SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૧૫૭ ઔદારિકદ્ધિક-ઉદ્યોતનો દેવ અથવા નારક તિર્યંચગતિ પ્રાયોગ્ય ૨૦ કોડાકોડીસાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધતો ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ વર્તતો જઘન્ય અનુભાગબંધનો સ્વામી થાય. આ પ્રકૃતિઓનો તિર્યંચગતિ પ્રાયોગ્ય બંધ સાથે રહેતી પ્રકૃતિઓનો જ જઘન્ય રસ બંધ થાય. અને તિર્યંચ મનુષ્ય આટલા સંક્લિષ્ટ વર્તતાં નરકગતિ પ્રાયોગ્ય બંધના સંભવને કારણે તેના ૩-પ્રકૃતિના બંધનો સંભવ નથી. (અર્થાતુ તિર્યંચ મનુષ્ય જઘન્ય અનુભાગબંધના સ્વામી ન થાય.) અને ઔદારિક અંગોપાંગનો ઈશાન પછીના એટલે કે સનત્કુમારાદિ દેવો જાણવાં. કારણકે ઈશાન સુધીના અતિસંક્લિષ્ટ પરિણામે એકેન્દ્રિય પ્રાયોગ્ય જ બાંધે, અને ઔદારિક અંગોપાંગ એકેન્દ્રિયને ન હોય. તિર્યંચદ્ધિક – નીચગોત્રનો સાતમી નારકનો જીવ ઔપથમિક સમ્યકત્વને ઉત્પન્ન કરતો યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણ કરવા પૂર્વક અંતરકરણ કરીને પ્રથમ સ્થિતિને (મિથ્યાત્વના) વિપાકને અનુભવતો છેલ્લા સમયે મિથ્યાષ્ટિ કરે. આ ત્રણ પ્રકૃતિનું અશુભપણું હોવાથી સર્વવિશુદ્ધ જઘન્ય અનુભાગબંધ કરનારો થાય. તે બંધકને વિષે જ વિશુદ્ધ છે. અને શતક ચૂર્ણિમાં કહ્યું છે. - “સિરિય સિરિયાવિળીયાગોયા કરે સત્તમપૂરિનેરો સન્મત્તામિણો હું પિત્ત चरमसमयमिच्छदिट्ठी भवपच्चएण ताओ तित्रि वि बंधई जाव मिच्छत्तभावो ताव तस्स जहण्णोणुभागो हवइ तब्धगेसु લવંતસિકો ત્તિ હરિ''I તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી નીચગોત્રનો સાતમી નારકનો જીવ સમ્યકત્વ અભિમુખ થયેલ કરણોને કરીને મિથ્યાદૃષ્ટિ છેલ્લા સમયે જ્યાં સુધી મિથ્યાત્વ ભાવ છે ત્યાં સુધી ભવપ્રત્યયિક તે ત્રણે પ્રકૃતિઓ બાંધે છે. માટે તેને તેનો જઘન્ય રસબંધ થાય છે. તેના બંધકોને વિષે અત્યંત વિશદ્ધ છે. કારણકે અન્ય સ્થાનવર્તી આટલી વિશુદ્ધિમાં મનુષ્યદ્વિક આદિ સહિત ઉચ્ચગોત્ર બાંધે તેથી સાતમી નારકનું ગ્રહણ કર્યું છે. એ પ્રમાણે ભાવ છે. અવિરત સમ્યગુદૃષ્ટિ - મિથ્યાત્વ અને નરકગમન સન્મુખ થયેલ મનુષ્ય તીર્થકર નામકર્મનો (જઘન્ય અનુભાગબંધ) કરે કારણકે તે જીવને જ શુભપણું હોવાથી જઘન્ય અનુભાગ સંફિલષ્ટ વડે બંધાય, અને તે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણેના વિશેષણોથી યુક્ત તેને જ હોય છે. ત્યાં તિર્યંચો તીર્થકર નામને પહેલા બાંધેલા અને બાંધતા એવા જીવો ભવ પ્રત્યયથી જ હોતાં નથી તેથી મનુષ્યનું ગ્રહણ કર્યું છે. ક્ષાયિક સમ્યગુદૃષ્ટિ શ્રેણિક આદિ નરક ગમન સન્મુખ થયેલાને પણ વિશુદ્ધપણું હોવાથી અને બીજી ગતિ સન્મુખ સમ્યગુદૃષ્ટિને તેવા પ્રકારના સંકુલેશના અભાવથી મિથ્યાત્વ અને નરકાભિમુખનું ગ્રહણ કર્યું છે. પંચેન્દ્રિયજાતિ, તેજસ-કાર્પણ પ્રશસ્તવર્ણ-ગંધ-રસ-સ્પર્શ-અગુરુલઘુ-પરાઘાત-ઉચ્છવાસ-ત્રસ-બાદર-પર્યાપ્તપ્રત્યેક-નિર્માણ લક્ષણવાળી ૧૫ પ્રકૃતિઓનો ચારેગતિના મિથ્યાદૃષ્ટિ જીવ સર્વ ઉત્કૃષ્ટ સંફિલષ્ટપણામાં જઘન્ય અનુભાગબંધ કરનાર છે. કારણકે આ શુભ પ્રકૃતિ હોવાથી સર્વ ઉત્કૃષ્ટ સંક્લિષ્ટવડે જઘન્ય રસ બાંધે છે. અને ત્યાં તિર્યંચ-મનુષ્ય સર્વ ઉત્કૃષ્ટ સંફિલષ્ટ પરિણામે વર્તતા નરકગતિ સાથે રહેનારી આ (પ્રકૃતિઓ) બાંધતા જઘન્ય રસ બાંધે છે. નારકો અને સનત્કુમારાદિ દેવો સર્વસંફિલષ્ટ પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય આ (પ્રકૃતિઓ) બાંધતા જઘન્યરસે બાંધે છે. ઈશાન સુધીના દેવો સર્વસંફિલષ્ટ હોય તો પંચેન્દ્રિયજાતિ - ત્રસ સિવાયની બાકીની ૧૩ પ્રકૃતિઓ એકેન્દ્રિય પ્રાયોગ્ય બાંધતા જઘન્યરસે બાંધે છે. પંચેન્દ્રિયજાતિ ત્રણનામ તો વિશુદ્ધ હોય ત્યારે આ ઈશાન સુધીના દેવો બાંધે. તેથી જઘન્યરસ ન બાંધે તેથી તેનું વર્જન કર્યું છે. તે જ ચારે ગતિના મિથ્યાદૃષ્ટિ સહેજ વિશુદ્ધ થયેલો સ્ત્રીવેદ નપુંસકવેદનો જઘન્ય અનુભાગબંધનો સ્વામી થાય, ફક્ત હેજ શુદ્ધિવાળો નપુંસકવેદનો, તેથી હેજ વધારે શુદ્ધિવાળો સ્ત્રીવેદનો સર્વ વિશુદ્ધિવાળો પુરુષવેદ જ બાંધે, તેથી “મનાવશુધ્યતઃએ પ્રમાણે કહ્યું છે. સાતવેદનીય, સ્થિર, શુભ, યશ-કીર્તિ, ૪ પ્રકૃતિઓનો અને સપ્રતિપક્ષ એવી અસાતા, અસ્થિરઅશુભ, અયશકીર્તિનો સમ્યગુદૃષ્ટિ અથવા મિથ્યાદૃષ્ટિ પરાવર્તમાન, મધ્યમ પરિણામે જઘન્ય અનુભાગબંધ સ્વામી થાય. કેવી રીતે ? તો કહે છે -- અહીં સાતાની ૧૫ કોડાકોડીસાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને અસાતાની ૩૦ કોડાકોડીસાંગરોપમની સ્થિતિ છે. ત્યાં પ્રમત્ત સંયત તતુ પ્રાયોગ્ય વિશુદ્ધ અસાતાની સમ્યગુદૃષ્ટિ યોગ્ય સ્થિતિને વિષે સર્વ જઘન્ય અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિને બાંધે, પછી અંતર્મુહૂર્ત રહી પરાવૃત્ય (વારાફરતી) સાતાને બાંધે. ફરી પણ અસાતાને બાંધે. એ પ્રમાણે દેશવિરતિ, અવિરત સમ્યગુદૃષ્ટિ, મિશ્ર, સાસ્વાદન, મિથ્યાદૃષ્ટિઓ પણ પરાવર્તિત એવી સાતા-અસાતાને બાંધે. ત્યાં મિથ્યાદૃષ્ટિ સાતા-અસાતા સાથે પરાવૃત્ય ત્યાં સુધી બાંધે જ્યાં સુધી સાતાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૫ કોડાકોડીસાગરોપમની થાય. તેથી આગળ પણ સંફિલષ્ટ, સંકુલખતર, સંફિલષ્ટતમ ફક્ત અસાતાને જ ત્યાં સુધી બાંધે કે જ્યાં સુધી ૩૦ કોડાકોડીસાગરોપમ સ્થિતિ થાય. પ્રમત્તથી પણ આગળ અપ્રમત્તાદિમાં વિશુદ્ધ, વિશુદ્ધતર, વિશુદ્ધતમ, ફક્ત સાતાને જ બાંધે યાવતુ સૂક્ષ્મસંપાયમાં ૧૨ મુહુર્ત (જઘન્ય સ્થિતિબંધના અધ્યવસાય) સુધી બાંધે, તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy