SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ -: અથ ત્રીજા પરાવર્તમાન શુભ પ્રકૃતિવર્ગની અનુકૃષ્ટિ : યંત્ર નં-૨૨ :- હવે તૃતીય (ત્રીજા) વર્ગને આશ્રયીને કહે છે. - ‘‘સાયસ્સ ૩'' ઇત્યાદિ સાતાની ઉત્કૃષ્ટ સ્થિતિને (૪૦) બાંધતા જેટલાં અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો હોય છે. તે સમય ઉન ઉત્કૃષ્ટ સ્થિતિબંધની શરૂઆતમાં (૩૯માં) તે અને બીજા હોય છે. (તાનિ ઞાનિ હૈં) અને જેટલાં સમય ઉન ઉત્કૃષ્ટ સ્થિતિબંધની શરૂઆતમાં (૩૯માં) હોય, તે દ્વિ-બે સમય ઉન ઉત્કૃષ્ટ સ્થિતિબંધની શરૂઆતમાં (૩૮માં) પણ તે અને બીજા હોય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી અસાતાની જઘન્ય સ્થિતિબંધ આવે. અહીં ભાવાર્થ એ છે કે સપ્રતિપક્ષની (વિરૂદ્ધ) પ્રકૃતિઓની અંતઃકોડાકોડી આદિ સ્થિતિસ્થાનો સ્થાપવા, કારણકે અભવ્યનો જઘન્ય સ્થિતિબંધ સર્વથી અલ્પ છે પણ અંતઃકોડાકોડી પ્રમાણ છે. અને ત્યાંથી શરૂ કરીને પ્રાયઃ અનુકૃષ્ટિ કહેવી, એ પ્રમાણે હેતુ છે. કર્મપ્રકૃતિ - અને સ્થાપનામાં સાતાની ઉપર ભાગથી (૪૦થી) શરૂ કરીને અધોમુખ અને અસાતાની અધોભાગથી (૨૦ થી) શરૂ કરીને ઉર્ધ્વમુખ સાગરોપમ શત પૃથવ પ્રમાણ સ્થિતિઓ (૪૦ થી ૨૦) પરસ્પર આક્રાન્ત સ્થાપવી જોઇએ. એટલી સ્થિતિઓ પરાવર્તિ-પરાવર્તિ બંધાય છે, (સાતા બંધથી ઉતરીને અસાતા બાંધે ને અસાતા બંધથી ઊતરીને સાતા બાંધે) તેથી આક્રાન્ત સ્થાપવી. બાકીની સાતાની અધોમુખ અને અસાતાની ઉર્ધ્વમુખ સ્થાપવી. જ્યાં સુધી પોતપોતાની સ્થિતિ પુર્ણ થાય. અને આ અન્તરાલમાં પ્રતિપક્ષ પ્રકૃતિ બંધના અભાવથી શુદ્ધ છે, એ પ્રમાણે કહેવાય છે. (સાતામાં ૧૯ થી ૧૦ અસાતામાં ૪૧ થી ૫૦ તે શુધ્ધ છે) તેથી અસાતાની જઘન્ય સ્થિતિબંધ સુધી અધોમુખપણે સાતાની સ્થિતિઓ પ્રતિપક્ષ (પરસ્પર) આક્રાન્ત થતી સાગરોપમ શતપૃથક્ક્સ પ્રમાણ પ્રાપ્ત થાય છે. તેથી આટલા પ્રમાણને વિષે સાતાની સ્થિતિઓ તાનિ અન્યાનિ ૬ =તે અને બીજી એ પ્રમાણે ક્રમથી અનુસરવું. ‘દેદુોગસÉ' તિ - નીચે સાતાની શુદ્ધ સ્થિતિઓ દ્યોતસનં - જે પ્રમાણે પહેલાં ઉદ્યોતની કહી તે પ્રમાણે કહેવી. તે આ પ્રમાણે કહે છે. - સ્થાપનામાં અસાતાનો જે જઘન્ય સ્થિતિબંધ (૨૦) અભવ્ય પ્રાયોગ્ય તેની સમાન જે સ્થિતિસ્થાન ત્યાં જેટલાં અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો છે તેનો અસંખ્યાતમો ભાગ મૂકીને બાકીના સર્વ તેની નીચેના સ્થિતિસ્થાને (૧૯ માં) પ્રાપ્ત થાય છે, અને બીજા હોય છે. ત્યાં પણ જે અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો છે, તેઓનો અસંખ્યાતમો ભાગ મૂકીને બાકીના સર્વ તેથી પણ નીચેના સ્થાને (૧૮ માં) પ્રાપ્ત થાય છે અને બીજા હોય છે. આ ક્રમથી ત્યાં સુધી કહેવું જ્યાં સુધી પલ્યોપમનો અસંખ્યેયભાગ માત્ર સ્થિતિઓ (૧૬) જાય. અને ત્યાં અસાતાના જધન્ય સ્થિતિબંધ તુલ્ય સ્થિતિસ્થાન (૨૦) સંબંધી અનુભાગબંધ અધ્યવસાય સ્થાનોની અનુકૃષ્ટિ પૂર્ણ થાય. તેથી નીચેના સ્થિતિસ્થાનમાં અસાતાની જધન્ય બંધ તુલ્ય સ્થિતિસ્થાન તેની નીચેના સ્થિતિસ્થાન (૧૯) સંબંધી પૂર્ણ થાય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી સાતાની જઘન્ય સ્થિતિ (૧૦) આવે. એ પ્રમાણે સાતાવેદનીયની અનુકૃષ્ટિ કહીં, તે પ્રમાણે સર્વ પરાવર્તમાન શુભપ્રકૃતિઓ - મનુષ્યદ્ઘિક, દેવદ્વિક, પંચેન્દ્રિયજાતિ, સમચતુરસ, વજૠષભનારાચ, પ્રશસ્તવિહાયોગતિ, સ્થિરષટ્ક, ઉચ્ચગોત્રરૂપ ૧૫ પ્રકૃતિઓ (સાતા સહિત ૧૬ પ્રકૃતિઓ) શુભ પ્રકૃતિઓની નામ લઇને અનુકૃષ્ટિ કહેવી. (પરિશિષ્ટ-૨ માં ચિત્રનંબર ૫ જુઓ) ઇતિ ત્રીજા પરાવર્તમાન શુભ પ્રકૃતિવર્ગની અનુકૃષ્ટિ સમાપ્ત ચિત્ર નં ૧૨ ની સમજુતી :- પ્રથમ સ્થિતિસ્થાનમાં અસતુકલ્પનાથી ૫ બિન્દુ એ કષાયોદયસ્થાનો છે. અને તે અસંખ્યયલોક પ્રમાણ છે. અને દરેક કષાયોદયસ્થાનમાં અસંખ્યેયલોક પ્રમાણ નાના બિન્દુરૂપ ૨સબંધના સ્થાનકો છે. ઉત્તરોત્તર સ્થિતિસ્થાનમાં મોટા બિન્દુરૂપ કષાયોદયસ્થાન વધે છે. અસકલ્પનાથી ૨જામાં-૬, ૩જામાં-૭, ૪થામાં-૮, પમામાં-૯, ૬ઠ્ઠામાં-૧૦ થાય છે. તે પલ્યોપમનો અસંખ્યેયભાગ જતા ડબલ થયા કહેવાય છે. તેથી ૬ઠ્ઠા સ્થિતિસ્થાનમાં ૧૦મોટા બિન્દુ બતાવ્યા છે. અશુભપ્રકૃતિ રસબંધના અધ્યવસાયસ્થાનોમાં અધોથી જઘન્ય સ્થિતિસ્થાનના જઘન્ય કષાયોદયસ્થાનમાં અલ્પ, પછી વધતાં વધતાં (ઉર્ધ્વ) તરફ ઉત્કૃષ્ટ સ્થિતિના ઉત્કૃષ્ટ કષાયોદયસ્થાન સુધી સમજવું. શુભપ્રકૃતિમાં (ઉર્ધ્વ) ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટ કષાયોદયસ્થાનમાં રસબંધના અધ્યવસાયસ્થાન અલ્પ, પછી વધતાં વધતાં (અધો) તરફ જઘન્ય સ્થિતિના જઘન્ય કષાયોદયસ્થાન સુધી સમજવું. (ઇતિ ચિત્ર નં૦ ૧૨ની સમજુતી સમાપ્ત) ૧૦૩ આ સ્થાને “પૃથ' શબ્દ ૨૦૦ થી ૯૦૦ સુધીની જ સંજ્ઞાવાળો હોય એમ સંપૂર્ણ સમજાતું નથી. પરંતુ બહુત્વ વાચક ગણીને “ ઘણાં સેંકડો સાગરોપમ '' એવા અર્થમાં સંભવે છે. (સર્વથા નિર્ણય બહુશ્રુતગમ્ય) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy