SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૩ પાંડવ ચરિત્રમ્ ૬૪ આ પ્રમાણેનું શુભ સ્વપ્ર કહ્યું, ત્યારે હર્ષથી મેં જલ્દી પેટીમાંથી બાલકને લઈને ખોળામાં મૂક્યો. કાનની નીચે હાથ હોવાથી બાલકને જોઈને મેં કર્ણ એ પ્રમાણે નામ આપ્યું, તો આ કર્ણ સૂર્યે આપેલો હોવાથી સૂર્યપુત્ર, એ પ્રમાણે બીજું નામ આપ્યું. આ પુત્રમાં બાળપણથી જ અમારા કુલથી અતીત ગુણો રહ્યા છે. જેવી રીતે કાદવમાં ઉગેલા કમળની વૃદ્ધિ કાદવમાં થાય છે, પરંતુ સુગંધ તો આપમેળે જ થાય છે. આથી આ કોઈપણ રાજકુલમાં જન્મેલો છે, એના દર્શનથી મેં અનુમાન કર્યું છે. કોઈપણ કારણથી આ બાલકને પિતાએ ગંગાના પ્રવાહમાં વહેતો મૂક્યો છે. પછી તે મને મળ્યો છે. તેથીય કર્ણ મારો ધર્મપુત્ર છે. પરંતુ આ મારો પુત્ર નથી, એ પ્રમાણે અતિરથિના મુખથી કર્ણની કથા સાંભળીને બધાંય સભાસદોએ આશ્ચર્ય ચકિતવાળું મન ધારણ કર્યું અર્થાત્ આશ્ચર્ય ચક્તિ થઈ ગયા. કર્ણને જોઈને કુન્તી વિચાર કરે છે. ખરેખર તેજયુક્ત આ મણિથી શોભતા બે કુંડળવાળો તે જ આ મારો પુત્ર છે. અહો ! મારૂં ભાગ્ય. કારણ કે લાંબા કાળે મેં આને જીવતો જોયો. આ સંસારમાં હું એક જ ધન્ય છું, જે મારે આ કર્ણ અને અર્જુન એવા બે પુત્રો છે. કારણ કે અર્જુન સાથે ભાઈ વિના બીજો કોણ સ્પર્ધા કરે ? જેવી રીતે અમૃત સાથે ચંદ્ર સ્પર્ધા કરે છે, તેવી રીતે કર્ણ અને અર્જુન પણ પરસ્પર સ્પર્ધા કરે છે. વળી આગળ કુન્તી વિચારે છે. કર્ણનો સંબંધ યુધિષ્ઠિરાદિ બધા ભાઈઓને સમય આવે જણાવીશ. એ પ્રમાણે ચિંતવીને કુન્તી મૌન રહી, ત્યારે બધા સભાજનોના જોતાં હાથ ઊંચા કરીને દુર્યોધન બોલ્યો : “આ કર્ણ જેવો છે, તેવો ભલે હો. એને મેં અંગ દેશના અધિપતિપણે અભિષેક કરીને રાજારૂપે સ્થાપ્યો છે. જેને પસંદ ન હોય તે ધનુષ્ય લઈને તૈયાર થાવ.” આવા દુર્યોધનના વચન સાંભળીને અંતરાત્મામાં જલતા પાણ્ડ પુત્રો પર ભયથી ડરેલા લોકોનો મહાકોલાહલ થયો. : તેઓને દ્વિધાવાળા જોઈને પાણ્ડુ રાજાએ દ્રોણને કહ્યું : “હે દ્રોણ ! પુત્ર અને ભાઈઓને અકાલે આ કેવો કલહ ઉત્પન્ન થયો. અમે પુત્રની પરીક્ષાને માટે આ સર્વે સામાજિકોને બોલાવ્યા છે. યુદ્ધને માટે નહિ ? આથી આ કુમારોનો વિરોધ દૂર કરો. કારણ કે તમે બધા કુમારોના કલાચાર્ય છો.” આ પ્રમાણેની પાડુ રાજાની વાણી સાંભળી દ્રોણાચાર્યે જાતે જમણો હાથ ઊંચો કરીને પાંડવો અને કૌરવોને સિંહના બચ્ચાની જેમ યુદ્ધ કરતાં રોક્યા. તે વખતે ભાઈઓનો પરસ્પર વિરોધ જોવા માટે અસમર્થ હોય તેમ સૂર્ય ચાલ્યો ગયો (અસ્ત થઈ ગયો). ત્યારે કુમારોની કલા અને કલહ જોઈને પાણ્ડ રાજાને આનંદ અને ખેદ બંને થયા. ધૃતરાષ્ટ્ર, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, ગાંગેય આદિથી પરીવરેલા પાણ્ડુ રાજા સંધ્યા સમયે પોતાના સ્થાને (ઘરે) પહોંચ્યા. કોઈક કર્ણને સ્તવના (પ્રશંસા) કરતાં, કોઈક અર્જુનને સ્તવના કરતા, કોઈક દુર્યોધનને, કોઈક ભીમને, કોઈક દ્રોણ ગુરુને પ્રશંસતા બધા લોકો પોતપોતાના ઘરે ગયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy