SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ કર્મપ્રકૃતિ ગાથાર્થ :- પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિબંધસ્થાનોને અતિક્રમતાં અનંતર જે જે સ્થિતિબંધસ્થાન આવે તેમાં દ્વિગુણ દ્વિગુણ અનુભાગસ્થાનો થાય. તથા આયુષ્યના પ્રથમ સ્થિતિબંધમાં અનુભાગસ્થાનો અલ્પ હોય ને તદનંતર દ્વિતીયાદિ સ્થિતિસ્થાનોમાં અસંખ્યગુણ અસંખ્યગુણ અનુભાગસ્થાનો હોય. ટીકાર્થ :- આ અનંતરોપનિધા વડે વૃદ્વિમાર્ગણા કરી, હવે પરંપરોપનિધા વડે તેને કરવાની ઇચ્છાવાળા કહે છે. પલ્યોપમના અસંખ્યયભાગમાત્ર સ્થિતિસ્થાનો જઇને જે જે બીજું સ્થિતિસ્થાન આવે છે તે પૂર્વના સ્થિતિસ્થાન સંબંધી અનુભાગબંધસ્થાનોથી દ્વિગુણ (બમણા) અનુભાગબંધસ્થાનો કહેવાં. અને પૂર્વે કહેલાં આયુષ્ય વર્જીને અશુભપ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિથી શરૂ કરીને ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી ઉપર ઉપર જાણવું. પૂર્વે કહેલ આયુષ્ય વર્જીને શુભપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિથી શરૂ કરીને જઘન્ય સ્થિતિ સુધી પલ્યોપમના અસંખ્યયભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો અતિક્રમણ કરીને નીચે નીચે ઊતરતાં દ્વિગુણવૃદ્ધિ કહેવી. અને આ શુભપ્રકૃતિઓના અને અશુભપ્રકૃતિના દરેક દ્વિગુણવૃદ્ધિસ્થાનો આવલિકાના અસંખ્યયભાગના સમય પ્રમાણ હોય છે. તથા દ્વિગુણવૃદ્ધિસ્થાનો થોડા છે. આવલિકાના અસંખ્યયભાગ માત્રપણું છે. એક દ્વિગુણવૃદ્ધિની વચ્ચે સ્થિતિસ્થાનો અસંખ્યયગુણ છે, પલ્યોપમના અસંખ્ય ભાગ માત્રપણું છે. તથા ચારે પણ આયુષ્યના પ્રથમબંધને વિષે જઘન્યસ્થિતિબંધમાં સર્વથી થોડા અનુભાગબંધસ્થાનો છે. પછી સમય અધિકના જઘન્યસ્થિતિમાં અસંખ્યયગુણ છે. તેથી પણ ક્રિસમય અધિકની સ્થિતિમાં અસંખ્યયગુણ છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ થાય. (ચિત્ર નં ૧૦-૧૧-૧૨-૧૩ જુઓ). ઇતિ અનુભાગબંધ અધ્યવસાયસ્થાનોનું સ્વરૂપ સમાપ્ત ત્ર સુધી પહ્યા ઓન એન છે. આવી - અથ અનુભાગ અધ્યવસાયસ્થાનોની અનુકૃષ્ટિ :-) घाईणमसुभवण्णरसगंधफासे जहन्नठिइबंधे । जाणज्झवसाणाई, तदेगदेसो य अत्राणि ।। ५७ ॥ पल्लासंखियभागो, जावं बिइयस्स होइ बिइयम्मि । आ उक्कस्सा एवं, उवघाए वा वि अणुकष्टि ॥ ५८ ॥ घातिनामशुभवर्णरसगंधस्पर्शानां जघन्यस्थितिबन्धे । यान्यध्यवसानानि, तदेकदेशश्चाऽन्यानि ।। ५७ ॥ पल्यासङ्ख्येयभागं, यावद् द्वितीयस्य भवति द्वितीये। . आ उत्कृष्टादेवम् , उपघाते वाप्यनुकृष्टिः ॥ ५८ ॥ ચિત્ર નં. ૧૦ની સમજુતી :- આ ચિત્રના અશુભ પ્રવૃતિઓમાં શરૂ થતુ મોટુ બિન્દુ તે જઘન્ય કષાયોદયસ્થાન છે. આને સ્થિતિબંધ અધ્યવસાયસ્થાન પણ કહેવાય છે. આ ઉત્તરોત્તર વધતા કષાયોદયસ્થાનો અસંખ્યય લોકાકાશપ્રદેશ પ્રમાણ છે. એક એક કષાયોદયસ્થાનમાં રસબંધ અધ્યવસાયસ્થાનો અસંખ્યય લોકાકાશપ્રદેશ પ્રમાણ છે. અને ઉત્તરોત્તર કષાયોદયસ્થાનમાં રસબંધના અધ્યવસાયસ્થાનોની સંખ્યા વધતી જાય છે. પ્રથમના કષાયોદયસ્થાનથી અસંખ્ય લોકાકાશ સ્થાનો જઇને પછીના કષાયોદયસ્થાનમાં રસબંધના અધ્યવસાય (દ્વિગુણ) ડબલ થાય છે. આ રીતે આગળ આગળ પણ ડબલ-ડબલરસબંધના અધ્યવસાયો થતા જાય છે. તેવા દ્વિગુણ રસબંધના અધ્યવસાયસ્થાન આવલિકાના અસંખ્યયભાગ જેટલાં છે. અને તે દ્વિગુણ વૃધ્ધિ હાનિની વચ્ચેના સ્થાનો અસંખ્યય લોકાકાશપ્રદેશ પ્રમાણ સમજવા. અશુભ પ્રવૃતિઓ :- ૮૭ જ્ઞાના-૫, દર્શ૦-૯, અસાતાવેદનીય, ૨૬ મોહનીય, નરકત્રિક, એકેન્દ્રિયાદિ-૪ જાતિ, પ્રથમ સિવાયના સંઘયણ-૫, સંસ્થાન-૫, અશુભવર્ણાદિ-૯, તિર્યંચદ્ધિક, અપ્રશસ્તવિહાયોગતિ, ઉપઘાત, સ્થાવરદશક, નીચગોત્ર, અંતરાય-૫ =૮૭ શુભ પ્રકૃતિઓઃ- ૬૯ સાતાવેદનીય, દેવત્રિક, મનુષ્યત્રિક, તિર્યંચાયુષ્ય, પંચેન્દ્રિયજાતિ, શરીર-૫, સંઘાતન-૫, બંધન-૧૫, અંગોપાંગ-૭, પ્રથમ સંઘયણ- સંસ્થાન, શુભવર્ણાદિ-૧૧, શુભવિહાયોગતિ, પરાઘાત, અગુરુલઘુ, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, નિર્માણ, જીનનામ, ત્રસદશક, ઉચ્ચગોત્ર = ૬૯ = કુલ ૧૫૬ પ્રકૃતિઓ. (ઇતિ ચિત્ર નં ૧૦ની સમજૂતી સમાપ્ત). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy