SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ S કર્મપ્રકૃતિ છે, अल्पबहुत्वमनन्तरतः, असंख्येयगुणितानामनन्तगुणमादि । तद्विपरीतमितरतः, सङ्ख्येयाऽख्येषु सङ्ख्येयगुणम् ।। ४३ ।। ગાથાર્થ - અનંતગુણવૃદ્ધિ સ્થાનોને આદિમાં રાખીને પચ્ચાનુપૂર્વીએ અનંતરોપનિધાથી અસંખ્ય ગુણ અલ્પબહુત કહેવું. અને ઇતર પરંપરોપનિધામાં અનંતરોપનિધાથી વિપરીત ક્રમ જાણવો. અને સંખ્યગુણવૃદ્ધિ તથા સંખ્યભાગવૃદ્ધિમાં સંખ્યગુણરૂપ અલ્પબદુત્વ કહેવું. ટીકાર્ય :- હવે અલ્પબદુત્વ પ્રરૂપણા. કહે છે. અહીં બે પ્રકારે અલ્પબદુત્વ પ્રરૂપણા (૧) અનંતરોપનિધા અને (૨) પરંપરોપનિધા. (૧) અનંતરોપનિધા:- ત્યાં અનન્તરથી એક ષસ્થાનકમાં “અંતિમસ્થાનથી શરૂ કરીને પચ્ચાનુપૂર્વીથી અનંતરોપનિધા પ્રરૂપણાને વિષે અનંતગુણવૃદ્ધિ સ્થાનને પ્રથમ કરીને બાકીના અસંખ્ય ગુણ કહેવાં. તે આ પ્રમાણે કહે છે. - સર્વથી થોડા અનંતગુણવૃદ્ધિસ્થાનો છે, તે કંડક પ્રમાણ છે. તેથી અસંખ્યયગુણવૃદ્ધિસ્થાનો અસંખ્યય હોય છે. કયો ગુણાકાર ? તો કહે છે કંડક અને તે ઉપર એક કંડક ઉમેરવું. કારણકે એકેક અનંતગુણવૃદ્ધસ્થાનની નીચે અસંખ્યયગુણવૃદ્ધ સ્થાનો કંડક માત્ર પ્રાપ્ત થાય છે. તેથી કંડક એ ગુણાકાર છે. અને અનંતગુણવૃદ્ધસ્થાન કંડકની ઉપર કંડક માત્ર અસંખ્યયગુણવૃદ્ધસ્થાનો પ્રાપ્ત થાય છે. પણ અનંતગુણસ્થાન નહીં. તેથી ઉપરનું કંડક અધિક ઉમેર્યું છે. તે અસંખ્યયગુણવૃદ્ધસ્થાનથી સંખ્યયગુણવૃદ્ધસ્થાન અસંખ્યયગુણ છે. તેથી પણ સંખ્યયભાગાધિકસ્થાનો અસંખ્યયગુણ છે. તેથી પણ અસંખ્યયભાગાધિક અસંખ્યયગુણ છે. તેથી પણ અનંતભાગાધિક અસંખ્યયગુણ છે. ગુણકાર સર્વ ઠેકણે કંડક, અને ઉપર એક એક કંડક ઉમેરવું. એક એક અસંખ્યયગુણવૃદ્ધાદિસ્થાનની નીચે કંડક માત્ર સંખ્યયગુણવૃદ્ધાદિસ્થાનોની ઉપર એક એક કંડક પ્રાપ્ત થાય છે. અનંતરોપનિધા અલ્પબદુત્વ પ્રરૂપણા કરી. (૨) હવે પરંપરોપનિધાને કરતાં કહે છે - ““તરતઃ' ઇતરથી તેનાથી વિપરીત પરંપરોપનિધા છે, જે ક્રમથી અનંતરોપનિધા કહી તેથી વિપરીત જાણવી, અહીં પ્રથમથી શરૂ કરીને કહેવું. એ પ્રમાણે અર્થ છે, તે આ પ્રમાણે કહે છે - સર્વથી થોડા અનંતભાગવૃદ્ધસ્થાનો છે. કારણ કે પ્રથમ અનુભાગબંધસ્થાનથી શરૂ કરીને તે કંડક માત્ર જ પ્રાપ્ત થાય છે, અધિક નહીં. તેથી પણ અસંખ્ય ભાગવૃદ્ધસ્થાન અસંખ્યયગુણ છે. કારણકે (અનંતભાગાધિક કંડકથી ઉપરનું) પ્રથમ અસંખ્યયભાગવૃદ્ધસ્થાન જો પાશ્ચાત્ય કંડકના (પૂર્વ કંડકના) અંતિમ સ્થાનની અપેક્ષાએ અસંખ્યયભાગથી અધિક છે. તેથી આગળનું પૂર્વનું અનંતભાગવૃદ્ધ સ્પષ્ટ રીતે અસંખ્ય ભાગવૃદ્ધ છે. અનંતભાગવૃદ્ધ પણ તે પ્રથમ અસંખ્યયભાગવૃદ્ધસ્થાનની અપેક્ષાએ છે, (પરંતુ) અનંતભાગવૃદ્ધ કંડક સંબંધથી ચરમ સ્થાનની અપેક્ષાએ તો અસંખ્ય ભાગાધિક જ છે. પ્રથમ અસંખ્યયભાગવૃદ્ધસ્થાનથી શરૂ કરીને પ્રથમ સંખ્યયભાગસ્થાનથી પૂર્વના અન્તરાવર્તી (અન્તરાલમાં) સર્વ પણ સ્થાનો વિશેષ તરતમ ભાવથી અસંખ્યયભાગવૃદ્ધ પ્રાપ્ત થાય છે. તેથી અનંતભાગવૃદ્ધથી અસંખ્યયભાગવૃદ્ધ અસંખ્યયગુણ છે. અંતરરહિત અનંતભાગવૃદ્ધ પણ પરંપરાગત અસંખ્યયભાગવૃદ્ધ આશ્રયીને છે. એ પ્રમાણે પરંપરોપનિધાવકાશ છે. એ પ્રમાણે આગળ પણ વિચારવું. તે અસંખ્ય ભાગવૃદ્ધસ્થાનથી સંખ્યયભાગવૃદ્ધસ્થાનો સંખ્યયગુણ છે. કેવી રીતે ? તો કહે છે. પ્રથમ સંખ્યાતભાગવૃદ્ધસ્થાન પાશ્ચાત્ય (પૂર્વના) અંતરરહિત સ્થાનને આશ્રયયીને સંખ્યયભાગવૃદ્ધ પ્રાપ્ત થાય છે. તે જો પ્રથમ પણ સંખ્યયભાગવૃદ્ધસ્થાનને વિષે સંખે ભાગવૃદ્ધ થાય. કારણકે અનંતભાગવૃદ્ધ અથવા અસંખ્યયભાગવૃદ્ધ પૂર્વ પૂર્વના અનન્તર (અંતર રહિત) સ્થાન અપેક્ષાએ છે. પ્રથમ સંખ્યયભાગ વૃદ્ધસ્થાનથી પૂર્વનું અનન્તર સ્થાનને આશ્રયીને સવિશેષ સવિશેષતર સંખ્યયભાગવૃદ્ધ જ છે. અને આ મૂળ બીજું સંખ્યયભાગાધિક સ્થાનથી પૂર્વનું કહેવું. બીજું મુખ્ય સંખ્યયભાગાધિક સ્થાન સાધિક બે સંખેભાગે કરીને અધિક જાણવું. ત્રીજું ત્રણ સાધિક સંખ્યયભાગે કરીને અધિક, ચોથું ચાર સાધિક સંખેભાગે કરીને અધિક હોય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું, જ્યાં સુધી ઉત્કૃષ્ટ સંખેય તુલ્ય વચમાં થતાં મૂળ સંખ્યયભાગવૃદ્ધસ્થાન થાય છે. અને આ અંતરાલમાં જેટલાં સ્થાનો છે તે સર્વ પણ સંખ્યયભાગવૃદ્ધ હોય છે. પરંતુ એક સ્થાન વડે ન્યૂન (ઓછું) જાણવું, કારણકે ઉત્કૃષ્ટ સંખ્યાતતમ સંખ્યયભાગવૃદ્ધસ્થાન સંખ્યયગુણ થાય છે, તે અહીં ગ્રહણ કર્યું નથી. તથા અહીં જેટલાં અસંખ્યયભાગવૃદ્ધસ્થાનો અનન્તર (પૂર્વ) કહ્યાં તેટલાં એક એક તે વિષે અન્તરાભાવિ સંખ્યયભાગવૃદ્ધાદિ સ્થાનોની વચમાં પ્રાપ્ત થાય છે. અને તે અન્તરાભાવિ મૂળ સંખ્યયભાગવૃદ્ધસ્થાનો અહીં અધિકારને ૯૮ આ સ્થાને મૂળ ૬ વૃદ્ધિની અપેક્ષા હોવાથી અન્તિમ સ્થાન એટલે છઠું અનન્તગુણવૃદ્ધિરૂપ સ્થાન જાણવું પરંતુ સર્વ અંતિમ જે અનંતભાગાધિક સ્થાન છે, તે નહીં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy