SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૫૯ | (૮) તેજસ શરીર પ્રાયોગ્ય વર્ગણા - આહારક શરીર અગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણુ અધિક સ્કલ્પરૂ૫ તેજસ શરીર પ્રાયોગ્ય જઘન્ય વર્ગણા. તેથી એક એક પરમાણુ અધિક સ્કલ્પરૂપે ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ તૈજસ પ્રાયોગ્ય વર્ગણા થાય. (૯) અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા - તેથી એક પરમાણુ અધિક જઘન્ય અગ્રહણ વર્ગણા તેથી એક એક પરમાણુ અધિક સ્કન્વરૂપ ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ = અગ્રહણ વર્ગણા થાય. (૧૦) ભાષા પ્રાયોગ્ય વર્ગણા:- પછી તે ઉત્કૃષ્ટ અગ્રહણ વર્ગણાથી એક પરમાણુ અધિક સ્કન્વરૂપ જઘન્ય ભાષા પ્રાયોગ્ય વર્ગણા, જે પુદ્ગલોને ગ્રહણ કરીને પ્રાણીઓ સત્યાદિ ભાષારૂપે પરિણાવીને અવલંબી અને વિસર્જન કરે છે. તેથી એક એક પરમાણુ અધિક સ્કલ્પરૂપ ભાષા પ્રાયોગ્ય વર્ગણા ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ વર્ગણા થાય. (૧૧) અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા :- તેથી એક પરમાણુ અધિક જઘન્ય અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા. તેથી એક એક પરમાણુ અધિક સ્કન્વરૂપ ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા થાય. (૧૨) શ્વાસોચ્છવાસ પ્રાયોગ્ય વર્ગણા - તેથી એક પરમાણુ અધિક સ્કલ્પરૂપ જઘન્ય શ્વાસોચ્છવાસ પ્રાયોગ્ય વર્ગણા, જે પુદ્ગલોને ગ્રહણ કરીને પ્રાણીઓ શ્વાસોચ્છવાસરૂપે પરિણમાવીને અવલંબી અને વિસર્જન કરે છે. તેથી એક એક પરમાણુ અધિક સ્કન્વરૂપ ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા થાય. . (૧૩) અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા :- શ્વાસોચ્છવાસ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણુ અધિક જઘન્ય ' અગ્રહણ પ્રાયોગ્ય. તેથી એક એક પરમાણુ અધિક સ્કલ્પરૂપ ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ અગ્રહણ પ્રાયોગ્ય થાય. (૧૪) મનઃ પ્રાયોગ્ય વર્ગણા - પછી અગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણુ અધિક સ્કલ્પરૂપ મનઃ પ્રાયોગ્ય જઘન્ય વર્ગણા, જે પુગલોને ગ્રહણ કરીને પ્રાણીઓ સત્ય આદિ મનરૂપે પરિણમાવીને અવલંબી અને વિસર્જન કરે છે. તેથી એક એક પરમાણુ અધિક સ્કન્ધરૂપ ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ મનઃ પ્રાયોગ્ય વર્ગણા થાય. (૧૫) અંગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા - ઉત્કૃષ્ટ મન:પ્રાયોગ્ય વર્ગણાથી એક પરમાણુ અધિક જઘન્ય અગ્રહણ પ્રાયોગ્ય. તેથી એક એક પરમાણુ અધિક સ્કન્વરૂપ ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા થાય. (૧૬) કાર્પણ પ્રાયોગ્ય વર્ગણા - પછી અગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણું અધિક કન્વરૂપ જઘન્ય કાર્પણ પ્રાયોગ્ય વર્ગણા, જે પગલોને ગ્રહણ કરીને જીવ જ્ઞાનાવરણ (કર્મ) આદિરૂપે પરિણમાવે છે. તેથી એક એક પરમાણુ અધિક સ્કલ્પરૂપ ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ કર્મ પ્રાયોગ્ય વર્ગણા થાય. સર્વ ઠેકાણે ઉત્કૃષ્ટ ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા પોતાની જઘન્ય વર્ગણાના અનંતમાભાગરૂપે વિશેષણથી પોત પોતાની જઘન્ય વર્ગણાથી અધિક છે, અને અગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણા પોતાની જઘન્ય વર્ગણાની અપેક્ષાએ અભવ્યથી અનંતગુણ, સિદ્ધના અનંતમાં ભાગ જેટલાં રાશિ પ્રમાણથી અનંતગણ જાણવી,માસાનને ય અહીં ર- શબ્દનો નહીં કહેલ સમુચ્ચય અર્થ પણ છે. તેથી ભાષા વર્ગણાની પછી વચમાં અગ્રહણ વર્ગણા હોય તેવી શ્વાસોચ્છવાસ વર્ગણા જાણવી. અને તેની જ વ્યાખ્યા કરે છે. ને " એ અહીં - શબ્દ સર્વ સમુચ્ચય = બધાનો સંગ્રહ અર્થમાં છે. હવે આ ઔદારિક આદિ વર્ગણાની વર્ણ આદિ પ્રસંગથી નિરૂપણ કરે છે. ત્યાં ઔદારિક - વૈક્રિય - આહારક વર્ગણાના પાંચવર્ણ - બે ગંધ - પાંચ રસ અને આઠ સ્પર્શ છે. જો કે પરમાણુ એક જ વર્ણ, એક જ રસ, એક જ ગંધ, બે જ અવિરુદ્ધ સ્પર્શ થાય છે, તો પણ સમુદાયમાં કોઇ પણ પરમાણુ કોઈ પણ વર્ણાદિ યુક્ત થાય છે. એ પ્રમાણે સમુદાયમાં પંચવર્ણાદિત્વનું પ્રતિપાદન વિરુદ્ધ નથી. ૪૯ અહીં મૂળમાં શ્વાસોચ્છવાસ વર્ગના કહી નથી. પણ એનો ‘ચ' શબ્દથી સમુચ્ચય છે. એમ સ્વીકારી વૃત્તિકારોએ એ વર્ગરાઓ પણ સમાવી છે, જ્યારે ચૂર્ણિકારે સુત્રકારને સીધા અનુસરીને એનો સમાવેશ ક્યું નથી. જે જીવને દરિકાદિ ૩માંથી જે શરીર હોય તેને પ્રાયોગ્ય પુદ્ગલોને જ તે જીવ શ્વાસોચ્છવાસરૂપે પરિશમાવીને છોડે છે એવો જે કેટલાક આચાર્યોનો મત છે એને અનુસરીને શ્વાસોવર્ગશાઓને સરકારે પૃથર્ બતાવી નથી એવો ખુલાસો ટપકાર શ્રી મુનિચંદ્ર સૂરિ મહારાજે આપ્યો છે. “આપણા શ્વાસોચ્છવાસમાં જે વાયુ બહાર નીકળે છે તે વાયુકાયનું શરીર હોવાથી ઘરિક પુદ્ગલમય હોવો જોઇએ” આવી કો'ક ગણતરીથી કદાચ તે આચાર્યોનો ઉપરોક્ત અભિપ્રાય હોય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy