SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૭૯ માયાનો વિ), તેથી અનંતાનુબંધિ-લોભનો વિછે, તેથી મિથ્યાત્વનો વિ., તેથી જુગુપ્સાનો અનંતગુણ, તેથી ભયનો, વિ૦, તેથી હાસ્ય-શોકનો વિ૦, સ્વસ્થાને બંને પણ પરસ્પર તુલ્ય, તેથી રતિ-અરતિનો વિઇ, સ્વસ્થાને તે બંને તુલ્ય, તેથી સ્ત્રીવેદ-નપુંસકવેદનો વિO, સ્વસ્થાને તે બંને તુલ્ય, તેથી સંજ્વલન-ક્રોધનો વિ૦, તેથી સંજ્વલન-માનનો વિ૦. તેથી પુરુષવેદનો વિઇ, તેથી સંજ્વલન-માયાનો વિઇ, તેથી સંજ્વલન-લોભનો અસંખ્ય ગુણ છે. તથા ચારે પણ આયુષ્યનો ઉત્કૃષ્ટપદે પ્રદેશસમૂહ પરસ્પર તુલ્ય છે. નામકર્મને વિષે ઉત્કૃષ્ટપદે પ્રદેશસમૂહ ગતિને વિષે દેવ-નરકગતિનો સર્વથી અલ્પ, તેથી મનુષ્યગતિનો વિશેષાધિક, તેથી તિર્યંચગતિનો વિશેષાધિક છે. તથા જાતિને વિષે બેઇન્દ્રિયાદિ-૪ જાતિનો ઉત્કૃષ્ટપદે પ્રદેશસમૂહ સર્વથી અલ્પ, સ્વસ્થાને તેઓનો પરસ્પર તુલ્ય, તેથી એકેન્દ્રિયજાતિનો વિશેષાધિક છે. તથા શરીરનામને વિષે આહારકશરીરનો ઉત્કૃષ્ટપદે પ્રદેશસમૂહ સર્વથી અલ્પ, તેથી વક્રિયનો વિશેષાધિક, તેથી ઔદારિકનો વિ., તેથી તૈજસનો વિ., તેથી પણ કામણનામનો વિશેષાધિક છે. એ પ્રમાણે સંઘાતનનામને વિષે પણ જાણવું. તથા બંધનનામને વિષે આહારક-આહારક બંધનનો ઉત્કૃષ્ટપદે પ્રદેશસમૂહ સર્વથી અલ્પ, તેથી આહારક-તેજસ બંધનનો વિશેષાધિક, તેથી પણ આહારક કાર્પણ બંધનનો વિ, તેથી આહારક-તેજસકાર્પણ બંધનનો વિ., તેથી વૈક્રિય-વૈક્રિય બંધનનો વિ., તેથી વક્રિય-તેજસબંધનનો વિ., તેથી વૈક્રિય-કાર્પણ બંધનનો વિ, તેથી વક્રિય-તૈજસકાર્પણ બંધનનો વિ., તેથી ઔદારિક-દારિક બંધનનો વિ., તેથી ઔદારિક-તૈજસબંધનનો વિ., તેથી દારિક-કાશ્મણ બંધનનો વિ., તેથી પણ દારિક-તૈજસકાર્પણ બંધનનો વિ., તેથી તૈજસ-તેજસ બંધનનો વિ., તેથી તૈજસ-કાશ્મણ બંધનનો વિ., તેથી કાર્પણ-કાર્પણ બંધનનો વિશેષાધિક છે. તથા સંસ્થાનનામને વિષે મધ્યમ ૪ સંસ્થાનનો ઉત્કૃષ્ટપદે પ્રદેશસમૃહ સર્વથી અલ્પ, સ્વસ્થાને પરસ્પર તેઓ તુલ્ય, તેથી સમચતુરસનો વિશેષાધિક, તેથી પણ હુંડકનો વિશેષાધિક છે. તથા અંગોપાંગનામને વિષે ઉત્કૃષ્ટપદે પ્રદેશસમૂહ આહારક અંગોપાંગનો સર્વથી અલ્પ, તેથી વક્રિય અંગોપાંગનો વિશેષાધિક, તેથી પણ દારિક અંગોપાંગનો વિશેષાધિક છે. તથા સંઘયણનામને વિષે ઉત્કૃષ્ટપદે પ્રદેશસમૂહ પ્રથમના પાંચ સંઘયણનો સર્વથી અલ્પ, સ્વસ્થાને તેઓ પરસ્પર તુલ્ય, તેથી સેવાર્ત સંઘયણનો વિશેષાધિક છે. તથા વર્ણનામને વિષે ઉત્કૃષ્ટપદે પ્રદેશસમૂહ કૃષ્ણવર્ણનો સર્વથી અલ્પ, તેથી નીલવર્ણનો વિશેષાધિક, તેથી લોહિત(લાલ) વર્ણનો વિતેથી હારિદ્ર (પીળો) વર્ણનો વિ., અને તેથી શ્વેત (સફેદ) વર્ણનો વિશેષાધિક છે. તથા ગંધનામને વિષે સરભિગંધનો સર્વથી અલ્પ, તેથી દુરભિગંધનો વિશેષાધિક છે. તથા રસનામને વિષે કટુરસનો સર્વથી અલ્પ, તેથી તિક્તરસનો વિશેષાધિક, તેથી કષાયરસનો વિ., તેથી આશ્લરસનો વિ., અને તેથી મધુરરસનો વિશેષાધિક છે. તથા સ્પર્શનામને વિષે ઉત્કૃષ્ટપદે પ્રદેશસમૂહ કર્કશ-ગુરુનો સર્વથી અલ્પ, સ્વસ્થાને બંને પણ પરસ્પર તુલ્ય, તેથી મૃદુ-લઘુ સ્પર્શનો વિશેષાધિક, સ્વસ્થાને બંને પણ પરસ્પર તુલ્ય, તેથી રુક્ષ-શીત સ્પર્શનો વિશેષાધિક, સ્વસ્થાને બંને પણ પરસ્પર તુલ્ય તેથી સ્નિગ્ધ-ઉષ્ણસ્પર્શનો વિશેષાધિક, સ્વસ્થાને બન્ને પણ પરસ્પર તુલ્ય છે. તથા આનુપૂર્વનામને વિષે ઉત્કૃષ્ટપદે પ્રદેશસમૂહ દેવાનુપૂર્વી-નરકાનુપૂર્વીનો સર્વથી અલ્પ, સ્વસ્થાને બંને પણ પરસ્પર તુલ્ય, તેથી મનુષ્યાનુપૂર્વીનો વિશેષાધિક, તેથી તિર્યંચાનુપૂર્વીનો વિશેષાધિક છે. તથા ઉત્કૃષ્ટપદે ત્રસ-નામનો સર્વથી અલ્પ, તેથી સ્થાવર નામનો વિશેષાધિક છે. તથા પર્યાપ્ત નામનો પ્રદેશસમૂહ સર્વથી અલ્પ, તેથી અપર્યાપ્ત નામનો વિશેષાધિક છે. એ પ્રમાણે સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, સુભગ-દુર્ભગ, આદય-અનાદેય, સૂક્ષ્મ-બાદર, પ્રત્યેક-સાધારણ (એ છ યુગલને) વિષે જાણવું. તથા અયશકીર્તિ નામનો ઉત્કૃષ્ટપદે પ્રદેશસમૂહ *સર્વથી અલ્પ, તેથી યશકીર્તિનો સંખ્યયગુણ છે. બાકીની આતમ-ઉદ્યોત, શુભ-અશુભ વિહાયોગતિ, સુસ્વર-દુસ્વરને વિષે ઉત્કૃષ્ટપદે પ્રદેશસમૂહ પરસ્પર તુલ્ય છે. નિર્માણ - ૮૧ અહીં યુક્તિથી વિચારતાં સંs ગુ. સંભવે છે. ચૂર્ણિમાં પણ સંત ગુરુ કહેલ છે. તેથી અસં, ગુઅશુદ્ધ લાગે છે. છતાં તત્ત્વ કેવલિગમ. ૮૨ ચાર આયુષ્યમાં પ્રદેશાગ્ર પરસ્પર તુલ્ય હોતે છતે પણ સ્થિતિની વિષમતા વિરોધવળી સંભવે નહીં, કારણકે સ્થિતિની વિષમતાનું ફળ ઉદય અવસરે છે, તે એવી રીતે એક જ ઉત્કૃષ્ટ યોગે ગ્રહીત દેવ નરકાયુના પુદગલો ઉદય અવસરે નિષેક રચનામાં શેષ બે આયુ થી અલ્પ હોય ને નર તિયાંચાયુષના પુદ્ગલો નિષેક રચનામાં ઘણાં વધારે હોય. એ રીતે તુલ્ય પુદ્ગલોમાં સ્થિતિની વિષમતાનો વિરોધ મટે છે. પુનઃસ્થિતિ અને સ્નેહને આ સ્થાનને અનુસરે એવો અત્યંત સંબંધ નથી. તથા પંચમ કર્મગ્રંથની ટીકામાં જઘન્યપદ વક્તવ્યતા પ્રમાણે અત્રે પણ અલ્પબહુત દર્શાવ્યું છે. ૮૩ પ્રકૃતિ વિશેષના હેતુથી દુરભિ કરતાં સુરભિ વિશેષાધિક જણાય છે. અને તે પ્રમાણે કર્મપ્રકૃતિ ચર્ષિ વગેરેમાં જણાવેલ છે. છતાં ઘણી ટીકાઓમાં સુરભિ કરતાં દુરભિ વિશેષાધિક બતાવેલી છે. તત્ત્વ કેવલિ ગય. ૮૪ આ પ્રમાણે અલ્પબદુત્વ કર્મપ્રકૃતિની અપેક્ષાએ સમજવું. જો કે ૫૦ દેવેન્દ્રસૂરિ મસાના પાંચમા કર્મથની સ્વોપા ટીકામાં કર્મપ્રકૃતિ ટીકાના આધારે બતાવેલ અલ્પબદુત્વમાં વિશેષાધિક બતાવ્યું છે. તેવી રીતે શુભ વિહાયોગતિ કરતાં અશુભ વિહાયોગતિનો અને સુસ્વર કરતાં દુઃસ્વર નામનો પણ વિશેષાધિક બતાવેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy