SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ કર્મપ્રકૃતિ બંધસ્થાનને વિષે) અંતર નથી. સર્વ પણ સ્થાવર પ્રાયોગ્ય સ્થાનો હંમેશા જ સ્થાવર જીવો વડે બંધાતા પ્રાપ્ત થાય છે. કારણકે સ્થાવર જીવો અનંતા છે અને તતુ = તે (સ્થાવર) પ્રાયોગ્ય સ્થાનો અસંખ્યય છે. તેથી અત્તર પ્રાપ્ત થાય નહીં. आवलिअसंखभागो, तसा णिरंतरमहेगठाणमि । नाणा जीवा एवइ-कालं एगिंदिया णिच्चं ॥ ४५ ॥ आवलिकाऽसंख्येयभागः, वसा निरन्तरमथैकस्थाने । नानाजीवा एतावत् - कालमेकेन्द्रिया नित्यम् ॥ ४५ ॥ ગાથાર્થ :- ત્રસ જીવો વડે નિરન્તર બધ્યમાન સ્થાનો આવલિકાના અસંખ્યાતભાગ પ્રમાણ છે. અને નાના ત્રસજીવોની અપેક્ષાએ એક સ્થાનમાં બંધકાળમાં પણ એટલો જ છે, અને સ્થાવર પ્રાયોગ્ય એકેક અનુભાગસ્થાનમાં એકેન્દ્રિય જીવ નિત્ય એટલે સર્વકાળ બંધકપણે વર્તે છે. ટીકાર્થ :- હવે (૩-૪) નિરન્તર સ્થાન અને નાના જીવ કાલ પ્રરૂપણા - કહે છે. ““તસ'' એ અહીં તૃતીયાના અર્થમાં પ્રથમાં છે, તેથી ત્રસ વડે નિરન્તર બંધાતા અનુભાગબંધસ્થાન જઘન્યથી બે અથવા ત્રણ પ્રાપ્ત થાય છે, અને ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યયભાગમાં એ પ્રમાણે અર્થથી જોડવું. કેવી રીતે જાણવું ? તો કહે છે - ત્રસજીવો થોડા છે. ત્રસ પ્રાયોગ્ય સ્થાનો તો અંગે ગુણે છે, તેથી સર્વ ત્રસ જીવો વડે ક્રમથી નિરન્તર (સંત) બંધાતાં પ્રાપ્ત થાય નહીં, પરંતુ ઉત્કૃષ્ટથી પણ કહેલ પ્રમાણ જ હોય છે. (૪) નાના જીવકાલ પ્રમાણ પ્રરૂપણા:- નાના જીવ વડે એક એક અનુભાગબંધસ્થાન કેટલો કાલ અવિરહિત પ્રાપ્ત થાય છે એ પ્રમાણે પ્રશ્ન થયે છતે જવાબ કહે છે. હવે વિસ્થાને - એક એક અનુભાગબંધસ્થાનને વિષે જુદા જુદા ત્રસ જીવો જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી “વફા” તિ આટલો કાલ પૂર્વ કહેલ સ્વરૂપવાળો આવલિકા અસંખ્ય ભાગ માત્ર કાલ જેટલો નિરન્તર બંધકપણે પ્રાપ્ત થાય છે, પછી અવશ્ય તે સ્થાન બંધન્ય થાય છે. આ ભાવ છે – બીજા બીજા ત્રસ જીવો વડે નિરન્તર બંધાતા જઘન્ય એક-બે સમય પ્રાપ્ત થાય છે. ઉત્કૃષ્ટથી આવલિકા અસંખ્યયભાગ માત્ર જ પ્રાપ્ત થાય છે. એકેન્દ્રિય નાના પ્રકારે (જૂદા જુદા) સ્થાવર પ્રાયોગ્ય એક એક અનુભાગબંધસ્થાનને વિષે નિત્ય બંધકપણે પ્રાપ્ત થાય છે. તે (સ્થાન) બંધશૂન્ય થતું નથી. સ્થાવર પ્રાયોગ્ય એક એક અનુભાગસ્થાનને વિષે બીજા બીજા સ્થાવર જીવો વડે બંધાતાં સર્વકાલ થાય છે, ક્યારે પણ બંધ રહિત થાય નહીં એ પ્રમાણે ભાવ છે. थोवा जहण्णट्ठाणे, जा जवमज्झं विसेसतो अहिया ।' एत्तो हीणा उक्कस्सगंतिजीवा अणंतरओ ॥ ४६ ॥ स्तोका जघन्यस्थाने, यावत् यवमध्य विशेषताऽधिका । इतो हीना उत्कृष्टकमितिजीवा अनन्तरतः ॥ ४६ ॥ ગાથાર્થ :- જઘન્ય અનુભાગબંધસ્થાનમાં વર્તતાં સર્વ જીવો તે અલ્પ છે. તે યવમધ્ય (અષ્ટસામયિક સુધી) વિશેષાધિક છે, અહીંથી આગળ અનંતર અનંતરપણે (અનુક્રમે) વિશેષહીન કહેવું. તે પણ ત્યાં સુધી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ દ્વિસામયિક સ્થાન આવે. ટીકાર્થ :- (૫) વૃદ્ધિ પ્રરૂપણા:- ત્યાં બે અનુયોગદ્વાર છે. (૧) અનંતરોપનિધા અને (૨) પરંપરોપનિધા. ત્યાં અનંતરોપનિધા કહે છે. જઘન્ય અનુભાગબંધસ્થાનને વિષે બંધકપણે વર્તમાન જઘન્ય સ્થાન તે સર્વથી થોડા છે. તેથી બીજા અનુભાગબંધસ્થાનમાં વિશેષાધિક છે. તેથી પણ ત્રીજામાં વિશેષાધિક, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી યવમધ્ય અષ્ટસામયિકસ્થાન આવે તેની આગળ ફરી જીવો અનંતર અનંતરપણે ક્રમથી વિશેષહીન કહેવું અને તે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી ઉત્કૃષ્ટ કિસામયિક સ્થાન આવે. गंतूणमसंखिज्जे, लोगे दुगुणाणि जाव जवमज्झं । एत्तो य दुगुणहीणा, एवं उक्कोसगं जाव ॥ ४७ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy