SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ કર્મપ્રકૃતિ ( - અથ પ્રથમ અપરાવર્તમાન અશુભ પ્રકૃતિવર્ગની અનુકૃષ્ટિ :-) ત્યાં અપરાવર્તમાન પ્રકૃતિ અશુભ પ્રથમ વર્ગને આશ્રયીને કહે છે. ઘાતિ પ્રકૃતિઓ તે જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૯, મિથ્યાત્વ, ૧૬ કષાય, ૯ નોકષાય, અંતરાય-૫, અને વર્ણ-ગંધ-રસ-સ્પર્શ અહીં ષષ્ઠીના અર્થમાં સાતમી છે. અશુભ વર્ણ-ગંધ-રસ-સ્પર્શની કૃષ્ણ-નીલવર્ણ, દુરભિગંધ, તિક્ત-કટુરસ, ગુરૂ-કર્કશ-રુક્ષ-શીતસ્પર્શરૂ૫, ૯ પ્રકૃતિ એ પ્રમાણે અર્થ છે. કુલ ૫૪ પ્રકૃતિઓનો જઘન્યસ્થિતિબંધમાં જેટલાં અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો તેનો એક દેશ પ્રમાણ અને બીજા દ્વિતીય સ્થિતિબંધમાં અધિક આવે છે. તેટલાં અને અસંખ્યયભાગ મૂકીને બીજા સ્થિતિબંધની શરૂઆતમાં પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે કહે છે યંત્ર નં-૨૧ ૧૦*જઘન્ય સ્થિતિબંધની (૧૦) શરૂઆતમાં જેટલાં અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો છે. તેઓનો અસંખ્ય ભાગ મૂકીને બાકીના સર્વ પણ દ્વિતીય સ્થિતિસ્થાનબંધની શરૂઆતમાં (૧૧) જાય છે. તેનો એક દેશ અને અન્ય (બીજા) હોય છે. તે પંચસંગ્રહ બંધનકરણની ૮૩મી ગાથામાં કહ્યું છે ““નોત્તમસંર્વ મા નંદરિદા|IIM સંસારું | મચ્છતિ વરિયાઈ તો ૩ છાપું '' (અર્થ :- જઘન્ય સ્થિતિસ્થાન સંબંધી રસબંધ અધ્યવસાયના અસંખ્યાતમા ભાગને છોડીને શેષ સર્વ ઉપરની સ્થિતિમાં જાય છે, અને તેનો એક દેશ અન્ય હોય છે.) અને દ્વિતીય સ્થિતિબંધની (૧૧) શરૂઆતમાં જેટલાં અનુભાગબંધના અધ્યવસાય સ્થાનો છે તેઓનો અસંખ્યાતમો ભાગ મૂકીને બાકીના સર્વ પણ ત્રીજા સ્થિતિસ્થાનબંધની (૧૨) શરૂઆતમાં જાય છે. અને બીજા પણ હોય છે. અને ત્રીજા સ્થિતિબંધની શરૂઆતમાં (૧૨) જેટલાં અનુભાગબંધ અધ્યવસાય સ્થાનો છે, તેઓનો અસંખ્યાતમો ભાગ મૂકીને બાકીના સર્વ પણ ચોથા સ્થિતિસ્થાનબંધની (૧૩) શરૂઆતમાં જાય છે. અને બીજા હોય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી પલ્યોપમનો અસંખ્યયભાગ માત્ર (૧૪) સુધી સ્થિતિઓ જાય, અને (૧૪) અહીં જઘન્ય સ્થિતિબંધની (૧૦થી) શરૂ થતી *અનુકષ્ટિ પૂર્ણ થઇ. બીજા સ્થિતિબંધ (૧૧) સંબંધી અનુભાગબંધ અધ્યવસાયસ્થાનની અનુકૃષ્ટિ બીજે એટલે કે જ્યાં જઘન્ય સ્થિતિબંધની શરૂઆતમાં શરૂ થતી અનુભાગબંધ અધ્યવસાયસ્થાનની અનુકૃષ્ટિ પૂર્ણ થઇ તેથી પછીના સ્થાન (૧૪ પછી ૧૫માં) પૂર્ણ થાય છે. પછી તુરતજ ત્રીજા સ્થિતિબંધ (૧૨) શરૂઆતમાં શરૂ થતી અનુકૃષ્ટિ (૧૬માં) પૂર્ણ થાય છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિ (૩૦) સુધી જાણવું. ઉપઘાતમાં પણ એ પ્રમાણે અનુકૃષ્ટિ જાણવી. (પરિશિષ્ટ-૨માં ચિત્ર નં. ૧-૨ જુઓ) ઇતિ પ્રથમ અપરાવર્તમાન અશુભ પ્રકૃતિવર્ગની અનુકૃષ્ટિ સમાપ્ત ૧૦૧ હવે અહીંથી અનુકૃષ્ટિ અને તીવ્રમન્દતાની સ્થાપનાઓ બતાવે છે. તેથી ટીકાના અર્થમાં કસમાં લખેલ (૧૦) આદિ આંકડા યંત્ર નંબર-૨૧ માં છે. તે પ્રમાણે યંત્ર નંબર ૩૦ સુધી સમજવું. યંત્રોમાં અનુકૃષ્ટિના અંક અને તીવ્રન્દતાના અંક ભિન્ન ભિન્ન આપેલા છે. તથા અનુકૃષ્ટિમાં પણ સર્વ પ્રકૃતિઓના અંક સરખા આપ્યા નથી. તેમજ તીવમન્દતાના અંક પણ સર્વ પ્રકૃતિઓના સરખા આપ્યા નથી. જેમકે સાતાદિ-૧૬ પ્રકૃતિઓના ૧૦ થી ૪૦, અસાતાદિ ૨૮ પ્રકૃતિઓના ૧૦ થી ૫૦, ઉપઘાતાદિ ૫૫ પ્રકૃતિઓના ૫ થી ૩૦, અને પરાઘાતાદિ-૪૬ પ્રકૃતિઓના ૫ થી ૩૦, એ પ્રમાણે અનુકૃષ્ટિમાં પણ પરસ્પર ભિન્ન અંકો આપેલા છે, તેથી સ્થિતિઓ વિષમ હોય છતાં એમ જણાવવા માટે નથી, પરંતુ જેની અનુકૃષ્ટિ થોડા આંકડાઓથી સમજાવી શકાય તેવી અનુકૃષ્ટિના અંક થોડા આપેલા છે, ને જે અનુકૃષ્ટિ ઓછા આંકડાઓથી સમજાવી શકાય નહીં તેવી અનુકૃષ્ટિના આંકડા વધુ આપેલા છે. તથા કેટલીએક અનુકૃષ્ટિ (તથા તીવ્રમંદતા) તેના તેજ આંકડાઓથી ઉલટી રીતે કહી શકાય છે તેવી અનુકૃષ્ટિઓ તેના તેજ આંકડાઓથી ઉલટી રીતે કહેલી છે. જેમ કે પપ અપ અશુભ અનુકૃષ્ટિ કહેવાને માટે સ્થાપેલા ૫ થી ૩૦ સુધીના આંકડાઓમાં જ ૪૬ અ૫૮ શુભની અનુકૃષ્ટિ ઉલટી રીતે એટલે ૩૦ થી પ્રારંભીને કહેલ છે ઇત્યાદિ. તથા અનુકૃષ્ટિથી પણ તીવ્રમંદતામાં અંકો ઘણા સ્થાપેલ છે, તેનું કારણ પણ એજ છે કે અનુકૃષ્ટિ થોડા આંકડાથી સમજાવી શકાય છે, પરંતુ તીવ્રમંદતા સમજાવવામાં ઘણા અંકોની જરૂર છે, માટે ઘણા અંકો સ્થાપ્યા છે, અને તેથી અનુકૃષ્ટિ અને તીવ્રમંદતાનું પરસ્પર સંમેલન કરી શકાશે નહીં, માત્ર તે અંકો તીવ્રમંદતાની પદ્ધતિ જ બતાવનાર છે એમ જાણવું. તથા બીજી કેટલીએક સંજ્ઞાઓ અંક સ્થાપનામાં રાખેલી છે તેની સમજ આ પ્રમાણે છે. (૧) [ ] જે અંક ઉપર એવો આકાર હોય તે અંકથી અનુકૃષ્ટિ કહેવાનો પ્રારંભ કરવો (૨) ની અનુ0 સ0 = ની અનુકૃષ્ટિ સમાપ્ત થઇ. (૩) માં જે અનુ0 એ અંકમાં જે અનુભાગ બંધાધ્યવસાયસ્થાનો. (તીવ્ર મંદતા સંબંધે અનુ0 = અનુભાગ) (૪) પરસ્પરાક્રાન્ત =જે સ્થિતિઓની સામેની સ્થિતિઓ સીમા પ્રમાણ કહેવાને માટે સ્થાપેલી હોય તે બન્ને સ્થિતિઓ પરસ્પરાક્રાન્ત માત્ર કહેવાય. જેમકે સાતાની ૪૦ થી ૨૦ સામેની અસાતાની ૪૦ થી ૨૦ સુધીની સ્થિતિઓ સીમા પ્રમાણ દર્શાવવાને સ્થાપેલી છે. (૫) આક્રાન્ત પ્રરૂપણા સ્થાપેલી વિવક્ષિત સ્થિતિની પ્રરૂપણા કરીને તુર્તજ તેની સામેની સ્થિતિમાં પ્રરૂપણા કરવી (પરંતુ નિરંતરપણે અધોડધ: પ્રરૂપણા કરવાની ન હોય) પુન: પૃષ્ઠ સ્થિતિની પ્રરૂપણા કરવી પુનઃ સામેની સ્થિતિની પ્રરૂપણા કરવી એ પ્રમાણે જે સામા-મામી પ્રરૂપણા તે આક્રાન્ત પ્રરૂપણા. ૧૦૨ અનુકૃષ્ટિ = એટલે - અનુ = પશ્ચાતુથી કૃષ્ટિ = કર્ષવું - ખેંચવું અર્થાતુ પાશ્ચાત્ય સ્થિતિબંધગત અનુભાગાધ્યવસાયસ્થાનોને આગળ આગળના સ્થિતિબંધમાં ખેંચવા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy