SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ કર્મપ્રકૃતિ જે ભાગ મલ્યા તે દલિયાના પાંચ ભાગ કરીને શુક્લ આદિ અવાન્તર ભેદને આપવા જોઇએ. એ પ્રમાણે ગંધ-રસ-સ્પર્શનો પણ જે પ્રમાણે ભેદ હોય તે પ્રમાણે ભાગી ભાગીને આપવા જોઇએ. તે પ્રમાણે સંઘાત-શરીરને પ્રત્યેકને જે ભાગ દલિયા મળ્યા તેના ત્રણ અથવા ચાર ભાગ કરીને આપવા જોઇએ. ત્યાં ઔદારિક-તૈજસ-કાશ્મણ અથવા વૈક્રિય-તૈજસ-કાશ્મણ એકી સાથે ત્રણ શરીર કે સંઘાતન બાંધે તેથી ત્રણ ભાગ કરાય, વૈક્રિય-આહારક-તૈજસ-કાશ્મણ રૂપ ચાર શરીર કે સંઘાતન બાંધે તેથી ચાર ભાગ કરાય. सत्तेक्कारविगप्पा, बंधणणामाणं मूलपगईणं । ઉત્તરસાપન ય, સત્તા વિસો {િ | ૨૮ છે. सप्तेकादशविकल्पाः, बंधननाम्नां मूलप्रकृतिनाम् । उत्तरखप्रकृतीनां चा - ऽल्पबहुत्वाद् विशेष आसाम् ॥ २८ ॥ ગાથાર્થ - બંધન નામકર્મની મુલપ્રકૃતિના ૭ અથવા ૧૧ વિકલ્પ કરીએ, અને હવે એ મૂલપ્રકૃતિઓમાં, આપ આપણી ઉત્તર પ્રવૃતિઓના અલ્પબદુત્વનો વિશેષ કહેવાય છે. ટીકાર્થ :- બંધન નામને ભાગ મળેલ જે દલિયા તેના સાત વિકલ્પો છે. :- ૭ ભાગ અથવા ૧૧ ભાગ કરાય છે. ત્યાં (૧) ઔદારિક-ઔદારિક (૨) ઔદારિક-તૈજસ (૩) દારિક-કાશ્મણ (૪) દારિક-તૈજસ-કાર્પણ (૫) તૈજસ-તૈજસ (૬) તૈજસ-કાશ્મણ (૭) કાર્મણ-કાશ્મણ અથવા વૈક્રિયચતુષ્ક તૈજસત્રિક રૂ૫ ૭ ભાગ કરાય છે. વૈક્રિયચતુષ્ક, આહારકચતુષ્ક, તેજસત્રિક લક્ષણવાલા ૧૧ બંધનો બાંધે છે. અને બાકીની પ્રકૃતિઓ એકી સાથે અવાન્તર બે-ત્રણ આદી ભેદના બંઘનો અભાવ હોવાથી ભાગે દલિયા જે આવે તેનો ભાગ પડે નહીં, પરંતુ તે પરિપૂર્ણને પામે છે. અહીં એક અધ્યવસાયથી ગ્રહણ કરેલ કર્મદલિકના પરમાણુઓના વિભાગ કરીને મૂલપ્રકૃતિ અને ઉત્તરપ્રકૃતિને આપવા, ત્યાં જધન્યથી અથવા ઉત્કૃષ્ટથી કઇ પ્રકૃતિને કેટલો ભાગ આવે ? તે વિશેષ જણાવવાની ઇચ્છાવાળા કહે છે. - આ મૂલપ્રકૃતિ અને ઉત્તરપ્રકૃતિઓના પરસ્પર ભાગનું વિશેષ અલ્પબદુત્વ અન્ય ગ્રંથમાંથી જાણવું. ત્યાં મૂલપ્રકૃતિઓનું અલ્પબદુત્વ બતાવે છે. કર્મની સ્થિતિ અનુસાર ભાગ પ્રાપ્ત થાય છે, જેની મોટી સ્થિતિ તેનો મોટો ભાગ અને જેની નાની સ્થિતિ તેને થોડો ભાગ પ્રાપ્ત થાય છે. તેથી આયુષ્યનો ભાગ સર્વથી અલ્પ છે, કારણકે તેની ઉત્કૃષ્ટથી પણ ૩૩ સાગરોપમ માત્ર હોવાથી બીજાં સર્વ કર્મોથી અલ્પ સ્થિતિ જ છે. તેથી નામ-ગોત્રકર્મનો ભાગ અધિક છે, કારણકે એ બે કર્મની સ્થિતિ ૨૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે, ને સ્વસ્થાને પરસ્પર તુલ્ય સ્થિતિ છે. તેથી પણ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, - ને અંતરાયકર્મનો ભાગ અધિક છે, કારણકે તે ત્રણે કર્મની સ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમ છે, ને પરસ્પર તુલ્ય સ્થિતિ છે. તેથી પણ મોહનીયકર્મની સ્થિતિ અધિક છે, કારણકે તેની સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. વેદનીયકર્મની સ્થિતિ જો કે જ્ઞાનાવરણાદિ કર્મ સરખી છે, તો પણ તે વેદનીયકર્મનો ભાગ સર્વ કર્મથી અધિક છે, કારણકે વેદનીયકર્મ અતિસ્પષ્ટ રીતે પોતાનું સુખ-દુઃખ બતાવે છે. મૂલપ્રકૃતિઓનું અલ્પબદુત્વ કહ્યું. હવે પોતપોતાની ઉત્તરપ્રકૃતિઓને જઘન્ય અને ઉત્કૃષ્ટથી પ્રદેશાગ્રનું અલ્પબદુત્વ કહેવાય છે. - -: અથ ઉત્કૃષ્ટપદે પ્રદેશાગ્રાલ્પબદુત્વ :-). ત્યાં ઉત્કૃષ્ટપદે કેવલજ્ઞાનાવરણનો પ્રદેશસમૂહ સર્વથી અલ્પ, તેથી મન:પર્યાયજ્ઞાનાવરણનો અનંતગુણ, તેથી અવધિજ્ઞાનાવરણનો વિશેષાધિક, તેથી શ્રુતજ્ઞાનાવરણનો વિશેષાધિક, તેથી મતિજ્ઞાનાવરણનો વિશેષાધિક છે. તથા દર્શનાવરણને વિષે ઉત્કૃષ્ટપદે પ્રચલાનો પ્રદેશસમૂહ સર્વથી અલા, તેથી નિદ્રાનો વિશેષાધિક, તેથી પણ પ્રચલા-પ્રચલાનો વિશેષાધિક, તેથી પણ નિદ્રા-નિદ્રાનો વિશેષાધિક, તેથી થીણદ્ધિનો વિશેષાધિક, તેથી કેવલદર્શનારણનો વિશેષાધિક, તેથી અવધિદર્શનાવરણનો અનંતગુણ, તેથી અચક્ષુદર્શનાવરણનો વિશેષાધિક, તેથી પણ ચક્ષુદર્શનાવરણનો વિશેષાધિક છે. તથા અસતાવેદનીયનો ઉત્કૃષ્ટપદે પ્રદેશસમૂહ સર્વથી અલ્પ, તેથી સાતવેદનીયનો વિશેષાધિક છે. તથા મોહનીયને વિષે ઉત્કૃષ્ટપદે અપ્રત્યાખ્યાનાવરણ - માનનો પ્રદેશસમૂહ સર્વથી અલ્પ, તેથી અપ્રત્યાખ્યાનાવરણ-ક્રોધનો વિશેષાધિક, તેથી અપ્રત્યાખ્યાનાવરણ-માયાનો વિ૦ તેથી અપ્રત્યાખ્યાનાવરણ-લોભનો વિ4, તેથી પ્રત્યાખ્યાનાવરણ-માનનો વિ૦, તેથી પ્રત્યાખ્યાનાવરણ-ક્રોધનો વિઇ, તેથી પ્રત્યાખ્યાનાવરણ-માયાનો વિઇ, તેથી પ્રત્યાખ્યાનાવરણ-લોભનો વિડ, તેથી અનંતાનુબંધિ-માનનો વિ૦, તેથી અનંતાનુબંધિ-ક્રોધનો વિઇ, તેથી અનંતાનુબંધિ - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy