SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ કર્મપ્રકૃતિ એ પ્રમાણે અર્થ છે. આ તેમજ તેજસ - ભાષા-શ્વાસોચ્છવાસ-મન-કાર્યણ વિષયમાં અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા વડે અન્તરિત આંતરાવાળી ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા હોય છે. તે આ પ્રમાણે કહે છે. (૨) ઔદારિક પ્રાયોગ્ય ગ્રહણ વર્ગણા :- અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધોને અનંતમે ભાગ જેટલાં પરમાણુઓના સમુદાયની જેટલી વર્ગણા તે ઔારિક શરીર બનાવવા માટેની ગ્રહણ યોગ્ય વર્ગણા થાય છે, અને તે જઘન્ય વર્ગણા કહેવાય. તેનાથી એક પરમાણુ અધિક સ્કંધરૂપ વર્ગણા તે ગ્રહણ યોગ્ય બીજી વર્ગણા. બે પરમાણુ અધિક સ્કંધરૂપ વર્ગણા તે ત્રીજી ગ્રહણ યોગ્ય વર્ગણા. એ પ્રમાણે એક એક પરમાણુ અધિક સ્કંધરૂપ ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ ઔદારિક શરીર યોગ્ય વર્ગણા થાય. જઘન્ય ઔદારિક ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાથી ઉત્કૃષ્ટ વર્ગણા વિશેષાધિક છે. અને એટલું વિશેષ કે તે જ જઘન્ય વર્ગણાનો અનંતમો ભાગ છે. (૩) અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા ઔારિક પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણુ અધિક સ્કન્ધરૂપ વર્ગણા અગ્રહણ પ્રાયોગ્ય જઘન્ય વર્ગણા. તેથી બે પરમાણુ અધિક સ્કંધરૂપ બીજી અગ્રહણ યોગ્ય વર્ગણા. એ પ્રમાણે એક એક પરમાણુ અધિક સ્કન્ધરૂપ અગ્રહણ વર્ગણા ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ અગ્રહણ ૪૬પ્રાયોગ્ય થાય છે. અને તે જધન્ય (વર્ગણા)થી અનંતગુણ છે. અને ગુણાકાર અભવ્યથી અનંતગુણ સિદ્ધને અનંતમે ભાગ જેટલી રાશિ પ્રમાણ ૪ જાણવી. અને આ ૪૮. -અગ્રહણ પ્રાયોગ્ય છે, કારણકે તે ઔદારિક પ્રતિ ઘણાં પરમાણુવાલી અને સૂક્ષ્મ પરિણામીપણું હોવાથી અને વૈક્રિય પ્રત્યે થોડા જ પરમાણુવાલી અને સ્થૂલ પરિણામીપણું હોવાથી. એ પ્રમાણે આગળ પણ વિચારવું. (કાર્મણ વર્ગણાથી પૂર્વની અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા સુધી). (૪) વૈક્રિય પ્રાયોગ્ય ગ્રહણ વર્ગણા :- કહેલી અગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણુ અધિક સ્કન્ધરૂપ વૈક્રિય શરીર પ્રાયોગ્ય જધન્ય વર્ગણા. તેથી બે ૫૨માણુ અધિક સ્કન્ધરૂપ બીજી વર્ગણા. એ પ્રમાણે એક એક પરમાણુ અધિક સ્કન્ધરૂપ વર્ગણા, વૈક્રિય ગ્રહણ પ્રાયોગ્ય ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા થાય. તે (ઉત્કૃષ્ટ વર્ગણા) જધન્ય વર્ગણાથી વિશેષાધિક વિશેષ તે જ (જઘન્ય) વર્ગણાનો અનંતમા ભાગે છે. (૫) અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા ઃ- વૈક્રિય શરીર ગ્રહણ પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણુ અધિક સ્કન્ધરૂપ જધન્ય અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા. તેથી બે પરમાણુ અધિક સ્કન્ધરૂપ બીજી અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા. એ પ્રમાણે એક એક ૫૨માણુ અધિક સ્કન્ધરૂપ અગ્રહણ પ્રાયોગ્ય ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા થાય. અને તે ઉત્કૃષ્ટ વર્ગણા જઘન્ય વર્ગણાથી અનંતગુણ, ગુણાકાર અભવ્યથી અનંતગુણ સિદ્ધને અનંતભાગ પ્રમાણ છે. (૬) આહારકશરીર પ્રાયોગ્ય વર્ગણા ઃ- પછી ઉત્કૃષ્ટ - અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાથી એક પરમાણુ અધિક સ્કન્ધરૂપ વર્ગણા તે આહારક શ૨ી૨પ્રાયોગ્ય વર્ગણા તે જઘન્ય વર્ગણા. તેથી બે પરમાણુ અધિક સ્કન્ધરૂપ બીજી વર્ગણા. એ પ્રમાણે એક એક ૫૨માણુ અધિક સ્કન્ધરૂપ આહારક ગ્રહણ પ્રાયોગ્ય ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ આહારક ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા થાય. જધન્ય વર્ગણાથી ઉત્કૃષ્ટ વર્ગણા (તે જઘન્યના) અનંતમા ભાગે વિશેષાધિક હોય છે. (૭) અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા :- આહા૨ક શરીર પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વર્ગણાથી એક પરમાણુ અધિક સ્કન્ધરૂપ અગ્રહણ પ્રાયોગ્ય જઘન્ય વર્ગણા. તેથી એક એક પરમાણુ અધિક સ્કન્ધરૂપ અગ્રહણ પ્રાયોગ્ય ત્યાં સુધી કહેવી જ્યાં સુધી ઉત્કૃષ્ટ વર્ગણા થાય. જઘન્યથી ઉત્કૃષ્ટ વર્ગણા અભવ્યથી અનંતગુણ સિદ્ધથી અનંતભાગ રાશિ પ્રમાણથી અનંતગુણ છે. અહીં ચૂર્ણિકા વિગેરેના મતે ઔદારિક, વૈક્રિય, આહા૨ક શરીર ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણાને આંતરે અગ્રહણ વર્ગણા માનતા નથી. પરંતુ આવશ્યક ભાષ્ય આદિ ઇચ્છે (માને) છે. તેમના મતે કહી છે. ૪૬ જધન્ય વર્ગણામાં જેટલાં પરમાણુ છે તેથી ઉત્કૃષ્ટ વર્ગણા સ્કંધમાં અનંતગુણ પરમાણુ છે. ઇતિ સર્વત્ર. ૪૭ જધન્ય વર્ગણાગત અનંત પરમાણુને અભવ્યથી અનંતગુણા પરમાણુ વડે ગુણતાં જેટલાં પરમાણુ થાય તેટલાં પરમાણુ ઉત્કૃષ્ટ વર્ગણામાં છે. ઇતિ સર્વત્ર. ૪૮ વર્ષશાઓનું આ સ્વરૂપ પંચસંગ્રહ-કર્મપ્રકૃતિમાં પૂ મલયગિરિ મ૰ અને પૂ૰ ઉપામ૰ એ જે આપ્યું છે, તેને અનુસરીને છે. જો કે વૃત્તિમાં અગ્રાહ્ય વર્ગણાઓને માટે અગ્રાહ્ય વર્ગણારૂપે જ જણાવી છે. પણ વિશેષ સ્પષ્ટતા માટે અહીં એના ઔારિક, અગ્રાહ્ય, વૈક્રિય અગ્રાહ્ય વગેરે નામો લીધા છે. ચૂર્ણિકાર વગેરે ઔારિક, વૈક્રિય અને આહારક ગ્રાહ્ય વર્ગણાઓને આહારક દ્રવ્ય વર્ગણા તરીકે માને છે. અને એમાં વચ્ચે અગ્રાહ્ય વર્ગણાઓ માનતા નથી. એટલે કે એમના મતે અહીં કહેલ વૈક્રિય અગ્રાહ્ય, આહારક અગ્રાહ્ય વર્ગણાઓ છે નહીં. આમાં તત્ત્વ કેવલીગમ્ય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy