SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ કર્મપ્રકૃતિ તેમાં પણ 1નરકત્રિકનો અતિસંક્લિષ્ટ, વિકલત્રિક - સૂક્ષ્મત્રિકનો તેના યોગ્ય સંલેશવાન હોય, કારણકે અતિ સંકૂિલવાળો આ ષક (૬)ને ઉલ્લંઘીને નરક યોગ્ય બાંધે છે. દેવ-નારકોને તો ભવ પ્રત્યયથી આ પ્રકૃતિના બંધનો અસંભવ છે. એકેન્દ્રિયજાતિ, સ્થાવરનો ભવનપતિથી લઇ ઇશાન સુધીના દેવ જ અતિસંફિલષ્ટ મિથ્યાદૃષ્ટિ ઉત્કૃષ્ટ અનુભાગનો બંધક છે, કારણકે તિર્યંચ અને મનુષ્ય અતિસંક્લિષ્ટ હોય તો નરકગતિ પ્રાયોગ્ય બંધકપણું છે, અને મન્દ સંકલેશે આ (પ્રકૃતિઓ) અશુભપણું હોવાથી ઉત્કૃષ્ટ અનુભાગબંધનો અસંભવ છે. નારકો અને ઇશાન પછીના દેવો (સનત્કુમારાદિ)ને ભવ પ્રત્યયથી જ આ પ્રકૃતિનું અબંધકપણું છે. તિર્યંચગતિ - તિર્યંચાનુપૂર્વી, સેવાર્તસંઘયણનો અતિસંક્લિષ્ટ મિથ્યાદૃષ્ટિ દેવ-નારકો ઉત્કૃષ્ટ અનુભાગબંધના સ્વામી થાય છે. તિર્યંચ-મનુષ્ય તો તે યોગ્ય સંકલેશે વર્તતાં હોય તો નરક યોગ્ય જ બાંધે છે, અને આ પ્રવૃતિઓ તયોગ્ય (નરક યોગ્ય) નથી તેથી દેવ-નારકનું ગ્રહણ કર્યું. કારણ કે તે દેવ-નારક સર્વસંફિલષ્ટ પણ તિર્યંચ યોગ્ય બાંધે છે. અને અહીં સામાન્યથી પણ સેવાર્તનો ઉત્કૃષ્ટ અનુભાગ બંધક સનત્કુમારાદિ દેવ જ છે, પણ ઇશાન સુધીના નહીં, તેઓ અતિસંક્લિષ્ટ હોય તો એકેન્દ્રિય યોગ્ય જ બંધકપણું હોય છે. બાકીની જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૯, અસાતા વેદનીય, મિથ્યાત્વ, ૧૬ કષાય, નપુંસકવેદ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, હુડકસંસ્થાન, અપ્રશસ્તવર્ણ-રસ-ગંધ-સ્પર્શ, ઉપઘાત, અપ્રશસ્તવિહાયોગતિ, દુર્ભગ, દુઃસ્વર, અશુભ, અસ્થિર, અનાદેય, અયશકીતિ, નીચગોત્ર, અંતરાયરૂપ ૫૬ પ્રકૃતિઓનો ચારે ગતિના મિથ્યાદૃષ્ટિ અતિ સંક્લિષ્ટ બાંધે. હાસ્ય, રતિ, સ્ત્રી-પુરુષવેદ, પ્રથમ અને અંત્ય સિવાયના સંસ્થાન-૪, સંઘયણ-૪, = ૧૨ પ્રકૃતિઓનો તપ્રાયોગ્ય સંક્લિષ્ટ ઉત્કૃષ્ટ અનુભાગબંધના સ્વામી થાય. કારણકે સર્વ ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ તો હાસ્ય-રતિ યુગલને અતિક્રાન્ત કરીને અરતિ-શોક-યુગલ બાંધે, સ્ત્રીવેદ-પુરુષવેદને પણ અતિક્રમી (ઉલ્લંધીને) નપુંસકવેદ બાંધે, સંસ્થાન-સંઘયણને વિષે પણ સર્વસંક્વિઝ ૨૦ કોડાકોડીસાગરોપમની સ્થિતિવાળું હુંડક-સેવાર્ય બાંધે છે. તેથી વિશુદ્ધ ૧૮ કોડાકોડીસાગરોપમ સ્થિતિવાળું વામન-કીલિકા બાંધે. તેથી વિશુદ્ધતર ૧૬ કોડાકોડીસાગરોપમની સ્થિતિવાળું કન્જ-અર્ધનારાચ બાંધે. તેથી પણ વિશુદ્ધ ૧૪ કોડાકોડીસાગરોપમની સ્થિતિવાળું સાદિ-નારાય બાંધે. તેથી વિશુદ્ધ ૧૨ કોડાકોડીસાગરોપમની સ્થિતિવાળું ન્યગ્રોધપરિમંડલ ઋષભનારાચ બાંધે, તેથી પણ વિશુદ્ધ ૧૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળું સમચતુરસ્ત્ર - વજષભનારા બાંધે, હીનાધિક સક્લિષ્ટ હોવાથી બીજા બીજા બંધનો સંભવ હોવાથી તત્ પ્રાયોગ્ય સંક્લિષ્ટનું ગ્રહણ કર્યું છે. આતપ-ઉદ્યોત-તિર્યંચ-મનુષ્ય આયુષ્યનો તો સુવિશુદ્ધ સંન્નિ-મિથ્યાદૃષ્ટિ ઉત્કૃષ્ટ અનુભાગબંધનો સ્વામી થાય. કારણકે સમ્યગુદૃષ્ટિ તો તિર્યંચ આયુષ્ય આતપ ઉદ્યોતના બંધમાં જ આવે નહીં તો કેવી રીતે ઉત્કૃષ્ટ અનુભાગ બંધ થાય ? અર્થાતુ ન થાય. અને મનુષ્ય આયુષ્યનો ઉત્કૃષ્ટ અનુભાગ ૩ પલ્યોપમ સ્થિતિવાળાને હોય છે. બાકીનાને નહીં. સમ્યગુદૃષ્ટિ તિર્યંચ મનુષ્યો મનુષ્ય આયુષ્ય બંધ કરે નહીં. તેઓને દેવાયુષ્યના બંધનો સંભવ હોવાથી, જે પણ સમ્યગુદૃષ્ટિ દેવ કે નારક હોય તે મનુષ્ય આયુષ્ય બાંધે પણ તે કર્મભૂમિ યોગ્યજ પણ અકર્મભૂમિ યોગ્ય નહીં, ત્યાં તેઓનો ઉત્પન્ન થવાનો અભાવ હોવાથી. તેથી મનુષ્ય આયુષ્ય આદિ-૪ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગબંધ સ્વામી મિથ્યાદૃષ્ટિ છે પણ સમ્યગુદૃષ્ટિ નહીં એ પ્રમાણે જાણવું. અહીં પણ વિશેષ વિચારાતાં આતપનો બંધક તપ્રાયોગ્ય વિશુદ્ધ મિથ્યાદૃષ્ટિ દેવ છે. કારણ કે નારકોને એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધનો અસંભવ છે, અને તિર્યંચ મનુષ્ય આપના ઉત્કૃષ્ટ રસયોગ્ય વિશુદ્ધ વર્તતાં હોય તો તિર્યંચ પંચેન્દ્રિય આદિ યોગ્ય અશુભતર બંધનો સંભવ હોવાથી. ઉદ્યોતનામનો ૭મી નારકીમાં વર્તતો જીવ ઔપશમિક સમ્યકત્વ ઉત્પન્ન કરવાની ઇચ્છાવાળો યથાપ્રવૃત્ત આદિ ત્રણ કરણપૂર્વક અંતરકરણ કરીને મિથ્યાત્વની પ્રથમ સ્થિતિને અનુભવતો છેલ્લા સમયે વર્તતો ઉત્કૃષ્ટ અનુભાગબંધનો સ્વામી થાય તે બંધમાં તેનું અતિવિશુદ્ધપણું હોવાથી. તિર્યંચ - મનુષ્ય આયુષ્યનો તિર્યંચ કે મનુષ્ય તપ્રાયોગ્ય વિશુદ્ધ મિથ્યાદૃષ્ટિ છે. ૧૦૮ અહીં નરકત્રિકનો અતિસંફિલ કહેલ છે. પણ આયુનો બંધ મધ્યમ પરિણામે થાય છે. માટે અહીં નરકાયુ પણ અતિસંફિલષ્ટ કેમ કહ્યું તે બહુશ્રુતગમ્ય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy