SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૧૬૩ | ટીકાર્ય :- જેમ સંકુલેશસ્થાનો અસંખ્યયગુણપણે પૂર્વે કહ્યા તેવી રીતે વિશદ્ધિસ્થાનકો પણ અનુક્રમે અસંખ્યયગુણપણે કહેવાં, કારણકે જે સંકુલશ્યમાનના સંકુલેશસ્થાન છે તે જ વિશુધ્ધમાનના વિશુદ્ધિસ્થાનો છે. એ પ્રમાણે અહીં ભાવના વિશેષ નથી. (યંત્ર નંબર - ૩૫ જુઓ). -: અથ સર્વ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટસ્થિતિ તથા અબાધા :હવે ઉત્કૃષ્ટસ્થિતિ અને ઇતર એટલે જઘન્યસ્થિતિનું પ્રતિપાદન કરતાં કહે છે “વિશે' ત્યારે વિજ્ઞ = અંતરાય, સાવર = જ્ઞાનાવરણ - દર્શનાવરણ, ત્યાં અંતરાયની ૫ પ્રકૃતિઓ, જ્ઞાનાવરણની ૫ પ્રકૃતિઓ, દર્શનાવરણની - ૯ પ્રકૃતિઓ, અને અસતાવેદનીય એ ૨૦ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડીસાગરોપમ છે. અહીં બે પ્રકારે સ્થિતિ કહી છે. (૧) કર્મપણે અવસ્થાનરૂપ (૨) અનુભવ યોગ્ય. ત્યાં પ્રથમ (અવસ્થાનરૂપે) આશ્રયીને જઘન્ય - ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રમાણ કહે છે. પુનઃ અનુભવ પ્રાયોગ્ય બીજી સ્થિતિ છે તે અબાધાકાળ રહિત જાણવી. અબાધા = (ાવવા વાહવાસસથા ઇતિ પંચસંગ્રહ પમા દ્વારમાં ગા-૩૬) જે કર્મ જેટલાં કોડાકોડીસાગરોપમની સ્થિતિવાળું હોય તે કર્મને તેટલાં ૧૦૦ વર્ષ અબાધાકાળ હોય કારણકે તેટલો કાળ તે કર્મ પોતાના ઉદયથી જીવને બાધા-પીડા (અસર-સંવેદન) ઉત્પન્ન કરતો નથી. -: સર્વ જીવભેદમાં સ્થિતિસ્થાન સંકુલેશ - વિશુદ્ધિ સ્થાનનું સ્થાપના યંત્ર નં-૩પ :૧૪ જીવભેદ , સ્થિતિસ્થાનો સંકલેશ-વિશુદ્ધિસ્થાનો સૂક્ષ્મ અપર્યાપ્ત એકેપલ્યોપમનો અસંખ્યાતમો ભાગ પ્રમાણ સર્વથી અલ્પ બાદર અપર્યાપ્ત એકે૦ સંખ્યાતગુણ 'અસંખ્યાતગુણ સૂક્ષ્મ પર્યાપ્ત એકેડ બાદર પર્યાપ્ત એકે ૫ | બેઇ અપd. અસંખ્યાતગણ (પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ.) બેઇ0 પર્યાપ્ત સંખ્યાતગુણ અસંખ્યાતગુણ ૭ | તેજ0 અપ૦ ૮ | Hઇ પર્યાપ્ત | ચઉ0 અ૫૦. | ૧૦| ચઉ0 પર્યાપ્ત ૧૧] અસંજ્ઞિ અપ૦ ૧૨] અસંજ્ઞિ પર્યાપ્ત ૧૩] સંજ્ઞિ અપ૦ | ૧૪] સંજ્ઞિ પર્યાપ્ત ' યંત્ર નં-૩૫ની ટી૦૧ :- બાદર અપર્યાપ્તને સૂક્ષ્મ અપર્યાપ્ત કરતાં જે સ્થિતિસ્થાનો વધે છે તે સૂ૦ અપર્યા ના જઘ૦ ની નીચે પણ સંખ્યાતગુણ વધે છે અને ઉત્કૃષ્ટની ઉપર પણ સંખ્યાતગુણ વધે છે સૂઅપર્યાવ ના પોતાના સ્થિતિસ્થાનોમાં અસંવ દ્વિગુણહાનિના સ્થાનો છે એટલે આ વધારાના સંખ્યાતગુણ સ્થાનોમાં પણ અસંવ દ્વિગુણ હાનિના સ્થાનો બન્ને બાજુ આવી જાય છે. દ્વિગુણ-દ્વિગુણ અસંખ્યવાર થવાથી કુલ સંલેશ - વિશુદ્ધિસ્થાનો અસંખ્યાતગુણ થાય છે. અપર્યાય સૂક્ષ્મ એકેન્દ્રિયને પોતાના જ જઘન્ય સ્થિતિસ્થાનમાં જેટલાં અધ્યવસાય છે તેના કરતાં પોતાના જ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનમાં પણ અધ્યવસાયો અસંખ્ય ગુણ છે. તેથી અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય આદિમાં તો સુતરાં અસંખ્ય ગુણ હોય. |૪ | | છ | ૧૧૭ અહીં સંકલેશ અને વિશુદ્ધિ સાપેક્ષ છે, જે સંકલેશના સ્થાનો છે, તે જ વિશુદ્ધિના સંભવે છે, દાખલા તરીકે ૧૦ સ્થાન છે, વિશુદ્ધિમાં પહેલેથી બીજું, બીજાથી ત્રીજું એમ ઉત્તરોત્તર ચડિયાતું છે. તેમ દશમાથી નવમું, નવમાથી આઠમું એમ પચ્ચાનુપર્વીએ પડતું પડતું છે. ચડતાં વિશુદ્ધિનું જે સ્થાન તે જ ઉતરતાં અવિશુદ્ધિનું સંભવે છે. જેમ કોઇ બે જીવ ચોથે સ્થાનકે છે તેમાં એક ચોથાથી પાંચમે જનાર છે, એક ચોથાથી ત્રીજે જનાર છે, જો કે અત્યારે તો બંને જીવ એક સ્થાન પર છે, છતાં ચડનારી અપેક્ષાએ શુદ્ધ અને તે જ પડનારી અપેક્ષાએ અશુદ્ધ છે. એમ સંકુલેશ અને વિશુદ્ધિ સાપેક્ષ છે, તેથી જ જેટલાં સંકલેશના સ્થાનો છે તેટલાં જ વિશુદ્ધિના સ્થાનો થાય છે. પરંતુ કેવલ ક્ષપકશ્રેણિમાં આવતાં સ્થાનો કેવલ વિશુદ્ધિસ્થાનો છે. પણ સંકલેશસ્થાનો નથી, કેમકે કેવલ ચડતાં જ આવે છે. ત્યાંથી પડવાનો ભય નથી માટે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy