SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૫૭ પ્રત્યેક શરીરી, બાદર નિગોદ (યોગ્ય), સૂક્ષ્મનિગોદ (યોગ્ય), અને (અચિત્ત) મહાત્કંધવર્ગણા એ ચાર વર્ગણાઓ છે. એ પ્રત્યેક વર્ગણાઓ ગુણ નિષ્પન્ન નામવાળી છે. અને પ્રત્યેક વર્ગણાનો અવગાહ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલો છે. ૨૦. ટીકાર્થ - ઔદારિકાદિ પ્રાયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે, અવલંબન કરે છે. એ પ્રમાણે કહ્યું તો.. ત્યાં કયા પુદ્ગલો ગ્રહણ પ્રાયોગ્ય છે ? અને કયા અગ્રહણ પ્રાયોગ્ય છે ? એ પ્રમાણે જાણવાની ઇચ્છાવાળા શિષ્યને માટે ગ્રહણયોગ્ય, અગ્રહણયોગ્ય પુદ્ગલ વર્ગણાની પ્રરૂપણા કરે છે. એક એક પરમાણુરૂ૫, સંખ્યાતપ્રદેશો, અસંખ્યાતપ્રદેશો અને અનંતપ્રદેશોવાળી વર્ગણા હોય છે. ત્યાં એક એક પરમાણુઓની વર્ગણા તે પરમાણુ વર્ગણા છે. અહીં વર્ગણા શબ્દ સમુદાય વાચી છે. વર્ગણા યોગ્યપણે લઇને સમર્પન કરવું. એક એક પરમાણુને વિષે જે વર્ગણા શબ્દ કહ્યો છે તે અનેક પર્યાયના આરોપની અપેક્ષાએ જાણવો. એ પ્રમાણે પણ કહ્યું છે. અને જો પરમાણુઓની વર્ગણા તે પરમાણુવર્ગણા, એ પ્રમાણે કહીએ ત્યારે જગતમાં જે કોઇપણ પરમાણુ છે તેનો સમુદાય તે પરમાણુવર્ગણા એમ પ્રાપ્ત થાય, અને તેની આગળ કહેવાશે તેમ વર્ગણાની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી હોય છે. એ સૂત્ર વિરોધ થાય. સમુદિતનો અર્થ = સર્વલોકમાં રહેલ હોવાથી. તેથી એક એક પરમાણુઓની જ પરમાણુવર્ગણા જાણવી, અને તે અનંત છે. સર્વ અગ્રથી = સરવાળો લોકવ્યાપિની છે. બે પરમાણુના સમુદાયવાળી તે દ્ધિપરમાણુવર્ગણા અને તે પણ અનંત સકલ લોકવ્યાપિની છે. એ પ્રમાણે સર્વ પણ વર્ગણી પ્રત્યેક અનંત છે. સકલ લોકવ્યાપિની જાણવી. (૧) અગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા :- ત્રણ પરમાણુ સમુદાયરૂપ ત્રિપરમાણુવર્ગણા. એમ ઉત્તર ઉત્તર વૃદ્ધિથી સંખેય પરમાણુ સ્વરૂપે સંખ્યય વર્ગણા કહેવી. અસંખ્યય પરમાણુ સ્વરૂપે “અસંખ્યાતી વર્ગણા કહેવી. અસંખ્યાતના અસંખ્યાત ભેદ પડતાં હોવાથી. અનંત પરમાણુ સ્વરૂપે ઉપરોક્ત ઉત્તરોત્તર વૃદ્ધિથી અનંતી વર્ગણા થાય. અનંતના અનંત ભેદ હોવાથી. આ મૂલથી શરૂ કરી સર્વ વર્ગણાઓ અલ્પ પરમાણુવાળી અને સ્થૂલ પરિણામી હોવાથી જીવને અગ્રહણ પ્રાયોગ્ય છે. અનંત પરમાણુ સ્વરૂપે પણ પહેલાની ગ્રહણ પ્રાયોગ્ય નથી. જે અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતમે ભાગે પરમાણુનો સમુદાય સ્વરૂપે તે. “સાહારવા” ત્તિ આહારણ કરવું તે આકાર ગ્રહણ કહેવાય. આહાર એજ આહારકે, તે પ્રાયોગ્ય વર્ગણા હોય તે ગ્રહણ પ્રાયોગ્ય વર્ગણા થાય છે. એ પ્રમાણે અર્થ છે. કયા વિષયે ? અર્થાતુ કયા શરીરને યોગ્ય ગ્રહણ પ્રાયોગ્ય છે ? તે કહે છે. ““તિ ત'' રૂતિ = ઔદારિક, વૈક્રિય, આહારકરૂપે ત્રણ શરીર વિષયમાં ૪૨ પરમાણુ સ્વતઃ એક હોવાથી પરમાણુમાં સમુદાયીપણાનો અભાવ છે. માટે સમુદય વાચક વર્ગણા શબ્દને પરમાણુ સાથે સંયુક્ત કરવો અનુચિત છે તો “પરમાણુ વર્ગના” એમ કહેવું કેમ ઘટે ? આ શંકાના ઉત્તરમાં જણાવ્યું છે કે પરમાણુમાં અનેક પ્રયોગોનો સંપાત (જેમાં અનેક પર્યાયો આર્વિભાવ થઈ શકે તેવી યોગ્યતાનો સદ્ભાવ) હોવાથી વર્ગણા શબ્દ પરમાણુ સાથે સંયુક્ત કરી “પરમાણુ વર્ગણા” કહી શકાય. આ ભાવાર્થને પૂ૦ | ઉપામ0 સાતો એમ કહે છે કે વળાવોચતામવિલાસ-પરમાણમાં વર્ગણાપણે પરિણામવાની યોગ્યતા હોવાથી તે યોગ્યતાને ગ્રહણ કરીને “પરમાણુ વર્ગણા” એમ કહી શકાય. શ્રી દેવેંદ્રસુરિવર્થ તો એક જ પરમાણુને પરમાણુ વર્ગશા કહેતા નથી પરંતુ સર્વ પરમાણુના સમુદાયમાં વર્ગણા શબ્દ કહે છે, માટે ત્યાં આ પ્રશ્નનો અવકાશ જ ન હોય. ૪૩ પાંચમા કર્મગ્રન્થમાં દેવેન્દ્રસૂરિ મહારાજે જગતમાં તમામ છુટા પરમાણુની એક વર્ગલા કહી છે. તેમજ બે પરમાણુના બનેલા જેટલાં સ્કંધો છે તેની પણ એક વર્ગના કહી છે. આવી રીતે સ્વજાતીય અંધોના સમૂહની એક એક વર્ગણા કહી છે. અહીં જગતમાંના તમામ છુટા પરમાણુઓને ભિન્ન ભિન્ન વર્ગના રૂપે કહ્યા છે. એમ જ બે પરમાણુઓના જેટલાં સ્કંધો છે તે દરેકને પણ ભિન્ન ભિન્ન વર્ગલારૂપે કહેલ છે. આવી રીતે સ્વજાતીય તમામ સ્કંધોને ભિન્ન ભિન્ન વર્ગલારૂપે કહેલ છે. અહીં જો કે વિરોધ લાગે છે. પણ વાસ્તવિક રીતે વિરોધ નથી. કારણકે કર્મપ્રકૃતિ પંચસંગ્રહમાં વર્ગણા અને સ્કંધને એક જ અર્થમાં ગ્રહણ કરેલ છે. ત્યારે દેવેન્દ્રસૂરિ મહારાજે સ્કંધના સમૂહને વર્ગશા કહી છે. એમ સમજાય છે. તત્ત્વ કેવલિગમ્ય. ૪૪ એકેક પરમાણુ અધિક સ્કંધરૂપ અસંખ્યવર્ગલા, પરંતુ તે જાતીય રૂ૫ વર્ગવા અસંખ્ય નહીં, તે જાતીયરૂપ સમાન વર્ગણા અનંત છે. ૪૫ અહીં એ સમજવાનું છે કે સ્કંધમાં જેમ જેમ પરમાણ વધતા જાય છે તેમ તેમ તેનો પરિણામ સુક્ષ્મ સૂક્ષ્મ થતો જાય છે. જેમ ઓછા ઓછા પરમાણુ હોય છે. તેમ તેમ તેનો પરિણામ સ્થલ હોય છે. કારણકે પુદ્ગલનો તેવા પ્રકારનો સ્વભાવ જ છે. જ્ઞાનીની દૃષ્ટિએ અમુક અમુક જાતના પરિણામવાળા અંઘો જ અમુક અમુક શરીરપણે પરિણમે છે અને તે પરિણામ ઓછામાં ઓછા અમુક સંખ્યાવાળા અને વધારેમાં વધારે અમુક સંખ્યાવાળા પરમાણુના બનેલા સ્કંધોમાં જ હોય છે. ઓછામાં ઓછા અને વધારેમાં વધારે જે સંખ્યાવાળા પરમાણુના બનેલા સ્કંધોમાં તે પરિણામ હોય છે. તેમાં એક પણ પરમાણુ વધે કે ઘટે તો તેનો પરિણામ ફરી જાય છે. જે જે પરિણામવાળા સ્કંધો જે જે શરીરને યોગ્ય હોય છે, તેને ગ્રહણ કરીને તે તે શરીરપણે પરિણાવે છે. કેટલી કેટલી સંખ્યાવાળા પરમાણુઓના બનેલા સ્કંધો ક્યા ક્યા શરીરને યોગ્ય હોય છે તે આગળ કહેવાશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy