SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૧૬૧ - અથ ચોથા સ્થિતિ બંધનું સ્વરૂ૫:- ) ठिइबंधट्ठाणाई, सुहुमअपज्जत्तगस्स थोवाइं । વાયરસુવિરવિતિ - વેદિય મારીvi ૬૮ संखेज्जगुणाणि कमा, असमत्तियरे य बिंदियाइम्मि । नवरमसंखेज्जगुणाणि, संकिलेसा य सम्वत्थ ॥ ६९ ॥ स्थितिबंधस्थानानि, सूक्ष्मापर्याप्तकस्य स्तोकानि । વાત સૂક્ષ્મતા-દ્વિત્રિ-ચતુરિયામનઃ (i) સંસિનો ૬૮ | संख्येयगुणानि क्रमाद्-असमाप्ते (अपर्याप्त) तरे च द्वीन्द्रियादौ । नवरमसङ्ख्येयगुणानि, संक्लेशाश्च सर्वत्र ।। ६९ ॥ ગાથાર્થ :- સુક્ષ્મ અપર્યાપ્તાના સ્થિતિસ્થાનો અલ્પ, તેથી બાદર અપ- સૂ૫૦ - બા ૫૦, - દ્વિઅપ0 - દ્વિપ, ત્રિdઅપ - ત્રિપ૦ ચઉન્ડઅપ - ચઉપર્યા - અસંઇઅપ - અસં૫૦ - સંઅપ0 - સંપ0 ના સ્થિતિસ્થાનો અનુક્રમે સંખ્યાતગુણ કહેવાં, પરંતુ બાdઅપ થી દ્વિઅપ0 ના સ્થિતિસ્થાનો અસંખ્યાતગુણ કહેવાં અને સંકુલેશસ્થાનો સર્વત્ર અસંખ્યાતગુણ કહેવાં. ટીકાર્થ :- પ્રમાણે અનુભાગબંધ કહ્યો, હવે સ્થિતિબંધનો પ્રસંગ છે. ત્યાં ચાર અનુયોગદ્વારો છે. (૧) સ્થિતિસ્થાન પ્રરૂપણા (૨) નિષેક પ્રરૂપણા (૩) અબાધાકંડક પ્રરૂપણા (૪) અલ્પબદુત્વ પ્રરૂપણા. ( - અથ ૧લી સ્થિતિસ્થાન પ્રરૂપણા - ) ત્યાં પ્રથમ સ્થિતિસ્થાન પ્રરૂપણા કહે છે. અહીં જઘન્ય સ્થિતિથી શરૂ કરીને ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી જેટલાં સમયો તેટલા પ્રમાણના સ્થિતિસ્થાનો હોય છે. અને તે સ્થિતિસ્થાનો સૂક્ષ્મ અપર્યાપ્તના સર્વથી અલ્પ છે. 13 તેથી પણ અપર્યાપ્ત બાદરના સંખ્યયગુણ છે. તેથી પણ સૂક્ષ્મ પર્યાપ્તના સંખ્યયગુણ છે. તેથી પણ બાદર પર્યાપ્તના સંખ્યયગુણ છે. અને આ ચાર પલ્યોપમના અસંખ્યાતભાગના સમય પ્રમાણ જાણવાં. તેનાથી અપર્યાપ્ત બેઇન્દ્રિયના અસંખ્યાતાગુણ છે. કેવી રીતે ? તો કહે છે. બેઇન્દ્રિય અપર્યાપ્તના સ્થિતિસ્થાનો પલ્યોપમના સંખ્યાતભાગના સમય ૧૧૨ એક સમયે એક સાથે જેટલી સ્થિતિનો બંધ થાય છે તે સ્થિતિસ્થાનક કહેવાય, અને તે બંધથી થતો હોવાથી બદ્ધસ્થિતિસ્થાનક કહેવાય, જેમ કોઇ જઘન્ય સ્થિતિનો બંધ કરે તે પહેલું સ્થિતિસ્થાન, કોઇ સમયાધિક જઘન્ય સ્થિતિબંધ કરે તે બીજું સ્થિતિસ્થાન એમ કોઇ ત્રણ, ચાર, સંખ્યાતા, સમયાધિક સ્થિતિનો બંધ કરે. યાવતું કોઇ ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ કરે તે છેલ્લું સ્થિતિસ્થાનક છે. આ તો બદ્ધ સ્થિતિસ્થાનકની વાત થઇ. હવે સત્તાગત સ્થિતિસ્થાનકતાનો વિચાર કરીએ. એક સમયે જઘન્ય મધ્યમ કે ઉત્કૃષ્ટ જેટલી સ્થિતિ બંધાઇ હોય તેના ભાગમાં આવેલ વર્ગણાઓની અબાધાકાળ છોડીને જેટલાં સમયોમાં રચના થાય તે સઘળા સત્તાગત સ્થિતિસ્થાનો કહેવાય. સત્તાગત સ્થિતિસ્થાનક એટલે એક સમયે એક સાથે કાળભેદ જેટલાં સમયોના બંધાયેલા અને જેટલી વર્ગણાઓના ફળને અનુભવે છે. ૧૧૩ સામાન્યથી સંક્લેશ અને વિશુદ્ધિનો આધાર યોગ છે જેમ જેમ યોગ વ્યાપાર વધારે હોય તેમ તેમ વધારે વધારે પ્રમાણમાં વિશુદ્ધિ કે સંક્લેશ હોઇ શકે. જેમ જેમ યોગ અલ્મ તેમ તેમ અલ્પ અલ્પ હોય અને સ્થિતિબંધનો આધાર સંકુલેશ કે વિશુદ્ધિ છે. જેમ જેમ સંકુલેશ વધારે તેમ તેમ સ્થિતિનો બંધ વધારે, જેમ જેમ સંકુલેશ ઓછો અને વિશુદ્ધિ વધારે તેમ તેમ સ્થિતિનો બંધ અલ્પ અલ્પ થાય. એકેન્દ્રિયોમાં બાદર પર્યાપ્ત એકેન્દ્રિયનો યોગ સર્વથી વધારે છે તેનાથી સૂક્ષ્મ પર્યાપ્તનો તેનાથી બાદર પર્યાપ્તનો અને તેનાથી સૂક્ષ્મ અપર્યાપ્તનો ઓછો ઓછો છે. સંલેશ અને વિશુદ્ધિમાં પણ. આજ ક્રમ છે. બાદર પર્યાપ્ત એકેન્દ્રિયનો સંક્લેશ કે વિશુદ્ધિ બીજા એકેન્દ્રિયોથી વધારે છે અને તેથી જ તેઓને સ્વયોગ્ય ઓછામાં ઓછો અને વધારેમાં વધારે સ્થિતિબંધ થઇ શકે છે. તેનાથી સૂક્ષ્મ પર્યાપ્તને સંલેશ પણ ઓછો અને વિશુદ્ધિ પણ ઓછી તેથી તે બાદરપર્યાપ્ત જેટલી જઘન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી શકતા નથી. દાખલા તરીકે બાદર પર્યાપ્ત ઉત્કૃષ્ટ સો વરસ અને જઘન્ય પાંચ વરસની સ્થિતિ બાંધતા હોય તો સૂક્ષ્મ પર્યાપ્ત જઘન્ય પંદર અને ઉત્કૃષ્ટ નેવુંની બાંધે. તેથી જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિની વચમાં અંતર ઓછું રહે. આ હેતુથી જ બાદર પર્યાપ્ત સૂક્ષ્મ પર્યાપ્તના સ્થિતિસ્થાનકો ઓછા થાય આ પ્રમાણે બાદર અપર્યાપ્તાદિ માટે પણ સમજવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy