SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ પ્રમાણ છે. અને પૂર્વના પલ્યોપમના અસંખ્યાતભાગના સમય પ્રમાણ છે. તેથી પૂર્વના કરતાં આ બેઇ અપર્યાપ્તના અસંખ્યાતગુણ થાય છે. તેથી પણ બેઇ. પર્યાપ્તના સ્થિતિસ્થાનો સંખ્યાતગુણ છે. તેથી તે ઇન્દ્રિય અપર્યાપ્તના સંખ્યાતગુણ છે. તેથી પણ તે ઇન્દ્રિય પર્યાપ્તના સંખ્યાતગુણા છે. તેથી ચઉ૦ અપર્યાપ્તના સંખ્યાતગુણ છે. તેથી પણ તે જ ચઉપર્યાપ્તના સંખ્યાતગુણ છે. તેથી અસંજ્ઞિ પંચે અપર્યાપ્તના સંખ્યાતગુણ છે. તેથી પણ તે જ અસંજ્ઞિ પંચે પર્યાપ્તના 1‘સંખ્યાતગુણા છે. તેથી સંજ્ઞિ પંચે. અપર્યાપ્તના સંખ્યાતગુણ છે. તેથી પણ તે જ સંજ્ઞિ પંચે પર્યાપ્તના સંખ્યાતગુણ હોય છે. “સમરિયર' ત્તિ = અસમાનાના = અપર્યાપ્તા અને તેનો ઇતર = પર્યાપ્તો. પર્યાપ્ત બાદર વગેરેના સ્થિતિસ્થાનો ક્રમથી સંખ્યાતગુણ છે. તેમાં એટલું વિશેષ એ છે કે બેઇ0 આદિમાં બે ઇન્દ્રિયના પ્રથમ ભેદ અપર્યાપ્તરૂપે સ્થિતિસ્થાનો એકેન્દ્રિયના કહીને, તેનાથી અસંખ્યાતગુણ કહેવાં, અને આ પહેલાં બતાવેલ જ છે અને સંકુલેશ સર્વઠેકાણે, સર્વસ્થાનોમાં અસંખ્યાતગુણ કહેવો, પરંતુ કેવલ બેઇન્દ્રિયના પ્રથમ ભેદે સ્થિતિસ્થાનો અસંખ્યાતગુણ છે. અને એ પ્રમાણે અર્થ છે. તે આ પ્રમાણે કહે છે. સૂક્ષ્મ અપર્યાપ્તના સંક્લેશસ્થાનો સર્વથી અલ્પ છે. તેથી અપર્યાપ્ત બાદરના અસંખ્યાતગુણ છે. તેથી પર્યાપ્ત સૂક્ષ્મ – બાદર, અપર્યાપ્ત-પર્યાપ્ત બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞિ, સંષિ પંચેન્દ્રિયના સંકુલેશસ્થાનો અનુક્રમે ઉત્તરોત્તર અસંખ્યાતગુણ છે. સર્વ ઠેકાણે પણ સંકુલેશસ્થાનોનું અસંખ્યાતગુણપણે કઇ યુક્તિથી કહ્યું ? તો કહે છે - અહીં સૂક્ષ્મ અપર્યાપ્તના જઘન્ય સ્થિતિબંધની શરૂઆતમાં જેટલાં સંકુશસ્થાનો છે તેથી પ્રતિસમયે ઉત્તરોત્તર (પછી પછીના) સ્થિતિસ્થાનોમાં વિશેષ અધિક અધિક હોય છે. તે ઉત્કૃષ્ટ સ્થિતિબંધની શરૂઆતમાં અસંખ્યાતગુણ થાય છે. એ પ્રમાણે જો સુક્ષ્મ અપર્યાપ્તના સ્થિતિસ્થાનો સર્વથી થોડા હોતે છતે પણ જઘન્ય સ્થિતિસ્થાન સંબંધી સંકુલેશસ્થાનની અપેક્ષાએ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનમાં સંકુલેશસ્થાન અસંખ્યાતગુણ થાય છે. ત્યારે બાદર અપર્યાપ્તનાં સ્થિતિસ્થાનો સૂક્ષ્મ અપર્યાપ્તના સ્થિતિસ્થાનોની અપેક્ષાએ સંકુલેશસ્થાનો અસંખ્યાતગુણ સ્પષ્ટ રીતે હોય છે. એ પ્રમાણે ઉત્તરોત્તર અસંખ્યયગુણપણું કહેવું. એ પ્રમાણે પૂર્વના સંકુલેશ સ્થાનોનું પ્રથમની અપેક્ષાએ ઉત્તરોત્તર અસંખ્યાતણ અસંખ્યાતગુણ છે. એટલે ક્યાંય દોષ નથી. एमेव विसोहीओ, विग्यावरणेसु कोडिकोडीओ। उदही तीसमसाते, तद्धं थीमणुयदुगसाए ॥ ७० ॥ एवमेव विशोधयो, विघ्नावरणेषु कोटीकोट्यः।। उदधयस्त्रिंशदसाते, तदर्धं स्त्रीमनुजद्विक सातेषु ।। ७० ॥' ગાથાર્થ - એ પ્રમાણે સંકુલેશસ્થાનોની જેમ વિશુદ્ધિસ્થાન પણ અસંખ્યગુણ છે. અંતરાય, જ્ઞાના દર્શના અને અસતાવેદનીય એ ચાર કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડીસાગરોપમની છે, અને સ્ત્રીવેદ, મનુષ્યદ્ધિક ને સાતવેદનીય એ ચારકમની ઉ0 સ્થિતિ તેનાથી અર્ધ = ૧૫ કોડાકોડીસાગરોપમની છે. ૧૧૪ જો કે આ ગ્રંથમાં એકેન્દ્રિયના જઘન્ય સ્થિતિબંધને પચીસ, પચાસ આદિએ ગુણતાં જે આવે તેટલો બેઇન્દ્રિયાદિનો જઘન્ય અને એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને પચીસ, પચાસ આદીએ ગુણતાં જે આવે તેટલો બેઇન્દ્રિયાદિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યો છે. કર્મગ્રંથની જેમ એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને પચીસ આદિએ ગુણી તેમાંથી પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યૂન જઘન્ય સ્થિતિબંધ કહ્યો નથી. છતાં પણ અહીં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધની વચ્ચે પલ્યોપમના સંખ્યાતમા ભાગનું અંતર સંભવતું હોય તેમ લાગે છે. તેથી ઉપર બેઇન્દ્રિયના પલ્યોપમની સંખ્યામાં ભાગ પ્રમાણે સ્થિતિસ્થાનકો કહ્યાં જણાય છે. પરંતુ આ ગ્રંથકારના મત પ્રમાણે પર્યાપ્ત બાદર એકેન્દ્રિયના સ્થિતિસ્થાનોની અપેક્ષાએ અપર્યાપ્ત બેઇન્દ્રિયના સ્થિતિસ્થાનો પુરા પચીસગુણાં પણ નથી તો તે અસંખ્યગુણ કેમ થઇ શકે ? તે વિચારણીય છે. ૧૧૫ અહીં અસંશિ પંચેન્દ્રિય પર્યાપ્ત સુધીના દરેક ભેદમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિની વચ્ચે પલ્યોપમના સંખ્યાતમા ભાગનું અંતર છે એટલે તેટલાં સ્થિતિસ્થાનો કહ્યા છે અને પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ક્રમશઃ મોટો મોટો લેવાથી ઉપરોક્ત અલ્પ બહુત્વ ઘટે છે. - અપર્યાપ્ત સંશિનો જઘન્ય સ્થિતિબંધ અંતઃકોડાકોડી અને ઉત્કૃષ્ટ પણ અંતઃકોડાકોડી સાગરોપમ છે પરંતુ જઘન્યથી ઉત્કૃષ્ટ સંખ્યાતગુણ મોટો છે એટલે સંખ્યાતગુણા ઘટે છે અને પર્યાપ્ત સંાિને મિથ્યાત્વ ગુણઠાણે જઘન્ય સ્થિતિબંધ અંત:કોડાકોડી સાગરોપમ અને ઉત્કૃષ્ટ દરેક પ્રકૃતિનો જેટલો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યો છે તેટલો થાય છે માટે તેને પણ સંખ્યાતગુણ ઘટે છે. ૧૧૬ સંકુલેશ એટલે શું? સ્થિતિબંધના હેતુભૂત જે કાષાયિક અધ્યવસાયસ્થાનો તે સંકલેશસ્થાનો કહેવાય છે. સર્વ જીવ ભેદોમાં જેમ સંકલેશસ્થાનો છે તેમ વિશુદ્ધિસ્થાનો પણ છે, પરંતુ તે વિશુદ્ધિસ્થાનોનું સ્થિતિબંધમાં પ્રયોજન નહીં હોવાથી આ સ્થિતિસ્થાનના પ્રકરણમાં માત્ર સંકુલેશસ્થાનોની જ વિવલા કરી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy