SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૧૨૭ ( -: અથવા બીજા અપરાવર્તમાન શુભ પ્રકૃતિવર્ગની અનુકૃષ્ટિ :- ) परघाउज्जोउस्सासायवधुवनामतणुउवंगाणं । पडिलोमं सायस्स उ, उक्कोसे जाणि समऊणे ।। ५९ ॥ ताणि य अन्नाणेवं, ठिइबंधो जा जहनगमसाए । हेटुजोयसमेवं, परित्तमाणीण उ सुभाणं ॥ ६० ॥ पराघातोयोतोच्छ्वासातपध्रुवनामतन्वङ्गोपाङ्गानाम् । प्रतिलोमं सातस्य तु, उत्कृष्टे यानि समयोने ।। ५९ ।। तानि चाऽन्यान्येवं, स्थितिबन्धा यावज्जघन्यकमसाते । अधस्तादुद्योतसममेवं, परावर्तमानानां तु शुभानाम् ॥ ६० ॥ ગાથાર્થ :- પરાઘાત, ઉદ્યોત, ઉચ્છવાસ, આતપ નામની ધ્રુવપ્રકૃતિ-૧૩ તથા ૫ શરીર, ૩ ઉપાંગ, ૧૫ બંધન, પ સંઘાતન એ ૪૫ પ્રકૃતિઓની અનુકૃષ્ટિ પ્રતિલોમ એટલે પચ્ચાનુપૂર્વીએ કહેવી, તથા સતાવેદનીયની અનુકૃષ્ટિ ઉત્કૃષ્ટ સ્થિતિથી પાશ્ચાત્ય સ્થિતિઓમાં “તે સર્વ અને અન્ય અનુભાગાધ્યવસાયસ્થાનો” એ પ્રમાણે કહેવી. ૫૯. એ પ્રમાણે અસાતાના જઘન્ય સ્થિતિબંધ સુધી “તે સર્વ અને અન્ય” (એ પ્રમાણે સાતાની અનુકૃષ્ટિ) કહીને તેથી પુર્વ (પાશ્ચાત્ય) સ્થિતિઓમાં ઉદ્યોતની જેમ (સાતાની) અનુકષ્ટિ કહેવી. તથા એ સાતાની અનુકૃષ્ટિને અનુરૂપ (તુલ્ય) સર્વ પરાવર્તમાન શુભ અનુકૃષ્ટિ કહેવી. ૬૦. ટીકા :- આ પ૫ પ્રકતિ સમદાયરૂપે પ્રથમવર્ગને વિષે અનુકષ્ટિ કહી, હવે (૨) અપરાવર્તમાન શુભ દ્વિતીય વર્ગને કહે છે. - પરાઘાત, ઉદ્યોત, ઉચ્છવાસ, આતપ, શુભવર્ણાદિ-૧૧, અગુરુલઘુ, નિર્માણરૂપ ધ્રુવ નામની તdવાળ'' ત્તિ તનું ગ્રહણથી શરીર - સંઘાત - બંધનો ગ્રહણ કરવા, તેથી શરીર-૫, સંઘાત-૫, બંધન-૧૫, અંગોપાંગ-૩ = ૪૫ પ્રકૃતિ + તીર્થકર (આગળ કહેશે) ની અનુકૃષ્ટિ (પચ્ચાનુપૂર્વીએ) કહેવી. તે આ પ્રમાણે કહે છે. યંત્ર નંબર ૨૧ :- આ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધની (૩૦) શરૂઆતમાં જેટલાં અનુભાગબંધ અધ્યવસાય સ્થાનો છે, તેનો અસંખ્યયભાગ મૂકીને બાકીના સર્વ પણ એક સમય ઉન ઉત્કૃષ્ટ સ્થિતિબંધની શરૂઆતમાં (૨૯) પ્રાપ્ત થાય છે, અને બીજા પણ હોય છે. અને એક સમય ઉન ઉત્કૃષ્ટ સ્થિતિબંધની શરૂઆતમાં (૨૯) જેટલાં છે, તેનો અસંખ્યાતમો ભાગ મૂકીને બાકીના સર્વ પણ ક્રિસમય ઉન ઉત્કૃષ્ટ સ્થિતિબંધની શરૂઆતમાં (૨૮) પ્રાપ્ત થાય છે, અને બીજા પણ હોય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી પલ્યોપમનો અસંખ્યયભાગ માત્ર સ્થિતિઓ (૨૬ સુધી) અતિક્રાન્ત થાય. અહીં ઉત્કૃષ્ટ સ્થિતિબંધની (૩૦ની) શરૂઆતમાં શરૂ થતી અનુભાગ અધ્યવસાયસ્થાનોના સ્થિતિસ્થાને અસંખ્ય ભાગ મુકવાથી અનુકૃષ્ટિ પરિસમાપ્ત થઇ. (અહીં એટલે કે જ્યાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણની સ્થિતિઓમાંથી અન્તિમ સ્થિતિબંધમાં પૂર્ણ થાય.) પછી અનન્તર (તુરત) નીચેના સ્થિતિસ્થાને (૨૫) એક સમય ઊન ઉત્કૃષ્ટ સ્થિતિબંધની શરૂઆતમાં (૨૯) શરૂ થતી અનુકૃષ્ટિ પૂર્ણ થાય છે. પછી અનન્તર નીચેના સ્થિતિસ્થાને (૨૪) દ્વિસમય ઊન (૨૮) ઉત્કૃષ્ટ સ્થિતિબંધની શરૂઆતમાં શરૂ થતી અનુકૃષ્ટિ પૂર્ણ થાય. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી પોતાની જઘન્ય સ્થિતિ આવે. તીર્થંકર નામના અતિદેશથી જણાવવાથી આગળ કહેવાશે છતાં અહીં પણ જાણવું. પંચસંગ્રહ બંધનકરણની ગાથા-૮૦ માં કહ્યું છે. “પધાર્વઘતગંગાસત્ર વિનિમા | કર્ણહિસાસતિ, સંપાઉં છવાત સુમવાનો '' પરાઘાત, બંધન, તણું અંગોપાંગ, શુભવર્ણાદિ, તીર્થકર, નિર્માણ, અગુસ્લધુ, ઉચ્છવાસત્રિક (આતષ - ઉઘાત સહિત) સંઘાતન-૫ =૪૬ પ્રકૃતિઓ (અપરાવર્તમાન) શુભવર્ગ છે. એ પ્રમાણે ૪૬ પ્રકૃતિ સમુદાયરૂ૫ અપરાવર્તમાન શુભપ્રકૃતિની ગણના હોવાથી, અને ત્યાં સમગ્ર રૂપે અહીં અનુકષ્ટિ કહી દ્વિતીય વર્ગને વિષે અનુકૃષ્ટિ કહી. (પરિશિષ્ટ-૨ માં ચિત્ર નંબર ૩-૪ જુઓ). ઇતિ બીજા અપરાવર્તમાન શુભ પ્રકૃતિવર્ગની અનુકૃષ્ટિ સમાપ્ત For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy