SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૧૧૫ અગ્નિપણે કાયમ રહેવાનો અથવા અગ્નિપણે રહેવાનો સતત કાળ) અનુક્રમે અસંખ્યગુણ હોય છે. તથા અનુભાગ વિષય અધ્યવસાયોના ઉપચારથી અધ્યવસાયથી થયેલ અનુભાગબંધસ્થાન અસંખ્યયગુણ છે. (અહીં અનુભાગબંધસ્થાનને કારણરૂપ ને અધ્યવસાયને કાર્યરૂપ ગણેલું છે. અન્યના અન્યોન્ય કારણ કાર્યરૂપે પણ કહી શકાય.) આનો જ વિશેષ અર્થ કહે છે. જે એક સમયમાં સૂક્ષ્મ અગ્નિકાયને વિષે પ્રવેશ કરે તે અલ્પ અને તે અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ તેથી પણ જે અગ્નિકાયપણે રહેલા તે અસંખ્યયગુણ તેથી પણ અગ્નિકાયની કાયસ્થિતિકાલ અસંખ્યયગુણ, તેથી પણ અનુભાગબંધસ્થાન અસંખ્યયગુણ હોય છે.) ઇતિ ૧૧મી યવમધ્ય પ્રરૂપણા સમાપ્ત ( - અથ ૧૨ મી ઓજોયુગ્મ પ્રરૂપણા - ) कडजुम्मा अविभागा, ठाणाणि य कंडगाणि अणुभागे । पज्जवसाणमणंतगुणाओ उपिं न अणंतगुणं ॥ ४२ ॥ कृतयुग्मा अविभागाः, स्थानानि च कण्डकान्यनुभागे । . पर्यवसानमनंतगुणादुपरि नाऽनंतगुणम् ॥ ४२ ॥ ગાથાર્થ :- આ અનુભાગ સંબંધી અવિભાગસ્થાન અને કંડકો કતયુગ્મ રાશિરૂ૫ જાણવાં, પર્યવસાનદ્વારમાં અનંતગુણવૃદ્ધિરૂપ કંડકથી ઉપર પંચવૃધ્યાત્મક સર્વ સ્થાનોને ઉલ્લંઘીને આગળ અનંતગુણવૃદ્ધિરૂપ સ્થાન પ્રાપ્ત થતું નથી. ટીકાર્થ :- હવે ઓજોયુગ્મ પ્રરૂપણા કહે છે - ત્યાં સોગ - વિષમ, અને યુગ્મ એટલે સમ સંખ્યા કહેવાય છે. અને તેની પ્રરૂપણા આ પ્રમાણે છે. અહીં વિવક્ષિત રાશિની સંખ્યા ચાર વડે ભાગે છતે જેની એક શેષ થાય છે તે પૂર્વ પરિભાષાથી કલ્યોજ કહે છે, જેમ તેર. જેને બે બાકી રહે તે દ્વાપર યુગ્મ, જેમ ૧૪. જેને ત્રણ શેષ રહે તે ત્રેતૌજ, જેમ ૧૫. જે સર્વથી પોતે નિર્લેપ થાય છે, અર્થાત્ શેષ ન વધે તે મૃતયુમ કહેવાય છે, જેમ ૧૬. ત્યાં અવિભાગ આદિ કઈ રાશિમાં હોય તે કહે છે. અનુભાગ વિષયમાં – અવિભાગથાનો (વર્ગણા સ્પર્ધક રસસ્થાન) અને કંડકો કૃતયુગ્મ રાશિ રૂપ જાણવાં. જો યુગ્મ પ્રરૂપણા કરી. | ઇતિ ૧૨મી ઓજોયુગ્મ પ્રરૂપણા સમાપ્ત. ( -: અથ ૧૩મી પર્યવસાન પ્રરૂપણા :- ) હવે પર્યવસાન દ્વાર કહે છે. અનંતગુણવૃદ્ધિરૂપ કંડકથી ઉપર પંચવૃધ્યાત્મક સર્વ સ્થાનો જઇને ફરી અનંતગુણવૃદ્ધિસ્થાન પ્રાપ્ત નથી, ષસ્થાનકની પરિસમાપ્તિ થતી હોવાથી, કારણકે તે જ ષસ્થાનકનું પર્યવસાન સર્વ અંતિમ સ્થાન છે. ઇતિ ૧૩મી પર્યવસાન પ્રરૂપણા સમાપ્ત ( -ઃ અથ ૧૪ મી અલ્પબદુત્વ પ્રરૂપણા:- ) अप्पवहुमणंतरतो, असंखगुणियाणणंतगुणमादि । तबिवरीयमियरओ, संखेज्जक्खेसु संखगुणं ॥ ४३ ॥ ૯૬ “ાવત સાવરકુમા, વૈત સિગોતર ૫ડવુ સોતસ તેગોગો નુ પત્રણે દુનિયા ' અર્થ :- ૧૪ એ દ્વાપર યુગ્મ, ૧૩ એ કલ્યોજ , તથા ૧૬ એ કુતયુગ્મ અને ૧૫ તે નિશ્ચયે ત્રેતૌજ એ પ્રમાણે સંન્નારૂપ રાશિ જાણવી. | ૪૧૬. 0૧ કલ્યોજ | દ્વાપર યુગ્મ ત્રેતજ | કૃતયુગ્મ ૯૭ અહીં તે જ અંતિમ સ્થાન એટલે અનંતગુણવૃદ્ધિ કંડકમાંનું અંતિમસ્થાન જાણવું. આ વિવલા ૬ મૂલવૃદ્ધિ અપેક્ષાએ છે. અન્યથા તો ઉત્તર વૃદ્ધિની અપેક્ષાએ તો સર્વ અંતિમસ્થાન અનંતભાગાધિક છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy