SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ સ્કન્ધરૂપ બીજી બાદરનિગોદ દ્રવ્યવર્ગણા એ પ્રમાણે એક એક પરમાણુ અધિક સ્કન્ધરૂ૫ વર્ગણા ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ થાય. જઘન્યથી ઉત્કૃષ્ટ સૂક્ષ્મક્ષેત્ર પલ્યોપમનો અસંખ્ય ભાગ લક્ષણથી ગુણાકાર વડે અસંખ્યયગુણા છે. અહીં રીત - પ્રત્યેક શરીરી દ્રવ્યવર્ગણાની જેમ જ વિચારવું. (૨૩) તૃતીય ધ્રુવશૂન્ય વર્ગણા - તેથી એક પરમાણુ અધિક સ્કલ્પરૂપ જઘન્ય ત્રીજી ધૃવશુન્યવર્ગણા. તેથી એક એક પરમાણુ અધિક સ્કલ્પરૂ૫ વર્ગણા ત્યાં સુધી કહેવી. જ્યાં સુધી ઉત્કૃષ્ટ ત્રીજી ધ્રુવશુન્યવર્ગણા થાય. જઘન્યથી ઉત્કૃષ્ટ અસંખ્યયગુણા હોય છે. ગુણાકાર અંગુલમાત્ર ક્ષેત્ર પ્રમાણ આવલિકા અસંખ્યયતમ ભાગમાં રહેલ સમય પ્રમાણમાં વર્ગમૂલ ગ્રહણ કરવું, અને જે છેલ્લા વર્ગમૂલના અસંખ્યયતમ ભાગને વિષે જેટલાં આકાશપ્રદેશ તેટલાં પ્રમાણ જાણવું. (૨૪) સુક્ષ્મ નિગોદ વર્ગણા :- તેથી એક પરમાણુ અધિક સ્કલ્પરૂપ વર્ગણા જઘન્ય સૂક્ષ્મ નિગોદ વર્ગણા અને તે ઔદારિક શરીરથી આશ્રિત વિશ્રસા પરિણામથી (સ્વ સ્વભાવથી) ભેગા થયેલ પુદ્ગલરૂ૫ બાદરનિગોદ વર્ગણાની જેમ જાણવું જ્યાં સુધી ઉત્કૃષ્ટ થાય, જઘન્યથી ઉત્કૃષ્ટ અસંખ્યયગુણ છે અને ગુણાકાર આવલિકાના અસંખ્યયતમ ભાગમાં જેટલાં સમયો છે તેટલાં પ્રમાણ જાણવું. કારણ કે સૂક્ષ્મનિગોદ જીવોના જઘન્ય યોગસ્થાનથી ઉત્કૃષ્ટ યોગસ્થાન આવલિકાના અસંખ્યયભાગ ગુણિત જ પ્રાપ્ત થાય છે. અધિક નહીં. અને યોગને આધીન કર્મપ્રદેશ ભેગા થાય. અને તેને આધીન સૂક્ષ્મનિગોદ વર્ગણા હોય છે. (૨૫) તુરીય (ચોથી) ધ્રુવશુન્યવર્ગણા - તેથી એક પરમાણુ અધિક સ્કન્વરૂ૫ વર્ગણા જઘન્ય - ચોથી ધ્રુવશુન્યવર્ગણા. તેથી એક એક પરમાણુ અધિક સ્કલ્પરૂપ ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ ચોથી ધ્રુવશુન્યવર્ગણા થાય. જઘન્યથી ઉત્કૃષ્ટ અસંખ્યયગુણ હોય છે. અને ગુણાકાર પ્રતરના અસંખ્યયભાગવર્તિ અસંખ્યયશ્રેણિગત આકાશ-પ્રદેશ રાશિપ્રમાણ જાણવો. (૨૬) મહાસ્કન્ધ વર્ગણા:- તેથી એક પરમાણુ અધિક વર્ગણા જઘન્ય મહાસ્કન્ધવર્ગણા તે છે કે જે પુદ્ગલ સ્કંધો વિશ્રસા પરિણામથી (સ્વ સ્વભાવથી) ટંક (સુદ્રગિરિ) કૂટ (શીખર) પર્વત (બૃહગિરિ) આદિને આશ્રિત રહેલા છે. તેથી બે પરમાણુ અધિક સ્કલ્પરૂપ બીજી મહાસ્કન્ધવર્ગણા. એ પ્રમાણે એક એક પરમાણુ અધિક સ્કન્વરૂપ મહાસ્કન્ધવર્ગણા ત્યાં સુધી કહેવી જ્યાં સુધી “ઉત્કૃષ્ટ માસ્કન્ધ વર્ગણા થાય. જઘન્યથી ઉત્કૃષ્ટ અસંખ્ય ગુણ છે. અને ગુણાકાર પલ્યોપમનો અસંખ્ય ભાગ લક્ષણ જાણવું. અને આ માસ્કન્ધવર્ગણા ત્રસકાય વધારે હોય તો સૌથી ઓછી અને (ત્રસકાય) ઓછી હોય તો વધારે પ્રાપ્ત થાય છે એ પ્રમાણે આ વસ્તુ સ્વભાવ જ છે તે શતકબૃહત્ ચૂર્ણમાં કહ્યું છે કે : "महखंधवम्गणा टंककूड तह पवायाइठाणेसु । जे पोग्गला समसिया, महखंधा ते उ बुच्चंति ॥ १ ॥ तत्य तसकायरासी, जम्मि य कालम्मि होंति बहुगो अ । महखंधवग्गणाओ, तम्मि य काले भवे थोवा ॥२।। जं पुण होइ अ काले, रासी तसकाइयाण थोवो उ । महखंधवम्गणाओ, तहिं काले होति बहुगाओ ॥३॥" (૧) મહાત્કંધની વર્ગણાઓ :- ટંક-કુડ-પર્વત આદિ સ્થાનોને વિષે જે યુગલો ભેગા થાય. તેટલી મહારૂંધવર્ગણા કહે છે. (૨-૩) ત્યાં જે કાલે ત્રસકાય વધારે હોય તો તે કાલે મહારૂંધવર્ગણાઓ ઓછી હોય છે. અને જે કાલે ત્રસકાય થોડા હોય તો તે કાલે મહારૂંધવર્ગણા વધારે હોય છે. ૫૭ બાદરનિગોદ પ્રાયોગ્ય જઘન્ય યોગસ્થાનથી બાદરનિગોદ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ યોગસ્થાન સુક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગના ગુણાકાર જેટલું છે તેથી જઘન્ય શરીર નામકર્મ પ્રદેશરાશિથી ઉત્કૃષ્ટ શરીર નામકર્મ પ્રદેશરાશિ સૂક્ષ્મક્ષેત્ર પલ્યોપમાસંપેય ભાગ ગુણાકાર જેટલી જ છે. પરંતુ વિશેષ એ છે કે પ્રત્યેક શરીરી પ્રાયોગ્ય યોગસ્થાનોથી બાદરનિગોદ પ્રાયોગ્ય યોગસ્થાનો અલ્પ હોવાથી પ્રત્યેક શરીરી પ્રાયોગ્ય ગુણકરાશિથી બાદરનિગોદ પ્રાયોગ્ય ગુણકરાશિ પણ અલ્પ જાણવો. ૫૮ આ વર્ગશાથી પૂર્વની પ્રત્યેક શરીરી વિગેરે વર્ગણાઓ જે દારિક નામકર્માદિ કર્મસ્કંધને આશ્રિત છે. તે કર્મસ્કન્ધોની અપેક્ષાએ આ વર્ગણા કટ-પર્વતાદિ જેવા મોટા સ્કન્ધોને આશ્રિત હોવાથી આ વર્ગણાનું નામ મહાઅર્ધવર્ગણા અથવા કોઇક કાળે વર્ગણામાંની કોઈ પણ એક વર્ગણાના (૩૫) એક સ્કન્દમાંથી વિશ્રસાં પરિણામ વડે પ્રથમ સમયે ઉર્ધ્વ અધો લોકાંતદીર્ધ દંડ, બીજે સમયે કપાટ, ત્રીજે સમયે મંથન, ચોથા સમયે અંતરપૂર્તિ, પાચમા સમયે અંતરસંહાર ૬ઠ્ઠા સમયે મંથનસંહાર, સાતમે સમયે કપાટસંહાર ને ૮ મા સમયે સ્વભાવસ્થ થાય છે. એ પ્રમાણે ૧૪ રાજ પ્રમાણ અચિત્ત મહાસ્કન્ધપણે પરિણમતી હોવાથી આ વર્ગણાનું નામ મહાસ્કલ્પવર્ગણા છે. ૫૯ સુક્ષ્મક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ઇતિ અનુવૃત્તિ. ૬૦ ત્રસજીવની અધિકતાએ મહાઅર્ધવર્ગણાનું અલ્પત્ય, ને ત્રસજીવની અલ્પતાએ મહાસ્કન્ધવર્ગણાનું અધિકપણું, એમાં અનાદિ જગતુસ્થિતિ એ જ હેતુ છે. અથવા એવો જ કુદરતી નિયમ છે. ઇતિ તાત્પર્ય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy