SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ કરે છે. -: અથ ત્રીજા અનુભાગબંધનું સ્વરૂપ :-: અથ અવિભાગાદિ-૧૪ અનુયોગ દ્વારોનું સ્વરૂપ : ટીકાર્ય :- તે પ્રમાણે પ્રકૃતિ અને પ્રદેશબંધ કહ્યો, હવે સ્થિતિ અનુભાગબંધની પ્રરૂપણા કરે છે. ત્યાં ઘણું કહેવા યોગ્ય છે. બહુ કહેવા યોગ્ય જ્ઞાનમાં અલ્પ કહેવા યોગ્યનું સારી રીતે જ્ઞાનના સંભવથી તેવા પ્રકારના શિષ્યની ઇચ્છાને અનુરોધ વર્ડ પ્રથમ અનુભાગબંધની પ્રરૂપણા કરે છે. . કર્મપ્રકૃતિ गहणसमयंमि जीवो, उप्पाएई गुणे सपच्चयओ । સર્જનિયાવંતનુળે, જ્ન્મસેતુ સનેનું ।। ૨૨ ।। ग्रहणसमये जीव, उत्पादयति गुणान् स्वप्रत्ययतः । सर्वजीवाऽनन्तगुणान् कर्मप्रदेशेषु सर्वेषु ।। २९ ।। ગાથાર્થ ઃ- જીવ સ્વ પ્રત્યયથી સર્વ કર્મપ્રદેશોને વિષે ગ્રહણ સમયે સર્વ જીવથી અનંતગુણ રસાવિભાગને ઉત્પન્ન ત્યાં ૧૪ અનુયોગદ્વારો છે. (૧) અવિભાગ પ્રરૂપણા (૨) વર્ગના પ્રરૂપણા (૩) સ્પર્ધક પ્રરૂપણા (૪) અંતર પ્રરૂપણા (પ) સ્થાન પ્રરૂપણા (૬) કંડક પ્રરૂપણા (૭) ષસ્થાનક પ્રરૂપણા (૮) અધતનસ્થાન પ્રરૂપણા (૯) વૃદ્ધિ પ્રરૂપણા (૧૦) સમય પ્રરૂપણા (૧૧) યવમધ્ય પ્રરૂપણા (૧૨) ઓજોયુગ્મ પ્રરૂપણા (૧૩) પર્યવસાન પ્રરૂપણા (૧૪) અલ્પબહત્વ પ્રરૂપણા. -: અથ ૧ લી અવિભાગ પ્રરૂપણા : ૮૯ ત્યાં પ્રથમ અવિભાગ પ્રરૂપણા કરતાં કહે છે અહીં અનુભાગનો હેતુ કાષાયિક અધ્યવસાય છે. વિાનુમાન સાવો ફ'' ત્તિ વનાત્ અને તે બે પ્રકારે છે. - શુભ અને અશુભ. બંને પણ પ્રત્યેકના અસંખ્યયલોકાકાશપ્રદેશ પ્રમાણે છે, પણ ફક્ત શુભ વિશેષ અધિક છે, પગથિયા ચઢવામાં અને ઊતરવામાં તુલ્ય છે, તેથી બંનેમાં સરખાપણું છે, છતાં જે અધ્યવસાયને વિષે વર્તમાન શ્રેણિએ ચઢે તે પડવાનો નથી તેથી શુભમાં અશુભ કરતાં વિશેષ અધિકપણું સંભવે છે. એ પ્રમાણે સ્વપ્રત્યય એટલે કે પોતાના આત્માની સાથે સંબંધવાળા અનુભાગબંધમાં કારણભૂત કોઇ એક શુભ અથવા અશુભ અધ્યવસાય વડે એ પ્રમાણે અર્થ છે. ૮૮ જે અધ્યવસાયમાં કષાય કારણભૂત છે તે કાષાયિક અધ્યવસાય. અહીં અશુભ અધ્યવસાય તો પ્રગટ રીતે કષાય જન્મ છે. ને શુભ અધ્યવસાય એ જોકે કષાયની હીનતાથી છે, તો પણ કષાયાનુગત હોવાથી કાષાયિક છે. પુનઃ અકાષાયિક અધ્યવસાયો રસનું કારણ નહીં હોવાથી અત્રે તેની અવિવક્ષા છે. અહીં કષાય શબ્દથી કષાયનો ઉદય જાણવો પરંતુ સત્તા નહીં. Jain Education International ૮૯ અશુભ કરતાં શુભ અધ્યવસાય કઇ રીતે વધારે હોય છે ? તે બતાવે છે. ઉપશમશ્રેણિમાં ૧૦મા ગુણસ્થાનના અંત્ય સમયે જે અધ્યવસાયે પુન્યપ્રકૃતિઓનો સ્વભૂમિકા પ્રમાણે ઉત્કૃષ્ટ અને પાપપ્રકૃતિઓનો જઘન્ય રસ બંધાય છે. તે અધ્યવસાયથી શરૂ કરી પ્રથમ ગુણસ્થાનકે જે અધ્યવસાયે પાપપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ બંધ પુન્યપ્રકૃતિઓનો જન્મ રસ બંધાય છે તે ઉત્કૃષ્ટ અય્યવસાય સુધીના દરેક અધ્યવસાોને ક્રમપૂર્વક સ્થાપવા. ૧૦માં ગુણસ્થાનકથી ક્રમપૂર્વક પડી રહેલા ગુણસ્થાનક સુધી આવતાં ક્રમશઃ સ્થાપેલ બધા અધ્યવસાયોને જેમ સ્પર્શે છે તેમ પહેલેથી ચડી દશમા સુધી જતાં બધા અધ્યવસાયોને સ્પર્શે છે. અધ્યવસાયો તેના તે જ છે. પરંતુ જ્યારે આત્મા પડતો હોય છે ત્યારે કષાયોનું બળ વધતું જતું હોવાથી તે સંશ્ર્લિષ્ટ પરિણામી કહેવાય છે, અને તે વખતે પુન્યપ્રકૃતિઓનો રસમાં હાનિ થતી જાય છે અને પાપપ્રકૃતિઓના રસમાં વૃદ્ધિ થતી જાય છે. તે જ આત્મા પહેલેથી કર્મપૂર્વક ગડતો જતો હોય ત્યારે કયાોનું બળ મટતું જતું હોવાથી તે વિશુદ્ધિ પરિણાથી કહેવાય છે અને તે સમયે પાપકૃતિઓના રસમાં હાનિ અને પુન્યપ્રકૃતિઓના રસમાં વૃદ્ધિ થતી જાય છે . આ રીતે પડતાં અને ચડતાં અધ્યવસાયની સંખ્યા સમાન છે જેમ માળ ઉપરથી ઊતરતાં જેટલાં પગથિયા હોય છે તેટલાં જ ચડતાં હોય છે. તેમ અહીં પણ સંકિલષ્ટ પરિણામી આત્માના જેટલાં અસુભ અધ્યવસાયો હોય છે. તેટલાં જ વિશુદ્ધ પરિણામી આત્માના શુભ અધ્યવસાયો હોય છે. પ્રશ્ન :- એક જ પરિણામ શુભ અને અશુભ બંને પ્રકારે શી રીતે હોઇ શકે ? જવાબ :- એક જ પરિણામ શુભ અને અશુભ બંને રીતે હોઇ શકે છે. શુભાશુભપણું સાપેક્ષ છે, જ્યારે પડતો હોય ત્યારે તે સર્વ અશુભ કહેવાય છે અને ચઢતો હોય ત્યારે તે જ સઘળાં શુભ કહેવાય છે. જેમ ગિરિ પર ચડતાંના અધ્યવસાય ચડતાં અને ઊતરતાના અધ્યવસાય ઊતરતા હોય છે. તેમ અહીં પણ જાણવું. ફક્ત ક્ષપકશ્રેણિના અધ્યવસાયો અધિક છે કારણકે અધ્યવસાયોમાં વર્તમાન ક્ષેપક આત્મા ક્ષપકશ્રેણિ પર ચડે છે ત્યાંથી પડતો નથી તેથી અશુભ અધ્યવસાયોની સંખ્યાથી શુભ અધ્યવસાયની સંખ્યા વધારે છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy