SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૧૨૭ ટીકાર્થ:- અનંતરોપનિધા વડે વૃદ્ધિમાર્ગણા કરી હવે, (૨) પરંપરોપનિધા વડે તે (વૃદ્ધિમાર્ગણા) કરતાં કહે છે. - જઘન્ય કષાયોદયથી શરૂ કરીને અસંખ્યય લોકાકાશપ્રદેશ પ્રમાણ કષાયોદયસ્થાનો જઇને પછી જે સ્થિતિબંધ અધ્યવસાયસ્થાન કષાયોદય રૂ૫ તે અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો જઘન્ય કષાયોદય સ્થાન સંબંધી અનુભાગબંધ અધ્યવસાયસ્થાન અપેક્ષાથી દ્વિગુણ (બમણાં) હોય છે. ફરી પણ તેટલાં સ્થાન સંબંધી અનુભાગબંધ અધ્યવસાયસ્થાન અપેક્ષાએ દ્વિગુણ (બમણાં) હોય છે. ફરી પણ તેટલાં કષાયોદયસ્થાન અતિક્રમી જે પછી સ્થિતિબંધ અધ્યવસાયસ્થાનમાં દ્વિગુણ હોય છે. એ પ્રમાણે વારંવાર ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ કષાયોદયસ્થાન આવે. અને નાનારૂપ અંતરો દ્વિગુણવૃદ્ધિસ્થાનો આવલિકાના અસંખ્ય ભાગ સમય પ્રમાણ હોય છે. सवासुभपगईणं, सुभपगईणं विवज्जयं जाण । ठिइबंधट्ठाणेसु वि, आउगवज्झाण पगडीणं ॥ ५५ ॥ सर्वाशुभप्रकृतिनां, शुभप्रकृतीनां विपर्ययं जानीहि । स्थितिबन्धस्थानेष्वपि, आयुष्कवर्जानां प्रकृतीनाम् ॥ ५५ ॥ ગાથાર્થ :- પૂર્વોક્ત વૃદ્ધિ પ્રરૂપણા અશુભ પ્રવૃતિઓની અપેક્ષાએ કહી છે. અને શુભ પ્રવૃતિઓની વૃદ્ધિપ્રરૂપણા તેથી વિપરીત રીતે જાણવી. તથા આયુષ્ય સિવાયની શુભાશુભ પ્રવૃતિઓના સ્થિતિબંધસ્થાનોમાં પણ વૃદ્ધિપ્રરૂપણા કષાયોદયની જેમ જાણવી. ટીકાર્થ :- સર્વ અશુભ પ્રકૃતિઓઃ - જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૯, અસાતા વેદનીય, મિથ્યાત્વ, કષાય-૧૬, નોકષાય-૯, નરકાયુષ્ય, પ્રથમ જાતિ-૪, પ્રથમ સિવાયના સંસ્થાન-૫, સંઘયણ-૫, કૃષ્ણ-નીલવર્ણ, દુરભિગંધ, તિક્ત-કટુ રસ, કર્કશ-ગુરુ-રૂક્ષ-શીતસ્પર્શરૂપ, અશુભવર્ણાદિ-૯, નરકગતિ, નરકાનુપૂર્વી, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, પ્રશસ્ત વિહાયોગતિ, ઉપઘાત, સ્થાવરદશક, નીચગોત્ર, અંતરાય-૫ લક્ષણવાલી-૮૭ પ્રકૃતિઓની પૂર્વે કહીં તે પ્રમાણે અનુભાગબંધ અધ્યવસાય સ્થાનોની વૃદ્ધિમાર્ગણા જાણવી. શુભ પ્રકતિઓ :- દેવત્રિક, મનુષ્યત્રિક, તિર્યંચાયુષ્ય, સાતાવેદનીય, પંચેન્દ્રિયજાતિ, શરીર-૫, સંઘાતન-૫, બંધન-૧૫, અંગોપાંગ-૩, પ્રથમ સંઘયણ - સંસ્થાન, શુભવર્ણાદિ-૧૧, પરાઘાત, અગુરુલઘુ, ઉચ્છુવાસ, આતપ, ઉદ્યોત, નિર્માણ, શુભવિહાયોગતિ, ત્રસદશક, તીર્થંકરનામ, ઉચ્ચગોત્ર, લક્ષણવાલી ૬૯ પ્રકૃતિઓ વૃદ્ધિમાર્ગણા વિપરીત જાણવી. તે આ પ્રમાણે કહે છે. ઉત્કૃષ્ટકષાયોદયે અનુભાગબંધ અધ્યવસાયસ્થાન સર્વથી થોડા, દ્વિચરમ સમયે વિશેષાધિક, ત્રિચરમ સમયે વિશેષાધિક, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી સર્વ જઘન્ય કષાયોદયસ્થાન આવે. આ અનંતરોપનિધાથી વૃદ્ધિમાર્ગણા થઇ. પરંપરોપનિધા:- વડે વૃદ્ધિમાર્ગણા ઉત્કૃષ્ટ કષાયોદયસ્થાનથી શરૂ કરીને જ્યાં સુધી સર્વ જઘન્ય કષાયોદયસ્થાન સુધી નીચે નીચે અસંખ્યય લોકાકાશપ્રદેશ પ્રમાણ કષાયોદયસ્થાન અતિક્રમી જ્યાં જ્યાં સ્થાન આવે ત્યાં ત્યાં અનુભાગબંધ અધ્યવસાયસ્થાન દ્વિગુણવૃદ્ધિ કહેવી. અને તે નાનારૂપ દ્વિગુણવૃદ્ધિસ્થાનો આવલિકાના અસંખ્યયભાગ પ્રમાણ જાણવાં, અને કહેવા પ્રમાણ શુભપ્રકૃતિ અને અશુભપ્રકૃતિઓના દરેકના દ્વિગુણસ્થાનો થોડા છે. એક દ્વિગુણવૃદ્ધિના અપાંતરાલે (વચમાં) કષાયોદયસ્થાનો અસંખ્ય ગુણ છે. તે પ્રમાણે સ્થિતિબંધ હેતુ અધ્યવસાયને વિષે અનુભાગબંધ હેતુના અધ્યવસાયોની પ્રરૂપણા કરી. હવે સ્થિતિબંધસ્થાનને વિષે અનુભાગબંધસ્થાન પ્રરૂપણા:- કરતાં કહે છે. - સ્થિતિબંધસ્થાનને વિષે આયુષ્ય વર્જીને સર્વ પ્રકૃતિઓનો કષાયોદય વિષે અનુભાગબંધ અધ્યવસાયસ્થાનોની જેમ અનુભાગબંધસ્થાનો કહેવાં. ત્યાં પૂર્વે કહેલ આયુષ્ય વર્જીને અશુભપ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિ અનુભાગબંધસ્થાન અસંખ્યય લોકાકાશપ્રદેશ પ્રમાણ છે. અને તે થોડા છે, તેથી બીજી સ્થિતિમાં વિશેષાધિક છે, તેથી પણ ત્રીજી સ્થિતિમાં વિશેષાધિક, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ થાય. આયુષ્ય વર્જીને શુભ પ્રકૃતિઓનો પૂર્વે કહ્યું તેમ ઉત્કૃષ્ટસ્થિતિને વિષે અનુભાગબંધસ્થાનો અસંખ્યયેય લોકાકાશપ્રદેશ પ્રમાણ, તે થોડા તેથી એક એક સમય હાનિથી જઘન્યસ્થિતિ સુધી વિશેષાધિક કહેવાં. पल्लासंखियभागं, गंतुं दुगुणाणि आउगाणं तु । थोवाणि पढमबंधे, बिइयाइ असंखगुणियाणि ॥ ५६ ॥ पल्यासङ्ख्येयभाग, गत्वा द्विगुणान्यायुष्कानान्तु । स्तोकानि प्रथमबन्धे, द्वितीयादावसङ्ख्येयगुणितानि ॥ ५६ ॥ Jain Education Intomational For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy