબંધ અંત:કોડાકોડીસાગરોપમ પ્રમાણ જ કરે છે. તેથી પણ સ્થિતિબંધસ્થાનો સંખ્યયગુણ છે. ત્યાં જ્ઞાનાવરણ-દર્શનાવરણ વેદનીય અંતરાયના ૨૯ ગુણ અધિક છે. મિથ્યાત્વમોહનીયના ૬૯ ગુણ ૧૩) ૧૩૧ અર્થેન કંડક એટલે અબાધાકંડકનું પરિમાણ એ (ઉસ્થિતિબંધ-જસ્થિતિબંધ) : (ઉત્કૃષ્ટ અબાધા - જઘઅબાધા) જેટલો હોય છે. એટલેકે એક અબાધામાં આટલી જુદી જુદી સ્થિતિઓ બાંધી શકાય છે. (પંચસંગ્રહમાં આના સ્થાને અબાધાકંડકો કંડકસ્થાનો કહેલ છે.) આ પ્રમાણે પંચસંગ્રહને મતે એક અબાધાસ્થાન અને એક કંડકસ્થાન એ બે મળીને એક અર્થકંડક થાય છે, માટે પ્રથમ અર્થની અપેક્ષાએ પંચસંગ્રહના અર્થમાં બમણાં સ્થાન આવે છે. પરંતુ કંડકસ્થાન અથવા અબાધાસ્થાનથી આ અર્થવાળું અર્થકંડક અસંખ્ય ગુણ કેવી રીતે થાય? તે બહુશ્રુતથી જાણવા યોગ્ય છે. અસંખ્ય પલ્યોપમનું પ્રથમ વર્ગમૂલ કાઢતાં જેટલાં સમયો થાય તેટલાં અસંખ્ય સમયની રાશિપ્રમાણ ઇતિભાવ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy