SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૫ | અંતo-૫ દર્શના૪ ૭૩| અધુવબંધીની-૭૩ | અધૂવબંધપણાથી અધવબંધપણાથી – ૧૪૬ કુલ ૩૩૪ નોંધ:- ઉપર - સ્વ - સ્વ બંધારંભેના ભાગ લખ્યા છે. એટલે કે પડતાંની અપેક્ષાએ છે. (ચઢતાં જ્યાં વિચ્છેદ થયો હોય ત્યાં પડીને આવતાં નવો બંધ શરૂ થાય) A = ઉપરથી પડીને તે તે ગુણસ્થાનકે આવ્યા પહેલાં કાળ કરી દેવલોક જતાં ૪થા ગુણસ્થાનકે સાદિ થાય. मोहे दुहा चउद्धा य, पंचहा वा वि बज्झमाणीणं । वेयणियाउयगोएस, बज्झमाणीण भागो सिं ॥ २६ ॥ मोहे द्विधा चतुर्धा च, पञ्चधा वाऽपि बध्यमानानाम् । वेदनीयायु गोत्रेसु, बध्यमानीनां भागोऽमीषाम् ॥ २६ ॥ ગાથાર્થ :- મોહનીયકર્મને વિષે શેષ ભૂલ ભાગના બે-ચારને પાંચ ભાગ બંધાતી પ્રકૃતિને મળે છે. અને વેદનીય, આયુ, ને ગોત્ર એ ત્રણ કર્મનો પ્રત્યેકનો સમગ્ર મૂલ ભાગ બંધાતી એકેક પ્રકૃતિને પ્રાપ્ત થાય છે. ટીકાર્થ - મોહનીયકર્મમાં સ્થિતિ અનુસારથી જે મૂલભાગ આવે તેનો સર્વઘાતિ યોગ્ય અનંતમો ભાગ છે, તેના ઘગ કરાય છે. - તેનો અર્થો દર્શનમોહનીય અને અ ચારિત્રમોહનીયને જાય છે. ત્યાં દર્શનમોહનીય સંબંધી સમગ્ર પણ અર્ધો ભાગ મિથ્યાત્વમોહનીયને અપાય છે. ચારિત્રમોહનીય સંબંધી જે અર્ધભાગ છે, તેના ૧૨ ભાગ કરીને પ્રથમ ૧૨ કષાયને અપાય છે. પછી બાકી રહેલા એટલે કે અનંતભાગ સિવાયના દલિયાને બે ભાગ કરી બંધાતી કષાય - નોકષાય પ્રકૃતિઓને અપાય છે. ત્યાં એક ભાગ કષાયમોહનીયનો અને એક નોકષાયમોહનીયનો. ત્યાં કષાયમોહનીય ભાગના વળી ચાર ભાગ કરાય છે, અને તે ચારે ભાગ પણ સંજ્વલન ક્રોધાદિને અપાય છે. નોકષાયમોહનીયના પાંચ ભાગ કરાય છે, અને તે પાંચ ભાગ પણ યથાક્રમ ત્રણ વેદમાંથી - ગમે તે એક વેદ બંધાય તેને, હાસ્ય-રતિ, અરતિ-શોક બંને યુગલમાંથી એક યુગલ અને ભય-જુગુપ્સાને અપાય છે, બીજી પ્રકૃતિઓનો બંધ નહીં હોવાથી અન્ય પ્રકૃતિને ભાગ ન હોય. નોકષાયની મધ્યમાં જે કહ્યા છે તેટલાંનો જ એકી સાથે બંધનો સંભવ છે. તથા વેદનીય, આયુષ્ય, ગોત્રને વિષે જે મૂલભાગ આવે તેના પોત પોતાની એક પ્રકૃતિ બંધાતી હોય તેને અપાય છે. કારણકે બે આદિ આ પ્રવૃતિઓ એકી સાથે બંધ થતો નથી. पिंडपगतीसु वझंतिगाण, वण्णरसगंधफासाणं । सव्वासिं संघाए, तणुम्मि य तिगे चउक्के वा ॥ २७ ॥ पिंडप्रकृतिषु बध्यमानानाम् , वर्णरसगंधस्पर्शानाम् । સતાં સંધાતને, તની ર ત્રિવે વા વા . ૨૭ | ગાથાર્થ :- નામકર્મને પ્રાપ્ત થયેલો મૂલ ભાગ પિંડ પ્રકતિઓમાં બંધાતી પ્રકતિને, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ ચારમાં સર્વ ઉત્તર ભેદને અને સંઘાત તથા શરીરને ત્રણ અથવા ચાર ભાગે વહેંચાય છે. * ટીકાર્થ :- અગદિત = પોતાના અર્થને ત્યજે નહીં તેવી શક્તિથી લક્ષણા પિંડ પ્રકૃતિઓ નામ પ્રવૃતિઓ છે. જે ચર્ણિકારે કહ્યું છે. . વિંડપનામો ગામપર્ફો '' ત્તિ તેઓની મધ્યમાં બંધાતી, બીજી ગતિ, જાતિ, શરીર, બંધન, સંઘાતન, સંઘયણ, સંસ્થાન, અંગોપાંગ, આનુપૂર્વી, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છવાસ, નિર્માણ, તીર્થંકરનામ, આતપ, ઉદ્યોત, પ્રશસ્ત કે અપ્રશસ્તવિહાયોગતિ, ત્ર-સ્થાવર, બાદર-સૂક્ષ્મ, પર્યાપ્ત-અપર્યાપ્ત, પ્રત્યેક-સાધારણ, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, સુસ્વર-દુઃસ્વર, સુભગ-દુર્ભગ, આદય-અનોદય, અને યશ-કીર્તિ-અયશ-કીર્તિ બંનેમાંથી એકને મૂલભાગ આપવો જોઇએ. અને આ જે વિશેષ છે તે કહે છે - વર્ણ, ગંધ, રસ, સ્પર્શનો પ્રત્યેકને જે ભાગ દલિયા આવે તે સર્વના તેના અવાત્તર પ્રવૃતિઓને ભાગી-ભાગીને આપવા જોઇએ. વર્ણ નામને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy