SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ કર્મપ્રકૃતિ ત્યાં મતિજ્ઞાનાવરણ આદિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડીસાગરોપમ છે. તેથી ૩000 વર્ષ અબાધાકાળ સમજવો. “અબાધાકાળ પૂર્ણ થયે છતે કર્મદલિકનો નિષેક થાય છે. સ્ત્રીવેદ, મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી અને સાતવેદનીયની ઉત્કૃષ્ટસ્થિતિ પહેલા સ્થિતિ કહી તેનાથી અર્ધ જાણવી. સ્ત્રીવેદ આદિની ૧૫ કોડાકોડીસાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, એ પ્રમાણે અર્થ છે. તેનો ૧૫૦૦ વર્ષ અબાધાકાળ થાય, અને અબાધાકાળ પૂર્ણ થયે કર્મદલિકનો નિષેક થાય છે. तिविहे मोहे सत्तरि, चत्तालीसा य वीसई य कमा। दस पुरिसे हासरई, देवटुगे खगइ चेट्ठाए ॥ ७१ ॥ त्रिविधे मोहे सप्तति, श्चत्वारिशच्चविंशतिश्च क्रमात् । दश पुरुषे हास्यरतौ, देवद्धिके खगतौ चेष्टायाम् ।। ७१ ॥ ગાથાર્થ :- ત્રણ પ્રકારના મોહનીયકર્મમાં અનુક્રમે ૭૦ - ૪૦ - ૨૦ કોકોસાગરોપમ, તથા પુરુષવેદ, હાસ્ય, રતિ, દેવદ્ધિક અને પ્રશસ્તવિહાયોગતિ એ છ પ્રકૃતિની ૧૦ કોકો સાગરોપમ સ્થિતિ છે. ટીકાર્થ:- મોહનીય ૩ પ્રકારે છે. (૧) મિથ્યાત્વરૂપ દર્શનમોહનીય (૨) ૧૬ કષાયરૂપ કપાયમોહનીય (૩) નપુંસકવેદ - અરતિ - શોક – ભય – જુગુપ્સારૂપ નોકષાયમોહનીય, તેની યથાસંખ્ય (ક્રમશ:) ઉત્કૃષ્ટસ્થિતિ ૭૦-૪૦-૨૦ કોડાકોડીસાગરોપમ છે. અને યથાસંખ્ય ૭-૪-૨ હજારવર્ષ અબાધાકાળ છે. અને અબાધાકાળ પૂર્ણ થયે કર્મદલિકનો નિષેક થાય છે. અહીં નોકષાય શબ્દથી નિશ્ચિત પ્રકૃતિઓ જ લેવાની. તે સિવાયની બીજી કહેવાયેલી છે અથવા કહેવાની હોવાથી, સામાન્ય શબ્દ વિશેષથી પર હોવાથી એ પ્રમાણે જાણવું. પુરુષવેદ, હાસ્ય-રતિ, દેવદ્રિક = દેવગતિ - દેવાનુપૂર્વી, “વાતિ' =ત્યાં વિભક્તિનો લોપ કરી નિર્દેશ કરેલ છે. ચકાર સમુચ્યય અર્થમાં છે. તેથી પ્રશસ્તવિહાયગતિમાં એ પ્રમાણે અર્થ કરવો... ૧૦ કોડાકોડીસાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. અને ૧,000 વર્ષ અબાધાકાળ છે. અબાધાકાળ પૂર્ણ થયે કર્મદલિક નિષેક થાય છે એમ સમજવું. थिरसुभपंचगउच्चे. चेवं संट्ठाणसंघयणमूले । तब्बीतियाइ वुिट्टी, अट्ठारस सुहुमविगलतिगे ॥ ७२ ॥ ૧૧૮ જે સમયે જે કર્મ બંધાય છે તેના ભાગમાં જે દલિકો આવે તેઓ ક્રમશ: ભોગવાય તેટલા માટે તેની વ્યવસ્થિત રચના થાય છે. જે સમયે કર્મ બંધાયું તે સમયથી આરંભી કેટલાક સમયોમાં રચના થતી નથી, પરંતુ તેની ઉપરના સમયથી થાય છે. જેટલાં સમયોમાં રચના થતી નથી, તેને અબાધાકાળ એટલે દલિક ૨ચના વિનાનો કાળ, બંધ સમયથી આરંભી અમુક સમયમાં દલરચના નહીં થવામાં કારણ જીવસ્વાભાવ છે. અબાધાકાળની ઉપરના સમયથી આરંભી અમુક સમયે આટલા જ દલિક ફળ આપે. અમુક સમયે આટલા દલિકો ફળ આપે એ પ્રમાણે સ્થિતિની ચરમ સમયપર્યત નિપેક રચના થાય છે જે જે સમયમાં જે જે પ્રમાણે રચના થઇ હોય તે તે સમય પ્રાપ્ત થાય ત્યારે તેટલો તેટલાં દલિ કોના ફળને ભોગવે છે. તેથી જ અબાધાકાળ ગયા પછી એક સામટા દલિકો ફળ આપતા નથી, પરંતુ ગોઠવણ અનુસાર જ ફળ આપે છે. જેટલાં સ્થાનોમાં ૨ચના થઇ નથી તેને અબાધાકાળ કહે છે. તેનું પ્રમાણ આગળ ઉપર કહેશે. ફળ ભોગવવા માટે થયેલી વ્યવસ્થિત દલિક રચનાને નિષેક રચના કહે છે. અબાધાકાળમાં લિક નહિ ગોઠવાયેલું હોવાથી તેટલાં કાળપયત વિવક્ષિત સમયે બંધાયેલા કર્મના ફળને અનુભવતો નથી. તેટલો કાળ ગયા પછી અનુભવે છે. અહીં જે સ્થિતિ કહી છે તે અબાધાકાળ સહિત કર્મસ્વરૂપે રહેનારી કહીં છે. કારણ કે અબાધાકાળમાં પણ તે કર્મનો સંબંધ તો જીવ સાથે છે જ. આવું વિના સાતકર્મની સ્થિતિ સાથે અબાધાકાળ જોડીને તેઓની સ્થિતિ કહીં છે કારણકે તે કર્મોના અબાધાકાળનું પ્રમાણ ચોક્કસ છે. આયુના અબાધાકાળનું પ્રમાણ ચોક્કસ નહિ હોવાથી તેની સ્થિતિ સાથે અબાધાકાળ જોયો નથી. પ્રશ્ન:- કર્મની અબાધાનું ફળ શું? ઉત્તર:- કર્મનો અબાધાકાળ કહેવાથી એ વાત સ્પષ્ટ થાય છે કે કર્મ બાંધ્યા પછી તે જ સમયે (બંધ સમયે જ) અથવા બીજે - ત્રીજે સમયે ઉદયમાં આવતું નથી. પણ કહેવાયેલો જઘન્ય અથવા ઉત્કૃષ્ટ અબાધાકાળ પૂર્ણ થયે તુરત જ ઉદયમાં આવી શકે છે. આ રીતે અબાધાકાળ પૂર્ણ થયે ઉદય વર્તે છે તે શુદ્ધ ઉદય કહ્યો છે. અન્યથા ઉદીરણા કરવડે અબાધાપૂર્ણ થયા વિના નિર્ધકકાળમાંના કંઇક પુદ્ગલો ઉદયાવલિકામાં આવી ઉદયભાવે વર્તે છે, પરંતુ તે “અશુદ્ધોદય' અથવા ‘ઉદીરણોદય' કહ્યો છે. વળી વિશુદ્ધ પરિગ્રામવાળો જીવ અપવર્તના (સ્થિતિઘાત) અને ઉદ્ધલના કરવડે તો રચાયેલા દીર્ઘ નિષેકકાળને પણ અલ્પ કરે છે. તેમજ વિશેષહીન વિશેષહીન પણ અનુક્રમે કરે છે (એટલે કર્મપુદ્ગલનો ઉદય આવવાનો નિયમ તોડી, અસંખ્ય ગુણ અસંખ્યગુણ ઉદય આવવાનો ક્રમ પણ બનાવે છે. આ રીતે નિષેકકાળને જો ટૂંકો ન બનાવે તો જીવને મોક્ષનો સઘકાળ અભાવ થાય. પ્રશ્ન:- અબાધાકાળ વીત્યા પછી કયો ઉદય હોય ? ઉત્તર :- અબાધા વીત્યા બાદ જિનનામનો પ્રદેશોદય, આહારકહિક આદિ અધ્રુવોદયી કર્મનો પ્રદેશોદય અથવા તો વિપાકોદય અને આયુષ્યનો અવશ્ય વિપાકોદય હોય છે. તથા ધ્રુવોદયીનો વિપાકોદય અવશ્ય હોય છે. એ પ્રમાણે યથાસંભવ વિચારવું. Jain Education International For Personal & Private Use Only www ainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy