SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ GS શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: કર્મપ્રકૃતિના અભ્યાસથી સંભવિત લાભ - મુનિશ્રી અભયશેખર વિજય ગણી साम्यं विभर्ति यः कर्मविपाकं हृदि चिन्तयन् । स एव स्याच्चिदानन्दमकरंदमधुव्रतः ॥ ज्ञानसार । કર્મવિપાકને ચિત્તવતો હૃદયમાં સમતા ધારણ કરે છે તે જ ચિદાનંદરૂપી મકરંદને માણનારો ભ્રમર બને છે. એક સામાન્ય સમજણ ધરાવતો કેદી પણ અણગમતી - કષ્ટપ્રદ સજા ભોગવવા છતાં એ સજા ફટકાવનાર જ્જ કે જેલર પર જે રોષે ભરાતો નથી એમાં એક મહત્વનું કારણ એ હોય છે કે એને “ફલાણા ગુનાની તને આ સજા કરવામાં આવી છે” એવી જાણકારી આપવામાં આવી હોય છે. મેં ગુનો કર્યો છે ને આ એની સજા ભોગવી રહ્યો છું’ આ વિચાર જ ક્રોધ - દ્વેષ - દુર્ભાવ વગેરેને ઓછે વત્તે અંશે પણ મોળો પાડી સમભાવ તરફ જીવને દોરી જનારો છે. જીવનમાં, કોઈક કંઈક ચીજ-વસ્તુ તોડી ફોડીને નુકશાન પહોંચાડે છે..... - કોઈક નિંદા - અપમાન કરે છે.. કોઈક આપણને મળનારો જશ ઝૂંટવી જાય છે..... - કોઈક જૂઠા આળ-આરોપ મૂકે છે..... - કોઈક આક્રોશ કરતો આવે છે, માર માર છે.... - કોઈક યાવતું પ્રાણ હરી લે છે.... આ બધી બાબતો અણગમતી છે. - કષ્ટપ્રદ છે - સજારૂપ છે. એ વખતે જો “મેં પૂર્વે આવો ગુનો કર્યો હશે એની પ્રકૃતિ તરફથી મને થયેલી આ સજા છે' આટલો વિચાર ફરવા લાગે તો વેર - ઝેરની અગનજાળ શાંત પડવા લાગે ને સમતાના શીતળ કુંડમાં ડુબકી લગાવવાનો અનેરો આનંદ અનુભવાવા લાગે એ સ્પષ્ટ છે. જૈન ધર્મે આપેલું કર્મ અંગેનું વિપુલ સાહિત્ય કઈ સજા કેવા કર્મનું પરિણામ છે ને એવું કર્મ કયા ગુનાનું ફળ છે એ અંગે વિશદ પ્રકાશ ફેંકે છે. જે સાધકને સમભાવમાં આગળ વધારી ચિદાનંદરૂપી મકરંદનો અપૂર્વ આસ્વાદ માણવાની અવસ્થા સુધી લઈ જાય છે. કર્મપ્રકૃતિ (કમ્મપયડી) એ કર્મસાહિત્યના અદ્દભૂત ખજાનાનું એક જાજ્વલ્યમાન રત્ન છે. એટલે એ પણ છેવટે જીવને સચ્ચિદાનંદમય અવસ્થા પમાડવાનો અપાર ઉપકાર તો કરે જ.... પણ એ અંતિમ ફળ પામવા માટે કેટલીય પૂર્વભૂમિકાઓનું ઘડતર કરવામાં સિંહફાળો નોંધાવે છે.... ઢીલી પડી ગયેલી કંપનીના ભારે ફટકો પાડનારા શેરને, બીજી સારી કંપનીના વિપુલ લાભપ્રદ શેરમાં કન્વર્ટ કરવાની કલા હસ્તગત થાય તો શેરહોલ્ડર કેટલો આનંદ વિભોર બની જાય છે ? ભારે વેદના આપનારાં અશુભ કર્મોને અપાર અનુકૂળતા સર્જનારાં શુભ કર્મોમાં શી રીતે પલટાવી રોકાય ? વગેરે અનેક વાતો આ ગ્રન્થ શીખવે છે... આ વિષય પણ, અનેક લાભો આ ગ્રન્થના અભ્યાસથી સંભવિત બને છે. જેવા કે * જૈન શાસ્ત્રો ખરેખર સર્વજ્ઞ પ્રણિત છે. એવો રણકાર દિલમાંથી ઉઠે.... આનું કારણ એ છે કે, કર્મ - ભાગ્ય - અવિદ્યા - વાસના - અદષ્ટ - પ્રકૃતિ - ધર્માધર્મ... વગેરે નામે કર્મની કલ્પના તો લગભગ દરેક ભારતીય દર્શને આપી છે. પણ એ માત્ર સાવ સામાન્ય કે આવું એક તત્ત્વ છે... પણ કર્મનું વાસ્તવિક સ્વરૂપ શું છે ? એના ભેદ-પ્રભેદ વગેરે કેટલા છે ? કેવી કેવી વૃત્તિ - પ્રવૃત્તિથી કેવા કેવા કર્મોનું સર્જન થાય છે ? ત્યારબાદ પણ એમાં શું શું ફેરફાર થાય છે ? એ કર્મોની જીવને શું શું - કેવી કેવી અસર થાય છે? એ કર્મોનો નિકાલ શી રીતે થઈ શકે ? વગેરે બાબતોનું વિશદ છણાવટવાળું - અત્યન્ત સ્પષ્ટ અસન્દિગ્ધ નિરૂપણ માત્ર જૈન શાસ્ત્રોએ આપ્યું છે. * એટલે આ ગ્રન્થના અધ્યયન - પુનરાવર્તન – મનન - પરિશીલનથી શ્રી જિનવચનોનો પરિચય કેળવાય છે - એના પ્રત્યે આદર - બહુમાન વધતા જાય છે. * જેટલો કાળ એના સ્વાધ્યાયાદિમાં વીતે એટલો કાળ તો સીધી જ રીતે સંકલ્પો વિકલ્પોના તોફાનોથી બચવા મળે... ને આ જ્ઞાનને જીવનમાં ઉતારવાનું થઈ જાય તો તો હંમેશ માટે એમાંથી છૂટકારો... For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy