SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ કરણથી અંતર્મુહૂર્ત કાળ સુધી આત્મા મોહનીયકર્મની ઉદયમાંથી મુક્ત બની વીતરાગ સમાન થઈ જાય છે અને તે અંતર્મુહૂર્ત કાળ પૂર્ણ થતાં જ મોહનીયકર્મનો ઉદય પુનઃ શરૂ થઈ જાય છે. એમ બંધ સમયે બંધન, નિદ્ધત્તિ અને નિકાચના એમ ત્રણમાંથી કોઈપણ એક કરણ દ્વારા કર્મ બંધ થાય છે અને બંધનકરણથી બંધાયેલ કર્મમાં અધ્યવસાયાનુસાર સાતેય કરણો લાગી અનેક પ્રકારના ફેરફાર થાય છે અને નિદ્ધત્તિ કરણથી બંધાયેલ કર્મમાં ઉદ્વર્તન અને અપવર્નના એ બે કરણો લાગી તેમાં ફેરફાર થાય છે પરંતુ નિકાચનાકરણ દ્વારા બંધાયેલ કર્મમાં આઠમાંનું કોઇ પણ કરણ લાગતું નથી. માટે તે કર્મમાં કંઈ જ ફેરફાર થતો નથી, તેથી જે સ્વરૂપે બંધાયેલ હોય તે જ સ્વરૂપે અવશ્ય ભોગવવું પડે છે. તેમ હોવા છતાં શ્રેણિગત શુકલધ્યાન કે ધર્મધ્યાન સ્વરૂપ વિશિષ્ટ અધ્યવસાયો દ્વારા તે નિકાચિત કર્મો રસોદયથી ભોગવ્યા વિના પણ ક્ષય થઈ જાય છે. માટે સાધક આત્માઓએ શુભ ધ્યાનરૂપ અત્યંત૨ તપની પ્રેકટીશ કરવી અને તેમાં આગળ વધવાની ખૂબ જ જરૂર છે તેથી ગાઢ નિકાચિત કર્મોનો પણ ભોગવ્યા વિના ક્ષય કરી તે જ ભવમાં મોક્ષગામી બની શકાય છે. ઉપર લખેલ આઠ કરણાદિનું સ્વરૂપ પંચસંગ્રહ - ભાગ - રમાં પંડિતવર્ય પુખરાજજી અમીચંદજી કોઠારીએ લખેલ નિવેદનમાંથી લખ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy