SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ કર્મપ્રકૃતિ फासणकालोऽतीए, थोवो उक्कोसगे जहने उ । होइ असंखेज्जगुणो य, कंडगे तत्तिओ चेव ॥ ४९ ॥ जवमज्झकंडगोवरि, हेट्ठा जवमज्झओ असंखगुणो । कमसो जवमज्झुवरि, कंडगहेट्ठा य तावइओ ॥५०॥ जवमझुवरि विसेसो, कंडगहेट्ठा य सबहिं चेव । जीवप्पाबहुमेवं, अज्झवसाणेसु जाणेज्जा ॥५१॥ सर्शनाकालोऽतीते, स्तोक उत्कृष्टे जघन्ये तु । भवत्यसङ्ख्येयगुणच, कण्डके तावांश्चैव ।। ४९ ॥ यवमध्यकण्डकोप-र्यधो यवमध्यतोऽसङ्ख्येयगुणः । क्रमशो यवमध्योपरि, कण्डकाधश्च तावतिकः ॥ ५० ॥ यवमध्योपरि विशेषः, कण्डकायच ? सर्वेषाम् चैवम् । जीवाल्पबहुत्वमेवम्, अध्यवसानेषु जानीयात् ॥ ५१ ॥ ગાથાર્થ :- અતીતકાળમાં (એક જીવની અપેક્ષાએ) ઉત્કૃષ્ટ (દ્વિસામયિક સ્થાનોમાં) સ્પર્શના કાળ સર્વથી અલ્પ છે. તેથી જઘન્ય (પર્વ ચતઃસામયિક) સ્થાનોમાં સ્પર્શના કાળ અસંખ્ય ગુણ છે. તેથી કંડકમાં (એટલે ઉત્તર ચતુઃ સામયિક) સ્થાનોમાં સ્પર્શ કાળ નિશ્ચય તુલ્ય છે. ૪૯ તેથી યવમધ્ય (રૂપ અષ્ટસામયિક) સ્થાનોમાં તથા કંડકથી ઉપરના (ઉત્તર ત્રિસામયિક) સ્થાનોમાં તથા યવમધ્યથી પૂર્વ (પૂર્વ સપ્ત ષટુ પંચ સામયિક) સ્થાનોમાં અનુક્રમે સ્પર્શના કાળ અસંખ્યગુણ છે. તેથી કંડક પૂર્વે રહેલાંને યવમધ્યથી ઉત્તરના (ઉત્તર સપ્ત ષટુ પંચ સામયિક) સ્થાનોમાં સ્પર્શના કાળ તુલ્ય છે. ૫૦ તેથી યવમધ્ય ઉત્તરવર્તિ (સપ્ત સામયિકાદિ સર્વ) સ્થાનોમાં સ્પર્શના કાળ વિશેષાધિક, તેથી કંડક પૂર્વેના નિશ્ચય સર્વ (ઉત્તર ત્રિસામયિકથી પૂર્વ ચતુઃ સામયિક સુધીના) સ્થાનોમાં (એક જીવનો) સ્પર્શનાકાળ વિશેષાધિક છે. તેથી સર્વસ્થાનોમાં સ્પર્શનાકાળ વિશેષાધિક છે. એ પ્રમાણે અધ્યવસાય સ્થાનોમાં પણ જીવોનું અલ્પબદુત્વ જાણવું. ૫૧ ટીકાર્ય - યવમધ્ય પ્રરૂપણા કરી. હવે (૭) સ્પર્શના પ્રરૂપણા - કહે છે. અતીત કાલે એક જીવને ઉત્કૃષ્ટ દ્વિસામયિક અનુભાગબંઘસ્થાન સ્પર્શનાકાલ, અલ્પ, અતીત કાલે પરિભ્રમણ કરતાં પ્રાણી વડે થોડો જ કાલ દ્વિસામયિક અનુભાગબંધસ્થાને સ્પર્શ થાય, એ પ્રમાણે અર્થ છે. જઘન્ય અનુભાગબંધસ્થાન તો શરૂઆતને વિષે ચતુઃસામયિક એ પ્રમાણે અર્થ છે, અતીત કાલે સ્પર્શનાકાલ અસંખ્ય ગુણ છે. કંડકમાં તેટલો માત્ર જ સ્પર્શનાકાલ જેટલો પ્રથમ ચતુઃસામયિક ને વિષે છે, તેટલો જ હોય છે. કંડકનામ ઉપરિતન (ઉપરના) ચતુઃસામયિક સ્થાન તેથી યવમધ્ય અષ્ટસામયિક સ્થાનને વિષે સ્પર્શનાકાલ અસંખ્યયગુણ હોય છે. તેથી કંડકની ઉપરવર્તિ ચતુઃસામયિક સ્થાન સંઘાતરૂપની ઉપરિતનને વિષે ત્રિસામયિક સ્થાનને વિષે સ્પર્શનાકાલ અસંખ્ય ગુણ હોય છે. તેથી યવમધ્યની નીચેના ૫-૬-૭ અસંખ્ય ગુણ, ઉપરિતન ત્રિસામયિક સ્પર્શનાકાલની અપેક્ષાએ શરૂઆતના ૫-૬-૭ સામયિક અસંખ્યયગુણ સ્પર્શનકાલ, સ્વસ્થાને તો તેઓનો તુલ્ય સ્પર્શનાકાલ છે. પછી ક્રમથી યવમધ્ય ઉપરિકન કંડકથી ઉપરિતન ચતુઃસામયિક સંઘાત રૂપથી નીચેના ૫-૬-૭ સામયિકને વિષે પોતાના સ્થાનને વિષે તેટલો માત્ર જ સ્પર્શનકાલ જેટલો પૂર્વના ૫-૬-૭ સામયિકને વિષે હોય તેટલો હોય છે. પછી યવમધ્યની ઉપરિતનને વિષે દ્વિસામયિક પર્યન્ત સર્વ સ્થાનોને વિષે સ્પર્શનાકાલ તે વિશેષાધિક છે. તેથી પણ કંડકના યવમધ્ય ઉપરિવર્તિ ચતુ સામયિક સ્થાન સંઘાત રૂપની નીચેના સર્વ સ્થાન જઘન્ય ચતુઃસામયિક પર્યત સુધી સ્પર્શનકાલ વિશેષાધિક છે. તેથી પણ સર્વ સ્થાનોને વિષે સ્પર્શનાકાલ વિશેષાધિક હોય છે. સ્પર્શના પ્રરૂપણા કરી હવે - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy