SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ | (૨૦) પ્રત્યેક શરીર દ્રવ્યવર્ગણા:- તેથી એક પરમાણુ અધિક સ્કલ્પરૂ૫ જઘન્ય પ્રત્યેક શરીરી દ્રવ્યવર્ગણા. આ પ્રત્યેક શરીરી દ્રવ્ય વર્ગણા કોને કહેવાય ? તે કહે છે. પ્રત્યેક શરીર (જીવોના) યથાસંભવ (જે જીવને જેટલાં શરીર નામકર્મનો બંધાદિ સંભવે તેટલાં શરીર નામકર્મને વિષે) ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કાર્મણ શરીર નામકર્મને વિષે જે પ્રત્યેકમાં વિશ્રસા પરિણામથી (સ્વ સ્વભાવથી) ભેગા થયેલા જે સર્વજીવોથી અનંતગુણ પગલો તે પ્રત્યેકશરીરી દ્રવ્યવર્ગણા શતકબૃહણમાં કહ્યું છે. - “યવUI દ વાતકરસમાજ ા પંદુ સરીર તણુમ્મસ ને . ૧ | તત્યેવન, વીસસપરિણામડલ કુંતિ | સગિયાતા, જેવા વાળા તાલે II ૨ '' અહીંયા પ્રત્યેક વર્ગણા પdયાતિ =ારિક આદિ પાંચ શરીરોના જે શરીર કર્મના પ્રદેશો છે. તેમાં એક એક પ્રદેશો વિશ્રસા પરિણામથી ભેગા થાય છે. તે સર્વજીવોથી અનંતગુણ છે. તે પ્રત્યેક શરીરી વર્ગણા કહે છે. તેથી એક પરમાણુ અધિક સ્કંધરૂપ બીજી પ્રત્યેક શરીરી દ્રવ્યવર્ગણા. એ પ્રમાણે એક એક પરમાણુ અધિકથી પ્રત્યેક શરીરીદ્રવ્યવર્ગણા ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ વર્ગણા થાય. જઘન્ય વર્ગણાથી ઉત્કૃષ્ટ વર્ગણા અસંખ્યયગુણ છે. અને ગુણાકાર સુક્ષ્મક્ષેત્ર પલ્યોપમનો અસંખ્યયભાગ રૂ૫ હોય છે. આ પ્રમાણે કેમ સમજાય તો કહે છે. જઘન્ય કર્મપ્રદેશ ભેગા કરવામાં ત્યાં વૈશ્રસિટી જઘન્ય પ્રત્યેક શરીરીદ્રવ્યવર્ગણા, અને ઉત્કૃષ્ટને વિષે ઉત્કૃષ્ટ, જઘન્ય યોગથી જઘન્ય કર્મપ્રદેશો ભેગા થાય છે અને ઉત્કૃષ્ટ યોગથી ઉત્કૃષ્ટ કર્મપ્રદેશો ભેગા થાય છે. અને જઘન્ય યોગસ્થાનથી ઉત્કૃષ્ટ યોગસ્થાન સૂક્ષ્મક્ષેત્ર પલ્યોપમના અસંખ્યયભાગ ગુણિત જ પ્રાપ્ત થાય છે, તેથી જઘન્ય કર્મપ્રદેશો ભેગા કરવામાં અને ઉત્કૃષ્ટ કર્મપ્રદેશો ભેગા કરવામાં તેટલાં જ માત્ર હોય છે. અને જઘન્યથી ઉત્કૃષ્ટ પ્રત્યેક શરીરીદ્રવ્યવર્ગણા પણ તેટલાં જ પ્રમાણથી સિદ્ધ થાય છે. (૨૧) દ્વિતીય ધ્રુવશન્ય વર્ગણા:- પછી તરત જ એક પરમાણુ અધિક સ્કલ્પરૂપ જઘન્ય દ્વિતીય ધ્રુવ શૂન્ય વર્ગણા બે પરમાણુ અધિક સ્કલ્પરૂપ બીજી (વર્ગણા) એ પ્રમાણે એક એક પરમાણુ અધિક સ્કલ્પરૂપ બીજી ધ્રુવ શૂન્ય વર્ગણા ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ દ્વિતીય ધ્રુવશુન્ય વર્ગણા થાય. જઘન્યથી ઉત્કૃષ્ટ અસંખ્ય ગુણ હોય છે, અને ગુણાકાર અસંખ્યયલોકાકાશપ્રદેશ પ્રમાણ જાણવો. | (૨૨) બાદરનિગોદ દ્રવ્યવર્ગણા - તેથી એક પરમાણુ અધિક સ્કન્ધરૂપ જઘન્ય બાદરનિગોદદ્રવ્યવર્ગણા. હવે બાદરનિગોદદ્રવ્યવર્ગણા કોને કહેવાય તે કહે છે. બાદરનિગોદ જીવોના ઔદારિક - તેજસ - કાર્પણ - શરીરનામકર્મને વિષે જે પ્રત્યેકને સર્વજીવથી અનંતગુણ પુદગલો વિશ્રસા પરિણામથી (સ્વ સ્વભાવથી) ભેગા થાય છે. (એટલે નિગોદીયા જીવના એ ત્રણ શરીરને આશ્રિત થઇને રહે છે. પરંતુ નિગોદીયો જીવ ગ્રહણ કરતો નથી, તે બાદરનિગોદ દ્રવ્યવર્ગણા કહેવાય. જો કે કેટલાક બાદરનિગોદ જીવોને વૈક્રિય આહારક શરીર નામકર્મનો સંભવ છે, તો પણ પ્રથમ સમયથી જ નિરન્તર (હિંમેશા) ઉદૂવલણપણું હોવાથી અત્યંત અસાર છે, તેથી તેની વિવક્ષા કરી નથી. તેથી બે પરમાણુ અધિક પ૪ પ્રથમ યોગસ્થાનથી દ્વિતીય યોગસ્થાન અસંખ્ય લોકપ્રદેશ પ્રમાણ વિશેષાધિક છે, દ્વિતીય યોગસ્થાનથી તૃતીય યોગસ્થાન પણ તેટલું જ વિશેષાધિક છે, એ વિગત પુર્વે યોગસ્થાનના ચિત્રમાં કહી છે, તે પ્રમાણે સર્વ યોગ સ્થાનો અનુક્રમે અસંખ્ય વિશેષત્વયુક્ત છે, તો એક પ્રત્યેક શરીરી જીવ પ્રાયોગ્ય જઘન્ય યોગસ્થાનથી પ્રત્યેક શરીરી પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ યોગસ્થાન સુક્ષ્મક્ષેત્ર પલ્યાસંખ્યયભાગ પ્રમાણ સંભવે, આ અસંખ્યવિશેષગુણપણું વીર્ય સંબંધી છે, પરંતુ સ્પર્ધક સંબંધી નહીં. તથા શંકા થાય કે યોગસ્થાનગત અંતરો અસંખ્ય લોકપ્રદેશપ્રમાણ છે, તેથી પૂર્વ યોગસ્થાનથી પર યોગસ્થાન અસંખ્ય લોકપ્રદેશના ગુણાકાર જેટલું છે, ને એ પ્રમાણે પ્રત્યેક શરીરીના પ્રથમયોગસ્થાનથી પ્રશ૦નું બીજું યોગસ્થાન અસંખ્ય લોક(પ્રદેશ)ગુણ છે, તો પ્રશ0નું ઉત્કૃષ્ટ યોગસ્થાન તે પોતાના જ યોગસ્થાનથી સૂલેપલ્યો. ના અસંખ્યાતમા ભાગ જેટલું જ કેમ હોય ? અહીં સમજવાનુ એ છે કે અન્તરો અસંખ્ય લોક વર્ગણાત્મક હોવાથી પર પર યોગસ્થાનો અસંખ્યલોકગુણાકારે ન સંભવે, કારણકે પ્રથમયોગસ્થાનગત અંતિમ વર્ગણાગત વીર્યાવિભાગોથી દ્વિતીયયોગસ્થાનની સર્વ જઘન્યવર્ગશા વા સર્વોત્કૃષ્ટ વર્ગણા અસંખ્યલોકપ્રદેશપ્રમાણ અધિક સંભવે, પરંતુ અસંખ્ય લોકપ્રદેશગુણ ન સંભવે તેથી એક્યોગસ્થાનથી બીજું યોગસ્થાન અસંખ્ય લોકપ્રદેશ પ્રમાણ વિશેષાધિક છે. પરંતુ અસંખ્યલોક ગુણાકારે નથી.) માટે પ્ર00 નું ઉયોગસ્થાન સ્વજઘન્યથી સૂપના અસંખ્યાતમા ભાગ ગુણાકાર જેટલું કહ્યું તે ઘટી શકે છે. આ વ્યાખ્યા ગણિત સમજનારને સુગમ છે. પપ જે જીવો પ્રથમ 4 નામકર્મનો બંધ કરીને મરણ પામી બાદર સાધારણ વનસ્પતિકાયપણે ઉત્પન્ન થાય, તે જીવોને બાદરનિમેદ ભવમાં પણ વૈ૦નામકર્મની સત્તા હોય. તેમજ તે અપ્રમત્ત મુનિ ગુણસ્થાને આહo નામકર્મનો બંધ ર્યો હોય ને પુનઃ પ્રમાદના વશ થકી સાતમા ગુણસ્થાનથી પડતાં યાવતુ પ્રથમ ગુણસ્થાને આવી કાળ કરીને બાદરનિગોદમાં ઉત્પન્ન થાય તો બાદરનિગોદ જીવમાં પણ (અપર્યાપ્ત અવસ્થામાં) આહારક કર્મની સત્તા સંભવે. ૫૬ આહારક સપ્તકની ઉદ્વલના વાસ્તવિક રીતે અવિરતિપણાના પ્રથમ સમયથી હોય છે, પરંતુ ઉદ્વવનકાળ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોવાથી બાદર નિગોદમાં પણ ભવ પ્રથમ સમયથી ઉદવલના પ્રતિપગ ભાવની અપેક્ષાએ હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy