SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૧૨૫ ગાથાર્થ :- ઘાતિની પ્રવૃતિઓ તથા અશુભવર્ણ - રસ - ગંધ - સ્પર્શ-૯ એ ૫૪ પ્રકૃતિઓના જઘન્ય સ્થિતિબંધમાં જે અનુભાગ બંધાધ્યવસાયસ્થાનો છે. તેનો એક દેશ અને અન્ય પણ અનુભાગ અધ્યવસાયસ્થાનો દ્વિતીય સ્થિતિબંધમાં જાણવાં. પ૭ એ પ્રમાણે પ્રથમ સ્થિતિબંધની અનુકૃષ્ટિ પલ્યોપમનો અસંખ્યયભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો વ્યતિક્રાન્ત થયે સમાપ્ત થાય, ને દ્વિતીય સ્થિતિબંધની અનુકૃષ્ટિ, પ્રથમ સ્થિતિની અનુકષ્ટિ જ્યાં સમાપ્ત થઇ છે ત્યાંથી અનંતર બીજા સ્થિતિબંધે સંપુર્ણ થાય. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી કહેવું, તથા ઉપઘાતમાં પણ એ ઘાતિની પ્રકૃતિ પ્રમાણે અનુકૃષ્ટિ કહેવી. ૫૮. ટીકાર્થ :- હવે અનુભાગબંધસ્થાનોની તીવ્ર-મંદતા જાણવાને માટે અનુકૃષ્ટિ કહેવાની ઇચ્છાવાળા કહે છે. અહીં ગ્રંથિદેશમાં વર્તમાન (વર્તતા) અભવ્યનો જે જઘન્ય સ્થિતિબંધ તેનાથી સ્થિતિની વૃદ્ધિમાં અનુકૃષ્ટિ કહેવાતી અનુસરવી. સાતાવેદનીય, મનુષ્યદ્ધિક, દેવદ્ધિક, તિર્યંચદ્રિક, પંચેન્દ્રિયજાતિ, ત્રસદશક, પ્રથમ સંધયણ, પ્રથમ સંસ્થાન, પ્રશસ્તવિહાયોગતિ, ઉચ્ચગોત્ર, નીચગોત્ર તે ૨૩ પ્રકૃતિઓની પણ અભવ્ય પ્રાયોગ્ય જઘન્યબંધથી નીચે પણ અનુસરવી. અને અહીં દરેક વર્ગ અનુકૃષ્ટિ તીવ્રમંદપણે પોતાના સ્થાનમાં તુલ્ય એવા ચાર વર્ગ ગ્રહણ કરાય છે. - અપરાવર્તમાન અશુભ પ્રકૃતિવર્ગ, અપરાવર્તમાન શુભ પ્રકૃતિવર્ગ, પરાવર્તમાન શુભ પ્રકૃતિવર્ગ, અને પરાવર્તમાન અશુભ પ્રકૃતિવર્ગ. ત્યાં ઘાતી પ્રકૃતિ ૪૫ + ઉપઘાત - અશુભવર્ણાદિ – ૯ તે ૫૫ પ્રકૃતિઓ તે અપરાવર્તમાન અશુભપ્રકૃતિવર્ગ છે. પરાઘાત, બંધન-૧૫, શરીર-૫, સંઘાતન-૫, અંગોપાંગ-૩, શુભવર્ણાદિ-૧૧, તીર્થકર, નિર્માણ, અગરુલઘુ, ઉઠુવાસ, આતપ, ઉદ્યોત તે ૪૬ પ્રકતિઓ અપરાવર્તમાન શુભપ્રકૃતિવર્ગ છે. સાતાવેદનીયસ્થિરાદિ-૬, ઉચ્ચગોત્ર, દેવદ્રિક, મનુષ્યદ્વિક, પંચેન્દ્રિયજાતિ, સમચતુરસ, વજ8ષભનારાય, પ્રશસ્તવિહાયોગતિ, તે ૧૬ પ્રકૃતિઓ પરાવર્તમાન શુભ પ્રકૃતિવર્ગ છે. અસતાવેદનીય, સ્થાવરદશક, નરકદ્વિક, અપ્રશસ્તવિહાયોગતિ, પ્રથમજાતિ-૪, પ્રથમ સિવાયના સંસ્થાન-૫, સંઘયણ-૫ તે ૨૮ પ્રકૃતિઓ પરાવર્તમાન અશુભ પ્રકૃતિવર્ગ છે. ચિત્ર નં. ૧૧ની સમજુતી - આ ચિત્રના અશુભ પ્રકૃતિમાં મોટુ બિન્દુ તે જઘન્ય સ્થિતિસ્થાન છે. તે ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધી જેટલાં સમયો તેટલાં સ્થિતિસ્થાનો છે. દરેક સ્થિતિસ્થાનમાં અનુભાગ અધ્યવસાયસ્થાનો (નાના બિંદુરૂપ) તે અસંખ્યય લોકાકાશપ્રદેશ પ્રમાણ છે. તે ઉત્તરોત્તર સ્થિતિસ્થાનમાં વિશેષાધિક છે. જઘન્ય સ્થિતિસ્થાનથી પલ્યોપમના અસંખ્યયભાગ જેટલી સ્થિતિ પછી જે સ્થિતિસ્થાન આવે તેમાં અનુભાગ બંધસ્થાનો બમણાં થાય છે. તે રીતે ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધી ડબલ ડબલ થાય છે. અશુભપ્રકૃતિના દ્વિગુણવૃદ્ધિસ્થાનો આવલિકાના અસંખ્ય ભાગ સમય પ્રમાણ છે. તે દ્વિગુણવૃદ્ધિસ્થાનો અલ્પ છે. અને એક દ્વિગુણ સ્થાનના અંતરાલમાં રહેલ સ્થિતિસ્થાનો અસંખ્યયગુણ છે. પલ્યોપમના અસંખ્ય ભાગપણું છે. તેથી વિપરીત ૬૬ શુભ પ્રવૃતિઓમાં જાણવું. ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનથી જાણવું. - અહીં પૂર્વ કહી તે ૪ આયુષ્ય સિવાયની શુભાશુભ પ્રવૃતિઓ જાણવી. - ચિત્ર નં૦ ૧૦ - ૧૧ની ભેગી સમજુતી :- મોટુ બિન્દુ એટલે સ્થિતિબંધ અધ્યવસાય સ્થાન, એક મોટુ બિન્દુ એટલે ૧ સ્થિતિબંધ અધ્યવસાય સ્થાન આને કષાયોદયસ્થાન પણ કહેવાય છે. એક એક સ્થિતિસ્થાનમાં અસંખ્યય લોક જેટલાં સ્થિતિબંધ અધ્યવસાયસ્થાનો છે. તે જઘન્ય સ્થિતિસ્થાનમાં અલ્પ છે. ઉત્તરોત્તર સ્થિતિબંધસ્થાનોમાં તે વિશેષાધિક થતા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી સ્થિતિ જવાથી સ્થિતિબંધ અધ્યવસાયો ડબલ થાય છે. આવા ડબલ - ડબલ સ્થાનો અસંખ્ય છે. પંચસંગ્રહ બંધનકરણની ગાથા - ૧૦૫ - ૧૦૬ માં કહ્યું છે કે “દિદ્દાને દિડ્યાને નવસાવા સંવનો સમા મસો વિસેસરિયા, સત્તા સંગર્સવ' SU || ૧૦૫ '' અર્થ :- પ્રત્યેક સ્થિતિસ્થાનો તેના બંધમાં હેતુભૂત અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયો હોય છે. ૭ કર્મોમાં અનુક્રમે વિશેષાધિક અને આયુષ્યકર્મમાં અસંખ્યાતગુણ અધ્યવસાયો છે. “પત્નાર્સવસમાગો ईओ होति ते दुगुणा સત્તાવસાવા VFFIIના તે સંખ્યા ૧૦૬ ” સાત કર્મમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલાં સ્થિતિસ્થાનો ઓળંગીને અધ્યવસાયો બમણાં થાય છે. આવા દ્વિગુણવૃદ્ધિસ્થાનો અસંખ્યાતા થાય છે. ૧૦૦ અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધથી આરંભી સ્થિતિ વધે અનુકુષ્ટિ થાય. એમ અહીં કહ્યું છે. તેથી તેનાથી ઓછો બંધ કરતા એકેન્દ્રિયથી અસંજ્ઞી સુધીના જીવોના વિષયમાં તેમજ નવમે ગુણસ્થાનકે કે જ્યાં ક્રોડ સાગરોપમનો બંધ થાય છે ત્યાં અનુકૃષ્ટિનું સ્વરૂપ બહુશ્રુત પાસેથી જાણી લેવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy