SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૧૧૭ વિષે ઉત્કૃષ્ટ સંખ્યાત તુલ્ય ગ્રહણ થાય છે, ફક્ત એક ઉત્કૃષ્ટ સંખ્યાતુ (સર્વ અંતિમ છે તે) ત્યાગ કરાય છે, તે કારણે અસંખ્યયભાગવૃદ્ધસ્થાનોથી, સંખ્યયભાગવૃદ્ધસ્થાનો સંખ્યયગુણ થાય છે, પ્રાતન (પૂર્વ) રાશિ પ્રમાણ તેઓની સંખ્યાતી ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. તેથી પણ (સંખ્યયભાગસ્થાનથી પણ) સંખેયગુણવૃદ્ધસ્થાનો સંખ્યયગુણ થાય છે. કારણ કે પ્રથમ સંખે ભાગવૃદ્ધથી પ્રાકૃતન (પૂર્વના) અનન્તર સ્થાનની અપેક્ષાએ ઉત્તરવતિ (પછીના) આંતરામાં રહેલા ઉત્કૃષ્ટ સંખ્યાત તુલ્ય મૂળ સંખ્યયભાગવૃદ્ધસ્થાનો જઇને છેલ્લું સ્થાન સાધિક દ્વિગુણ પ્રાપ્ત થાય છે. તેથી ફરી તેટલાં માત્ર સ્થાન જઇને છેલ્લું સ્થાન સાધિક ત્રિગુણ સ્થાન આવે. એ પ્રમાણે ચતુર્ગુણ આવે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ સંખ્યયગુણ થાય. તેથી આગળ ઉત્કૃષ્ટ સંખ્યાત પ્રમાણ સ્થાનો જઇને છેલ્લે જે એક ગુણથી અધિક સ્થાન આવે તે જઘન્ય અસંખ્ય ગુણ થાય છે. તે ગ્રહણ ન કરવું. તે કારણે પૂર્વના સંખ્યયભાગવૃદ્ધસ્થાનથી સંખ્યયગુણવૃદ્ધસ્થાનો સંખ્યયગુણ થાય છે. અને તે કહ્યું છે. ““સંધ્યેવાળેષઃ” સંખ્યય નામને વિષે સંખ્યયભાગવૃદ્ધ-સંખેયગુણવૃદ્ધરૂપ સ્થાનને વિષે સંખ્યયગુણ એ ક્રિયા વિશેષણ છે. સંખ્યયગુણથી પરંપરોપનિધા કહેવી. તેથી વિપરીત “તરતઃ' એ આનો વિશેષ નિયમ છે. તે સંખ્યયગુણસ્થાનથી અસંખ્યયગુણવૃદ્ધસ્થાન અસંખ્યયગુણ હોય છે. કારણકે ઉત્કૃષ્ટ સંખ્યાતગુણવૃદ્ધિ-પરિસમાપ્તિ, ભાવિ (પૂર્ણ થતાં) જઘન્ય અસંખ્ય ગુણસ્થાનથી પર (પછી) સર્વપણ અનંતભાગવૃદ્ધ, અસંખ્યયભાગવૃદ્ધ, સંખે ભાગવૃદ્ધ, સંખ્યયગુણવૃદ્ધ, અસંખ્ય ગુણવૃદ્ધસ્થાનો અસંખ્યયગુણ પ્રાપ્ત થાય છે. તેથી પણ અનંતગુણવૃદ્ધસ્થાન અસંખ્યયગુણ છે. કારણકે પ્રથમ અનંતગુણવૃદ્ધ સ્થાન પૂર્વના અનંતર સ્થાનને આશ્રયીને જો અનંતગુણ અધિક થાય, તો તેથી પછીના ષસ્થાનકની પરિસમાપ્તિ (પૂર્ણ) થાય ત્યાં સુધીના તે સર્વ પણ સ્પષ્ટ રીતે તે પ્રમાણે થાય છે. અને જેટલાં સ્થાનો પૂર્વ અતિક્રાન્ત થાય તેટલાં એક એક અનંતગણવૃદ્ધિના અન્તરાન્તરાભાવિના અંતરે (પ્રત્યેક અંતરમાં) થાય છે. અને તે કંડક માત્ર અંતર છે. તે રીતે અસંખ્યયગુણવૃદ્ધથી, અનંતગુણવૃદ્ધ, અસંખ્યયગુણ (સુવિશદ) સ્પષ્ટ છે. તે પ્રમાણે અલ્પબદુત્વ - પ્રરૂપણા કરી. ઇતિ અલ્પ બહુત્વ પ્રરૂપણા સહિત અવિભાગાદિ-૧૪ અનુયોગ દ્વારા સમાપ્ત - -: અથ જીવસમુદાહારના ૮ અનુયોગ દ્વાર :-) थावरजीवाणंता, एक्किक्के तसजिया असंखिज्जा । लोगा सिमसंखेज्जा, अंतरमह थावरे णत्थि ॥ ४४ ॥ स्थावरजीवा अनंता, एकैकस्मिन् त्रसजीवा असङ्ख्येयाः । लोका एषामसङ्येयाः, अंतरमथ स्थावरे नास्ति ।। ४४ ॥ ગાથાર્થ :- એકેક અધ્યવસાયસ્થાને સ્થાવર જીવો અનંત વર્તે છે, ને ત્રસ જીવો અસંખ્ય વર્તે છે. પુનઃ ત્રસજીવ પ્રાયોગ્ય અધ્યવસાયસ્થાનોમાં અસંખ્યલોક પ્રમાણ અંતર રહે છે. ને સ્થાવર જીવોમાં અનુભાગ અધ્યવસાયનું અંતર નથી. ટીકાર્થ :- અનુભાગ બંધસ્થાનની પ્રરૂપણા કરી. હવે તે (અનુભાગબંધસ્થાનને વિષે) નિષ્પાદકપણે જે પ્રમાણે જીવો વર્તે છે, તે પ્રરૂપણા કરવી જોઇએ. ત્યાં આઠ અનુયોગદ્વાર છે. તે આ પ્રમાણે કહે છે. - (૧) પ્રતિસ્થાને (એક એક સ્થાને) જીવ પ્રમાણ પ્રરૂપણા (૨) અન્તર સ્થાન પ્રરૂપણા (૩) નિરન્તર સ્થાન પ્રરૂપણા (૪) નાના જીવકાલપ્રમાણ પ્રરૂપણા (૫) વૃદ્ધિ પ્રરૂપણા (૬) યવમધ્ય પ્રરૂપણા (૭) સ્પર્શના પ્રરૂપણા (૮) અલ્પબદુત્વ પ્રરૂપણા. ત્યાં પ્રથમ પ્રરૂપણા કરતાં કહે છે. - - (૧) પ્રતિસ્થાને જીવ પ્રમાણ પ્રરૂપણા:- સ્થાવર જીવોને બંધપ્રાયોગ્ય અનુભાગબંધસ્થાનોમાં (દરેક સ્થાનમાં) અનંતા સ્થાવર જીવો બંધકપણે પ્રાપ્ત થાય છે. ત્રસ પ્રાયોગ્ય સ્થાનોમાંના એક એક અનુભાગબંધસ્થાનમાં જઘન્યથી એક અથવા બે અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલાં અસંખ્યાત ત્રસજીવો પ્રાપ્ત થાય છે. (૨) અત્તર સ્થાન પ્રરૂપણા:- તથા આ ત્રસજીવોનું અસંખ્યયલોકાકાશપ્રદેશ પ્રમાણ અનુભાગબંધસ્થાનોનું અંતર છે. ત્રસ પ્રાયોગ્ય અનુભાગબંધસ્થાનને વિષે ત્રસ જીવો જઘન્યથી એક અથવા બે અને ઉત્કૃષ્ટથી - અસંખ્યયલોકાકાશપ્રદેશ પ્રમાણ બંધ આવતાં નથી. એ પ્રમાણે અર્થ છે. હવે સ્થાવરે - સ્થાવર પ્રાયોગ્ય (અનુભાગ - ૯૯ ત્રસ જીવોથી તેઓને બંધયોગ્ય રસબંધસ્થાનો અસંખ્યાતગુણા છે. એટલે બધા સ્થાનો પ્રતિ સમયે બાંધે અથવા ન બાંધે, વિવક્ષિત સમયે જે ન બંધાય તે જઘન્યથી ૧-૨ અને ઉત્કૃષ્ટથી અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ તેથી વચમાં અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ અંતર પડે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy