SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ તૈજસ પ્રાયોગ્ય આદિની વર્ગણાને પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ જાણવી. સ્પર્શના વિચારમાં તો ચાર સ્પર્શ હોય છે. ત્યાં મૃદુ-લઘુરૂપ બે સ્પર્શ અવસ્થિત હોય જ બીજા બે સ્પર્શ સ્નિગ્ધ-ઉષ્ણ, સ્નિગ્ધ-શીત, રૂક્ષ-ઉષ્ણ, અથવા રૂક્ષ-શીત હોય છે. તે આ પ્રમાણે કહ્યું છે. “પંવરસપાવર પરિયા ગblસલો ઘા નાવાહાર નો ૨૩etવસિયા હરિ ' પાંચરસ, પાંચવર્ણ, આઠ સ્પર્શ, બે ગંધ, પરિણતપણે આહારક સુધી હોય છે, ત્યાર પછી આગળ ચાર સ્પર્શ વિશેષ રીતે જાણવા. તથા ઔદારિક વર્ગણા શેષ વૈક્રિયાદિ વર્ગણાઓથી સર્વથી અલ્પ પ્રદેશવાળી છે. તેથી વૈક્રિયશરીર પ્રાયોગ્ય અનંતગુણ, તેથી આહારક પ્રાયોગ્ય અનંતગુણ છે, એ પ્રમાણે તૈજસ, ભાષા, શ્વાસોચ્છુવાસ, મન, કર્મ, પ્રાયોગ્ય પણ વર્ગણા અનુક્રમે અનંતગુણ કહેવી. ધ્રુવ-અધ્રુવ ઇત્યાદિ કર્મ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણા પછી તરત ધ્રુવાચિત્ત દ્રવ્ય વર્ગણા પછી તરત અધુવાચિત્ત દ્રવ્ય વર્ગણા. પછી “સુત્રા ૨૩''ત્તિ ચાર ધૃવશુન્ય વર્ગણા છે. તે ચાર ધૃવશુન્ય વર્ગણાને અંતરે ઉપર રહેલી પ્રત્યેક શરીરિ, બાદર નિગોદ, સૂક્ષ્મ નિગોદ તથા મહાકલ્પ વર્ગણા યથાસંખ્ય હોય છે તે આ પ્રમાણે કહે છે. - પ્રથમ ધ્રુવશુન્ય વર્ગણાની ઉપર પ્રત્યેક શરીરી વર્ગણા, બીજી ધ્રુવ શુન્ય વર્ગણાની ઉપર બાદર નિગોદ વર્ગણા, ત્રીજી ધ્રુવશૂન્ય વર્ગણાની ઉપર સૂક્ષ્મ નિગોદ વર્ગણા, ચોથી ધ્રુવશૂન્ય વર્ગણાની ઉપર માસ્કન્ધ વર્ગણા હોય છે. (૧૭) ધુવાચિત્ત દ્રવ્ય વર્ગણા:- ત્યાં કામણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણા પછી અનંતર (પછી તુરતજ) એક પરમાણુ અધિક સ્કલ્પરૂપ જઘન્ય ધૃવાચિત્તદ્રવ્યવર્ગણા. તેથી એક એક પરમાણુ અધિક સ્કલ્પરૂપ ધ્રુવાચિત્ત દ્રવ્ય વર્ગણા ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ ધ્રુવાચિત્તદ્રવ્યવર્ગણા થાય. ધ્રુવાચિત્તદ્રવ્યવર્ગણા જે હંમેશા લોકને વિષે પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે કહે છે. આની મધ્યમાંથી કોઇ બીજી ઉત્પન્ન થાય તો કોઇ બીજી વિનાશ થાય, પરંતુ તેઓનો યથાસ્થિત સંખ્યાનો એકાદનો પણ બીજે ક્યારે પણ લોકમાં વિરહ થતો નથી. અર્થાત્ કોઇને કોઇ તો રહે છે. આ વર્ગણાને)-જીવ વડે ક્યારે પણ ગ્રહણ કરાઇ નથી, તેથી અચિત્તપણું છે. ઔદારિક આદિ વર્ગણાને જીવ વડે ગ્રહણ કરાતી હોવાથી ક્યારેક સચિત્તપણું થાય છે. જઘન્ય વર્ગણાથી ઉત્કૃષ્ટ વર્ગણા અનંતગુણ છે. અને ગુણાકાર સર્વ જીવથી અનંતગણ રાશિ પ્રમાણ જાણવો. (૧૮) અધુવાચિત્ત દ્રવ્ય વર્ગણા :- તેથી એક પરમાણુ અધિક સ્કલ્પરૂપ જઘન્ય અધુવાચિત્ત દ્રવ્ય વર્ગમાં તેથી એક એક પરમાણુ અધિક વડે અધુવાચિત્તદ્રવ્યવર્ગણા ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ અધૂવાચિત્ત દ્રવ્ય વર્ગણા થાય. અધુવાચિત્ત દ્રવ્યવર્ગણા તે કહેવાય કે જેઓની મધ્યમાં કેટલીક વર્ગણા ક્યારેક લોકને વિષે હોય. (અને ક્યારેક ન હોય) તેથી આ (વર્ગણાને) 'સાન્તર નિરન્તરા પણ કહેવાય છે. (મૂળવર્ગણાની અપેક્ષાએ તો હંમેશા વિદ્યમાન હોય જ પણ ઉત્તર વર્ગણાની અપેક્ષાએ વિદ્યમાન કે અવિદ્યમાન) જઘન્ય વર્ગણાથી ઉત્કૃષ્ટ વર્ગણા સર્વ જીવથી અનંતગુણ રાશિ પ્રમાણથી અનંતગુણ હોય છે. ' (૧૯) પ્રથમ ધ્રુવશૂન્ય વર્ગણા - તેથી એક પરમાણુ અધિક સ્કલ્પરૂપ જઘન્ય પ્રથમ ધ્રુવન્ય વર્ગણા. તેથી એક એક પરમાણુ અધિક પ્રથમ ધ્રુવશુન્ય વર્ગણા ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ પ્રથમ ધ્રુવન્ય વર્ગણા થાય. ધ્રુવશુન્ય વર્ગણા તે કહેવાય કે જે ક્યારે પણ લોકમાં ન હોય, પણ ફક્ત ઉપરની (આગળની) વર્ગણાનું બાહુલ્ય જણાવવા માટે પ્રરૂપણા માત્રથી જ કરાય છે. જઘન્ય વર્ગણાથી ઉત્કૃષ્ટ વર્ગણા અનંતગુણ છે. અને ગુણાકાર સર્વ જીવથી અનંતગુણ રાશિ પ્રમાણ હોય છે. ૫૦ ભગવતીજીમાં તેજસ સ્કંધમાં આઠેય સ્પર્શી અને કાશ્મણ સ્કંધમાં સ્નિગ્ધ - રૂક્ષ - શીત - ઉષ્ણ એમ ૪ સ્પર્શે કહેલા છે તે મતાંતર જાણવો. તત્ત્વ કેવલીગમ છે. ૫૧ ગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાગત પ્રદેશ રાશિથી અનંતગુણ અગ્રહણ વર્ગણાઓ અંતરે અંતરે હોવાથી દારિક વર્ગણાની અપેક્ષાએ વક્રિય વર્ગણામાં અનંતગુણ પ્રદેશ હોય, ઇતિ સર્વત્ર. પર આ વર્ગણાઓમાં જે એકોત્તરવૃદ્ધિની પ્રાપ્તિ તે કોઇ કોઇ કાળે તૂટી જાય છે, તેથી વર્ગણાગત એકોત્તરવૃદ્ધિના અનુક્રમમાં અત્તર પડી જાય છે, ત્યારે એ વર્ગશાઓ સાન્તરપણે પ્રાપ્ત હોય છે. ૫૩ અહીં પ્રથમ શબ્દ ઉત્તરવર્ગણાની અપેક્ષાએ નહીં, પણ મૂળ વર્ગણા અપેક્ષાએ જાણવો, તેમજ દ્વિતીય ઇત્યાદિ શબ્દ આગળ મૂળ ધ્રુવશન્યવર્ગણા માટે જ જાણવો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy