SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ આ ગ્રંથમાં ટીપ્પણાદિ જે લખેલ છે તે કર્મપ્રકૃતિના પૂ૦ મલયગિરિ મસા) ના ટીકાનું ભાષાંતર કર્તા સ્વ. પંડિતવર્ય ચંદુલાલ નાનચંદ સીનોરવાળા, તથા પંચસંગ્રહના ભાષાંતર કર્તા સ્વ. પંડિતવર્ય હીરાલાલ દેવચંદ વઢવાણ નિવાસી અને સ્વચ્છ પંડિતવર્ય પુખરાજજી અમીચંદજી કોઠારી તરફથી બહાર પડેલ પંચસંગ્રહ ભાગ - ૧ - ૨ - ૩માંથી લીધેલ છે. તથા સારસંગ્રહ - પ્રશ્નોત્તરી પણ દરેક કરણ પછી આપેલ છે. તેમના લખાણમાં જે કંઈ ફેરફાર કર્યો છે તે પૂજ્ય બન્ને આચાર્ય ભગવંત પાસે તપાસ કરાવીને પંડિતવર્ય પુખરાજજીના પત્ર દ્વારા કરેલ છે. પંડિતજીનો મહેસાણાથી પત્ર હતો કે મારી ઈન્દ્રિયની શિથિલતાના કારણે કોઈ ક્ષતિ રહી હોય તો તે પૂજ્ય બન્ને આચાર્ય ભગવંતને બતાવીને ફેરફાર કરશો. તથા મારી પણ ઘણી ભાવના હતી કે પૂ૦ મહોપાધ્યાય યશોવિજયજી મસાઇ ની ટીકાનું ભાષાંતર કરું, પરંતુ હું તો સંયોગોવશાતુ કરી શક્યો નથી પરંતુ તમો આ કાર્ય કરી રહ્યા છો તેમાં મને અત્યંત આનંદ છે. તથા આ ગ્રંથમાં અમુક ટીપ્પણ અને પરિશિષ્ટ-૨માં અનુકૃષ્ટિના ૧૦ ચિત્રો કર્મપ્રકૃતિ પદાર્થ-૧માંથી લીધેલ છે. જે ૫૦૫૦ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયશેખરસૂરીશ્વરજી મસા ના શિષ્ય ગણિવર્ય અભયશેખર વિજય મસા કર્મપ્રકૃતિ પદાર્થ ભાગ - ૧ - ૨ - ૩ બહાર પાડેલ છે. ચિત્રો - યંત્રોના ફાઈનલ પ્રફ પણ ૫૦૫૦ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મ0 સાહેબે સૂક્ષ્મતાપૂર્વક સુધારી આપેલ છે. સંવત - ૨૦૫૧ના અમદાવાદ ગીરધરનગર ચાતુર્માસ નક્કી થતાં મારા પૂ. બન્ને વડીલોની આજ્ઞાથી ૫૦પૂ. પંન્યાસપ્રવર હકારચંદ્ર વિજય ગણિવર્ય મસા સાથે ફતાસાપોળ - ભઠ્ઠીબારીમાં ૫૦પૂ. પંન્યાસપ્રવર પંડિત વીરવિજયજી મસા ના ઉપાશ્રયે ચાતુર્માસ નક્કી કર્યું. દર મહીને ૭ થી ૮ વખત ગીરધરનગર પૂજ્યશ્રી પાસે જતાં, પૂજ્યશ્રી ગચ્છાધિપતિ હોવા છતાં અને અનેક શાસનની જવાબદારી હોવા છતાં ૩ થી ૪ કલાકનો અમૂલ્ય સમયનો ભોગ આપી મારા અનેક પ્રશ્નોના જવાબ આપી મને વિશેષ ઉત્સાહિત કર્યો છે. કરણ - ૧ - ૨ની નોટમાંથી ફેર કોપી સાધ્વી સૂર્યપ્રભાશ્રીજીના શિષ્યા સાધ્વી સૌમ્યપ્રભાશ્રીજી આદિએ તથા સાધ્વી વિનીતયશાશ્રીજીના શિષ્યા સાધ્વી ભવ્યયશાશ્રીજી, સાધ્વી રાજીમતિશ્રીજીના શિષ્યા સાધ્વી ભવ્યરત્નાશ્રીજીએ કરી આપેલ છે. કર્મપ્રકૃતિના પ્રથમ ભાગ અંગે પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સાહેબે સુરત નાનપુરા સંવત ૨૦૪૮ના ચાતુર્માસમાં સૂક્ષ્મ નિગોદ આયુષ્ય નિવારણ તપ કરાવેલ તે તપની સ્મૃતિ નિમિત્તે પૂજ્યશ્રીના ઉપદેશથી નાનપુરા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તરફથી જ્ઞાનખાતાની રકમ પ્રાપ્ત થયેલ છે. આ ગ્રંથ સુરત પ્રોગ્રેસીવ પ્રિન્ટીંગ પ્રેસવાળા અસગરભાઈએ સારી રીતે તૈયાર કરેલ છે. અને ટાઈપસેટીંગ ભાવનાબેન અને હેમાલીબેને પણ ઘણું સારી રીતે ઝડપથી કરી આપેલ છે. તથા બંધનકરણના ૧ થી ૧૩ ચિત્રો મદ્રાસ હંસા કોમ્યુટર ગ્રાફીક્સવાળા ચીનુભાઈ શાહે તૈયાર કર્યા છે. | મારા માટે તો મારા પરમ ઉપકારી પ૦પૂ૦ ગુરૂદેવ શ્રીમાનું વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મસા... ના સ્વનામધન્ય સુશ્રાવક શાંતિચંદ બાલુભાઈ ઝવેરીએ (સુરતવાળા) પાલીતાણા પન્નારૂપા ધર્મશાળામાં કરાવેલ વિ.સં. ૨૦૫૧ના અભૂતપૂર્વ સાધના - શાસન પ્રભાવના પૂર્વક ચાતુર્માસ પ્રસંગે ૧૭મી વાર શ્રી સૂરિમંત્રની પાંચમા પીઠની આરાધનાના સ્મૃતિરૂપમાં ભાવાનુવાદને ગણું છું. આ ગ્રંથ મારા ક્ષયોપશમ અનુસાર ભાવાનુવાદ કરેલ છે. અને પૂજ્ય બન્ને આચાર્ય ભગવંતે મૂલમેટર અને ફાઈનલ પ્રફ સુધારી આપેલ છે, છતાં કોઈ જગ્યાએ ક્ષતિ રહી હોય અથવા પ્રસાદિના દોષથી ભૂલ થઈ હોય તો વાચક વર્ગે સુધારી લેવી અને મને જણાવવા વિનંતી છે. જિનવચન વિરુદ્ધ કંઈ મિથ્યા લખાયેલ હોય તો ત્રિવિધ કરી મિચ્છામિ દુક્કડ (ક્ષમાપના) લી સંપાદક - ભાવાનુવાદકર્તા પ૦પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મસા ના ચરણરેણું મુનિ કેલાસચંદ્ર વિજય સંવત-૨૦૫૧, શ્રાવણ વદ-૧૨ (બી) અઢાઈધર શ્રી વીરવિજયજી જૈન ઉપાશ્રય, ભટ્ટીની બારી, ફતાસાપોળ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy