SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ -: પ્રકાશકીય નિવેદન : વિ સં૦ - ૨૦૪૮માં અમને રાંદેર રોડ જૈન શ્વે૰ મૂ॰ પૂ શ્રી સંધના ભાગ્યોદયે ૫૦ પૂ૦ શાસનસમ્રાટ્ આચાર્યદેવ શ્રીમદ્ વિજય નેમિ - વિજ્ઞાન - કસ્તૂરસૂરીશ્વરજી મસા૰ ના પટ્ટધર પંચ પ્રસ્થાનમય સૂરિમંત્ર આરાધક ૫૦પૂ આચાર્યદેવ શ્રીમદ્ વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ૰સા, ૫૦પૂર્વ પંન્યાસ પુષ્પચંદ્ર વિ∞ ગણિ૰ મસા, ૫૦પૂ પંન્યાસ સોમચંદ્ર વિજય ગણિવર્ય મસા આદિ ઠાણા ચોમાસું બિરાજમાન હતા. પૂજ્યશ્રીના વિદ્વાન પંન્યાસપ્રવર સોમચંદ્ર વિ ગણી મસા જેસલમેર - પાટણ - ખંભાતના જ્ઞાનભંડારોની દુષ્પ્રાપ્ય હસ્તલિખિત પ્રતોની પ્રીન્ટો તથા ઝેરોક્ષનું કાર્ય ચાલતું હોય તેઓશ્રી તો સતત પ્રવૃત્તિ જિનશાસનના આ મહાગ્રન્થોની સાચવણી માટે દતચિત્ત કાર્ય કરતા નજરે જોતા ત્યા૨ે સહેજે લાગતું કે મુનિશ્રી જિનશાસન માટે શું કરી રહ્યા છે ? પુછ્યું ત્યારે કહ્યું છેલ્લા વર્ષોથી દુઃપ્રાપ્ય બનતા આપણા ગ્રન્થોનું જતન કરવાનું કામ શરૂ કર્યું છે. આ અંગે અમો શ્રી સંઘને લાભ મળે તેમ કરવા વિનંતી કરી તે વિનંતી પૂ॰ આચાર્ય મસા૰ પાસે ગઈ તો તેઓશ્રીએ જણાવ્યું કે આ કાર્યની વ્યવસ્થા તો અમદાવાદ ઓપેરા સોસાયટીના શ્રી મહાવીર સ્વામી જૈન શ્વે૰ મૂ॰ પૂ શ્રી સંધ કરે છે. પણ તમો શ્રી સંઘની લાભ લેવા ભાવના છે તો જે જે ગ્રન્થો તૈયાર થાય તેના સંપાદન તથા પ્રકાશન અંગે વ્યવસ્થા તંત્ર તમો ગોઠવો તો પણ ઘણો ઉત્તમ લાભ મળશે. પૂજ્યશ્રીનું આ વચન શ્રી સંઘે સ્વીકારી લીધું. સદ્ભાગ્યે વિ૰ સં૦ ૨૦૪૯ના ૫૦પૂ૦ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મસા૰ તથા ૫૦પૂ આચાર્યદેવ શ્રીમદ્ વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મસા૰ આદિ ઠાણા-૨૦ નું ચાતુર્માસ રાંદેર રોડ થયું. અને તે વખતે સચિત્ર સિદ્ધ સરસ્વતી સિંધુ પુસ્તકનું કાર્ય મુનિશ્રી કુલચંદ્ર વિજયજી કરી રહ્યા હતા. તો તે પુસ્તકનું પ્રકાશન ખર્ચ અમો શ્રી સંધે સ્વીકાર્યું અને આજે તે પુસ્તકની માંગણી તે રીતે ચાલે છે કે ટુંક સમયમાં પ્રાયઃ બીજી આવૃત્તિ પણ છપાવવાનો પ્રસંગ આવે તેમ લાગે છે. આવું જ આ ગ્રન્થનું પ્રકાશન કાર્ય કે જે કર્મસાહિત્ય અંગે એક અને અજોડ ગણી શકાય તેવા કમ્મપયડી - કર્મપ્રકૃતિ ગ્રન્થ પૂ૦ મહોપાધ્યાય યશોવિજયજી વિરચિત વૃત્તિનો ભાવાનુવાદ પ૰પૂ૰ મુનિશ્રી કૈલાસચંદ્ર વિજયજી મહારાજે તૈયાર કર્યો છે. તે ગ્રન્થનું પ્રકાશન કરતાં અમો અતિ આનંદ માનીએ છીએ. આ ગ્રન્થના પ્રકાશન અંગે ૫૦પૂ૰ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ૰ની પ્રેરણાથી વિસં૰ ૨૦૪૮ના નાનપુરા જૈન શ્વે૰ મૂ૰ પૂ શ્રી સંઘની વિનંતીથી ચાતુર્માસ કરવાનું થયું અને તે વખતે અનેકવિધ આરાધનાઓ શાસન પ્રભાવનાઓના તે રીતે કાર્યો થયા હતા કે જેથી તે કાર્યોની અનુમોદનારૂપ સ્મૃતિ અંગે નાનપુરા જૈન શ્રી સંધે આ ગ્રન્થના પ્રકાશન કાર્ય અંગે ૧લાખ ૭પહજાર જ્ઞાનદ્રવ્યમાંથી સમર્પણ કર્યા. જેથી આ ગ્રન્થનું પ્રકાશન કાર્ય થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. નાનપુરા જૈન શ્રી સંઘને અમારી હાર્દિક અનુમોદના. પુનઃ તે રીતે વિનંતી કરીએ છીએ કે આ રીતે જ્યારે પણ અન્ય અન્ય ગ્રન્થો જે પૂજ્યશ્રીના શિષ્ય-પ્રશિષ્યો તૈયાર કરી રહ્યા છે તે નાનપુરા શ્રી સંધ ભાવિના અન્ય પ્રકાશન કાર્યમાં જરૂરી આર્થિક સહયોગ પ્રદાન કરતાં રહેશે એવી અભ્યર્થના..... Jain Education International લી. રાંદેર રોડ શ્વે મૂ॰ પૂ॰ જૈન શ્રી સંઘ, સુરત For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy