SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ કર્મપ્રકૃતિ આ પ્રમાણે સાતાનો અસાતા સાથે પરાવર્તમાન - પરાવર્તમાન થઈને વ્યવસ્થિત બંધ હોતે છતે ઉત્કૃષ્ટ સ્થિતિથી શરૂ કરીને જઘન્ય અનુભાગબંધ ઉચિત પરાવર્તમાન મધ્યમપરિણામ ત્યાં સુધી પામે કે જ્યાં સુધી અપ્રમત્તગુણસ્થાનકે અંતઃકોડાકોડી સાગરોપમની સર્વ જઘન્યસ્થિતિ થાય. આ સમ્યગુદૃષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ યોગ્ય સ્થાનને વિષે એક પ્રકૃતિનો બીજી પ્રકૃતિના સંક્રમમાં મન્દ પરિણામે જઘન્ય અનુભાગબંધ ઉચિત પામે, બીજે નહીં, શુદ્ધ સ્થિતિમાં અપ્રમત્તાદિનો અને મિથ્યાદૃષ્ટિનો સાતા-અસાતાના ઘણાં રસથી નિવૃત્ત (ઉત્પન્ન) થાય છે. સાગરોપમ આદિરૂપે વેદનીય કર્મની સ્થિતિના બંધક એકેન્દ્રિય આદિને પણ તેવા પ્રકારના અધ્યવસાયના અભાવથી જઘન્ય અનુભાગબંધ સંભવે નહીં. તેથી જે પ્રમાણે કહેલ સ્થિતિબંધને વિષે જ જઘન્ય અનુભાગબંધ સંભવે, તેવા પ્રકારના પરિણામનું સદ્ભાવ હોવાથી. એ પ્રમાણે અસ્થિર, અશુભ, અયશકીર્તિની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કોડાકોડીસાગરોપમની છે. સ્થિર, શુભ યશકીર્તિની તો (ઉત્કૃષ્ટ સ્થિતિ) ૧૦ કોડાકોડી સાગરોપમની છે. ત્યાં અસ્થિર, અશુભ અયશકીર્તિનો સમ્યગુદૃષ્ટિ યોગ્ય સ્થિતિને વિષે પ્રમત્તસંયત તતુ પ્રાયોગ્ય વિશુદ્ધિમાં જઘન્ય સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમના લક્ષણવાળી બાંધે, અંતર્મુહૂર્ત પછી વિશુદ્ધ સ્થિર આદિ બાંધે, ફરી પણ અસ્થિર આદિ બાંધે આ પ્રમાણે દેશવિરતિ - અવિરત - મિશ્ર - સાસ્વાદન - મિથ્યાષ્ટિ પણ પરાવર્તી - પરાવર્તી (વારાફરતી) સપ્રતિપક્ષ અસ્થિર - અશુભ-અયશ-કીર્તિ બાંધે છે. ત્યાં મિથ્યાદિ પરાવૃત્તિથી ત્યાં સુધી બાંધે કે જ્યાં સુધી સ્થિરાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય. અને આ સમ્યગુદૃષ્ટિ - મિથ્યાષ્ટિ સ્થાનને વિષે જઘન્ય અનુભાગબંધ પામે, બીજે ૧૦ કોડાકોડીથી આગળ અસ્થિર આદિનો જ અશુભરસ ઘણો બાંધે છે. અપ્રમત્ત આદિમાં પણ સ્થિરાદિનો જ શુભસ ઘણો બાંધે. તેથી બીજે જઘન્ય અનુભાગ પામે નહીં. સ્થાવર અને એકેન્દ્રિયજાતિનો નારક સિવાય શેષ ત્રણ ગતિના મિથ્યાદૃષ્ટિ જીવ પરાવર્તમાન મધ્યમ પરિણામે જઘન્ય અનુભાગબંધના સ્વામી થાય. કારણકે સર્વવિશુદ્ધ તો પંચેન્દ્રિયજાતિ ત્રસનામનો બંધક થાય છે. સર્વ સંફિલષ્ટ એવા સ્થાવર, એકેન્દ્રિયજાતિનો ઉત્કૃષ્ટ અનુભાગના બંધક થાય છે, આ રીતે વિચારીને મધ્યમ પરિણામવાળાનું ગ્રહણ કર્યું છે. અને આ મધ્યમ પરિણામવાળો પણ જ્યારે ૧ અંતર્મુહૂર્તમાં એકેન્દ્રિયજાતિ – સ્થાવરનામ બાંધીને ફરી બીજા પણ અંતર્મુહૂર્તમાં તે જ બાંધે ત્યારે પણ (જઘન્ય અનુભાગબંધ) હોય છે. ફક્ત ત્યારે અવસ્થિત (સ્થિર) પરિણામમાં અશુભ આ બે પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગના કારણભૂત વિશુદ્ધિ ન પામે, તેથી મધ્યમ પરિણામ પરાવર્તમાન વડે વિશેષ જાણવા મળે. અને તેવા પ્રકારના પરિણામમાં પંચેન્દ્રિયજાતિ, ત્રસનામનો પરાવર્તમાને બંધ થાય. ત્યારે જઘન્ય અનુભાગ પામે છે. એ પ્રમાણે બરાબર છે, તો પણ નારક સિવાય શા માટે કહ્યું ? તો કહે છે - કારણકે નારકોને સ્વભાવથી જ આ બન્ને પ્રકૃતિનું અબંધકપણું હોય છે. આપ નામકર્મનો સર્વસંકૂિલષ્ટ ઈશાન સુધીના મિથ્યાદૃષ્ટિ દેવ જઘન્ય અનુભાગબંધના સ્વામી થાય. આ શુભ પ્રકૃતિ હોવાથી સર્વસંફિલષ્ટ વાળાને જઘન્ય અનુભાગ બંધકપણું છે, અને તે બંધકને વિષે જ તેઓનું સર્વસંકુિલપણું છે. કારણકે તિર્યંચ - મનુષ્ય તો આટલા સંફિલષ્ટપણામાં વર્તતાં હોય તો નારકાદિ પ્રાયોગ્ય બાંધે છે. નારકો અને સનત્કુમાર આદિ દેવો ભવપ્રત્યયે તે ન બાંધે. તેથી સર્વનો ત્યાગ કરીને જે પ્રમાણે ઈશાન સુધીના દેવ કહ્યા તે જ ગ્રહણ કરવા યોગ્ય છે. મનુષ્યદ્ધિ ક - સંઘયણ-૬ - સંસ્થાન-૬,-વિહાયોગતિદ્વિક, - સુભગ-સુસ્વર-આદેય, દુર્ભગ-દુસ્વર-અનાદેય ઉચ્ચગોત્ર એમ ૨૩ પ્રકૃતિઓનો ચારગતિના મિથ્યાદૃષ્ટિ મધ્યમ પરિણામે જઘન્ય અનુભાગબંધ કરે છે. સમ્યગુદૃષ્ટિઓને આ પ્રકૃતિઓનો પરાવર્તમાને ન હોય. તે આ પ્રમાણે કહે છે. સમ્યગુદૃષ્ટિ તિર્યંચ મનુષ્યો દેવદ્ધિક જ બાંધે પણ મનુષ્યદ્ધિક ન બાંધે. સંસ્થાનમાં પણ સમચતુરસ જ બાંધે. સંઘયણમાં કોઇ પણ ન બાંધે. શુભવિહાયોગતિ, સુભગ, સુસ્વર, આદેય, ઉચ્ચગોત્ર તો સમ્યગુષ્ટિને શુભ બંધાતી હોવાથી અપ્રતિપક્ષ જ છે. સમ્યગુદૃષ્ટિ દેવ-નારકો પણ મનુષ્યદ્ધિક જ બાંધે પણ તિર્યંચદ્ધિક નહીં. સંસ્થાનમાં સમચતુરસ્ત્ર જ બાંધે, સંઘયણમાં વજઋષભનારાચ જ બાંધે, વિહાયોગતિ આદિ પણ શુભ બાંધે, અશુભ નહીં, તેથી પરાવૃત્તિના અભાવથી સમ્યગ્દષ્ટિ ન લીધા. (અર્થાત્ સમ્યગુદૃષ્ટિ જઘન્ય અનુભાગબંધ ન કરે) ત્યાં મનુષ્યદ્ધિકની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫ કોડાકોડીસાગરોપમની છે. શુભવિહાયોગતિ - સુભગ - સુસ્વર- આદિ- ઉચ્ચગોત્ર - વજ>ષભનારાચ સમચતુરસની (ઉત્કૃષ્ટ સ્થિતિ) ૧૦ કોડાકોડીસાગરોપમ છે. આ શુભ પ્રકૃતિઓ પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિથી શરૂ કરીને પ્રતિપક્ષ (વિરૂદ્ધવાળી) પ્રકૃતિ સાથે પરાવર્તમાને ત્યાં સુધી બાંધે કે જ્યાં સુધી તે જ પ્રતિપક્ષ પ્રકૃતિઓની સર્વ જઘન્ય અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિ થાય. આ સ્થિતિસ્થાનમાં પરાવર્તમાને મધ્યમ પરિણામ હોવાથી આ પ્રકૃતિનો જઘન્ય અનુભાગબંધ કરે. હુંડક-સેવાર્તની પણ વામન – કીલિકાની ઉત્કૃષ્ટ સ્થિતિથી શરૂ કરીને પોતપોતાની જઘન્ય સ્થિતિ સુધી પરાવર્તમાને જઘન્ય અનુભાગબંધ પામે છે. બાકીના સંસ્થાન સંઘયણનો પણ પોતાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy