SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ * અંતર્મુખતા અને માનસિક સ્થિરતા - એકાગ્રતા કેળવવા મળે... * આ બધા અતીન્દ્રિય પદાર્થો છે. અતીન્દ્રિય પદાર્થોનું પુનરાવર્તન - પરિશીલન - અનુપ્રેક્ષા વિપુલ નિર્જરા સાધક હોય છે... * જ્ઞાનાવરણનો ક્ષયોપશમ વધતા - વધતા ક્ષાયિકજ્ઞાન સુધી પહોંચાડે... * “જ્ઞાનમા વચ્છ તદુવ રોપવા નોમેર શિવાજો બંનઃ '' આની પ્રતીતિ કરાવે... લખવા બેસીએ તો પાર ન આવે એટલા અપરંપાર લાભ કરાવતા આ ગ્રન્થ પાછળ ભારે ધગશ - ખંત - ઉત્સાહ - વૈર્ય સાથે વર્ષોની જહેમત ઉઠાવીને તેમજ સિદ્ધાન્તદિવાકર પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મસા ની જેની કોઈ કલ્પના ન કરી શકાય એવી જ્ઞાનદાન સાથેની બધી સહાયક ઉદારતાને પામીને તથા કર્મવિ પૂજ્ય આચાર્યદેવ ભગવંત શ્રીમદ્ વિજય વીરશેખરસૂરીશ્વરજી મસા) ની પણ સુંદર સહકારવૃત્તિ પામીને... પૂજ્યપાદ તપસ્વી મુનિરાજ શ્રી કેલાસચંદ્ર વિજય મસાઝ આ ભવ્ય ગ્રન્થ શ્રી સંઘ સમક્ષ પ્રકાશિત કરી રહ્યા છે ને એ રીતે વિશાળ કર્મસાહિત્યમાં પોતાનો ફાળો પણ નોંધાવી રહ્યા છે એ ખરેખર અનુમોદનીય છે, અભિનંદનીય છે ને અનુકરણીય છે... આ પ્રકાશનમાં, આ જ કર્મપ્રકૃતિ ગ્રન્થ પરના મારા કર્મપ્રકૃતિ પદાર્થો ભાગ - ૧ - ૨- ૩ના ત્રણ પુસ્તકોમાંની ટીપ્પણો - યંત્રો વગેરેને સ્થાન આપીને, તથા આ લેખ લખવાની તક આપીને.... જૈન સાહિત્યમાં કંઈક ફાળો નોંધાવવાનો મને પણ જે લાભ આપ્યો છે તે બદલ એમનો આભારી છું. જીવો કર્મ અંગેનું વિશદ જ્ઞાન પ્રાપ્ત કરીને સ્વ-પર હિત સાધવામાં આ પ્રકાશનનો સહારો લઈ એમના ઉદ્યમને સફળ કરે એવી શુભકામના... શ્રી પ્રેમ-ભુવનભાનુ - ધર્મજિત - જયશેખરસૂરીશ્વર શિષ્યાણુ, મુનિ અભય શેખર વિજય ગણી - શ્રી કર્મપ્રકૃતિ ગ્રંથનું રહસ્ય :- સ્વ. પંડિતવર્ય પુખરાજજી અમીચંદજી કોઠારી : આ ગ્રંથમાં ૮ કરણોનું સ્વરૂપ અને ઉદય સત્તા પ્રકરણનો વિષય આવે છે. કેટલીક વખત આ ગ્રન્થ કેવળ જાણી લેવાની દૃષ્ટિએ જ ભણાય છે. ત્યાં સમજવું જોઈએ કે - કેવળ જાણી જવા માટે જ આ ગ્રંથ નથી, પરંતુ ખૂબ જ ચિંતન - મનન - સાથે આઠ કરણરૂપ આ કર્મપ્રકૃતિ ગ્રન્થનું તલસ્પર્શી જ્ઞાન સૂક્ષ્મ બુદ્ધિથી જો પ્રાપ્ત કરવામાં આવે તો કેટલુંય નવું નવું જાણવા મળી શકે છે. સાથે સાથે બંધાયેલ કર્મો ઉપર અધ્યવસાયો દ્વારા કેવા પ્રકારનું પરિણમન થાય છે, આત્મા કર્મપાશમાંથી કેવી રીતે મુક્ત બની મોક્ષગામી બને છે - તેનો સચોટ ખ્યાલ આવે છે. પ્રત્યેક સમયે દરેક કર્મો એક સરખી રીતે બંધાતા નથી પરંતુ અનેક રીતે બંધાય છે. વળી જે કર્મ જે રીતે બંધાયું હોય તે કર્મ તેજ રીતે ઉદયમાં આવે છે અને ફળ આપે છે એમ નથી. કેટલીક વાર કેટલાંક કર્મો જે રીતે બંધાયા હોય તેજ રીતે નિયત કાળે ઉદયમાં આવે છે અને ફળ પણ આપે છે, પરંતુ કેટલીક વાર કેટલાંક કર્મો બંધ સમયે જે રીતે બંધાયા હોય તેનાથી અન્ય રીતે ફળ આપે છે અગર નક્કી થયેલ સમય કરતાં વહેલાં - મોડા અગર વધારે કાળ સુધી ફળ આપે છે, વળી કેટલાંક કર્મો તો ફળ આપ્યા વિના ક્ષય થઈ જાય છે એવું પણ બને છે. એ રીતે કર્મોમાં બંધ સમયે અને બંધાયા પછી અધ્યવસાયો દ્વારા કેવી અસર થાય છે તે બાબત આઠ કિરણોનું સ્વરૂપ સમજવાથી સારી રીતે જાણી શકાય છે. કર્મોને બંધ સામાન્યતયા ચાર પ્રકારે થાય છે તેમાં ૧૧માથી ૧૩મા સુધીના ત્રણ ગુણસ્થાનકોમાં અસાંપરાયિક અર્થાતુ યોગમાત્રથી કેવળ સતાવેદનીયનો બંધ થાય છે - તે સ્પષ્ટ બંધ કહેવાય છે. જેમ સુકા કપડા અગર દિવાલ ઉપર પવન દ્વારા ચટેલ રજ કણો તુરત જ છૂટાં પડી જાય છે, તેમ માત્ર યોગ દ્વારા બંધાયેલ સાતા વેદનીય કર્મ પણ બીજા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy